Book Title: Mahendra Jain Panchang 1963 1964 1965
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 106
________________ ૧૦૪ ] ગુરૂની રાશિમાં હોવા સાથે ગુરૂ પર શનિની દ્રષ્ટિ છે. શુક્ર ઉચ્ચાભિલાષી છે. શનિ અસ્ત થવાની તૈયારી કરી રહેલ છે. સરકારી અંદાજપત્ર અંગેની અફવાએ શેર બજારમાં તા. ૧-૨-૬૪ થી આવવી શરૂ થશે. મંગળ પણ અસ્ત છે. કરવેરા બહુ પડવાની બીક મોખરે રહેશે. તા. ૧૫-૨-૬૪ થી વેચવાલીનું પ્રમાણ વધશે. મૂડીવાદી માનસ ધરાવતા આગેવાન ઈન્વેસ્ટરો તરફથી શેરોમાં ડીલીવરી મોટા પ્રમાણમાં આવશે. તે કારણે હાજરના શેરમાં પણું નરમાઈનું ભેજું ફરી વળશે. સરકાર અવનવા પ્રકારની લેને કાઢશે. નાણુ પ્રધાનની કામગિરી બીજાને સપાશે. પ્રધાન મંડળમાં ફેરફાર થવાની અફવા જોર પકડશે. આખે ભાસ ઉછાળામાં વેચીને સારા કડાકાને અનુભવ થએથી નફો ખાનારની છત રહેશે. કાપડની મીલના શેરે રસીલ્સની સરખામણીમાં કાંઈક ટકેલ જણાશે. તા. ૧૫-૧૬ ટકેલ બજાર તા. ૧૭ થી તા. ૧૯ માં નરમાઈ બતાવે. તા. ૧૯ સાંજથી તા. ૨૫ સુધી કાપડની જાતેમાં સારો સુધારો જણાય. જ્યારે સ્ટીસ લેકમેટીવ, ઈજીનીઅરીંગ, રમ્બર અને પ્લાન્ટેશનના શેરમાં વેચાવલી રહે. તા. ૨૬-૧૭ સારી મંદી થાય. તા. ૨૮-૨૯ ટકેલ બજાર તા. ૩૦ થી તા. ૩ જીના શરૂ થતા બજાર સુધી ઘટી જાય, તા. ૨ થી તા. ૫ ટકી રહીને તા. ૬ થી તા. ૧૧ વધુ ધટી જાય. તા. ૧૧ થી તા. ૧૩ ટકી રહેલ બજાર તા. ૧૪ થી ૧૭ નરમાઈ પ્રધાન રહે. રૂ બજાર–શિઆળુ પાક નીષ્ફળ જવાની ભીતિ મોટા પ્રમાણમાં જણાય છે. તેથી ગુજરાતમાં કલ્યાણ રૂના ભાવો સારા અને ઝડપી સુધરવાની શકયતા જણાય છે. મંગલવારી પુનમ અને ગુરૂવારી અમાવાસ્યા બેટી વધઘટે રૂના ભાવોમાં નરમાઈનું કારણ બનશે. ભારતમાં રૂના પાકની અટકળો માટે મતભેદ પ્રવર્તશે. આ પરિસ્થિતિમાં સમજી વિચારીને કામકાજ કરનાર અવશ્ય લાભ મેળવશે? તા. ૧૫ થી તા. ૧૭ ટકેલ બજાર, તા. ૨૫ સુધી લાગેટ સારો સુધરશે. તા. ૨૬ થી તા. ૩૧ સુધી પ્રત્યાધાતી સારે દબાય. તા. ૧ થી તા. 8 આગેવાન પાર્ટીઓનાં કામકાજ પર ધ્યાન આપવું જરૂરી છે, નરમાઈની ચાલ ચાલુ રહે તેમ જણાય છે. તા. ૪ થી તા. ૭ ટુંકી વધઘટમાં અથડાતો બજાર નરમાઈનું વલણ.. તા. ૮ થી તા. ૧૦ માં બતાવી જશે, તા. ૧૧ થી તા, ૧૪ કઈ બાજુ વલણ રહેશે તે નક્કી કરવા માટે તમારી તાત્કાલીક બુદ્ધિને ઉપયોગ કરો, કે જેથી તમને સમજાશે કે સલાહ આપવી કેટલી જોખમભરી બાબત છે. માનવી માત્ર ગેરસમજ અને બીન અનુભવને સબબે ભૂલને પાત્ર છે. જ્યોતિષી ૭૫ ટકા સાચી પડી શકે છે, ૨૫ ટકા તે પણ ગેરસમજને લીધે ભૂલને પાત્ર હોવાથી, તેની માન્યતાઓ પણ ખોટી પડે છે, જેઓ ૧૦૦ ટકા સાચા ઊતરવાની વાતની જાહેરાત કરે છે, તેઓ પોતાની જાત જોતિષ શાસ્ત્ર અને ભગવાનને છેતરવાની કળામાં પાવરધા બની ગએલા જ ગણવા જોઈએ, અમારું ધ્યાન માસની પુર્ણાહુતિ સમયે નરમાઈ સુચક છે. બીયાં બજાર–ગુરૂવાર ચંદ્રદર્શન અને ગુરૂવારી અમાવાસ્યા કોઈ સ્થળે વિશ્વના પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ રાષ્ટ્રમાં રાજકારણું ખળભળી ઊઠશે, એમ સુચવે છે. સુદી ચોથ શનીવારી, સુદી પાંચમ રવીવારી, સુદી છઠ સેમવારી અને સપ્તમી મંગળવારી બીયાં, ગોળ, ઘી, અનાજ, ઘઉં રાતી વસ્તુઓ માટે તે બતાવે છે શનિનું છેલ્લા અંશમાં ભ્રમણ યમુના નદીના કાંઠાના પ્રદેશોમાં કઈ સ્થળે હવામાનને કારણે હાહાકારો વરતાવ કરશે. અળશી, અનાજ અને ઘાસચારાના ભાવ ઊંચા જવાને કારણે, ખેળ અને કપાસીયાના ભાવે પણ સવાયા થવાની વાત બતાવે છે. બીયાનું પીલાણુ કરતાં કારખાનાઓમાં આગ લાગવાના બનાવ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મુંબઈ રાજ્યમાં બનશે કેાઈ મેટું કારખાનું આગમાં ભસ્મીભૂત થઈ જાય. ધાણુવાળાઓ સાવચેત બનીને વીમો ઉતરાવવાની સગવડમાં રહેશે, તે નકશાનીમાંથી બચી જશે, માસ તેજીને કારણોને પાટલે આમ બેસવાની માન્યતા અમે ધરાવીએ છીએ, તા. ૧૭ થી તા. ૧૯ સુધારા પર જ બજાર, પાકના સારા અંદાજોના કારણે તા. ૨૦-૨૧ માં સારે દબાય. જ્યારે તા. ૨૨ થી તા. ૨૫ વળી સુધારો લાવશે. તા. ૨૬ થી તા. ૨૮ સારો ઘટાડા બતાવીને તા. ૨૯ થી તા. ૩૧ સારી ખરીદીના ટેકાથી ઉચે. આવશે. તા. ૧થી ૩ ઝડપી દબાય. હવે બીયાં બજાર ટન લેશે, તા. " થી તા. ૮ સારા સુધરીને તા, ૯ ૧૦ ટકી રહીને, તા. ૧૧ થી તા. ૧૪ સારો ઉછાળો મારશે.

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130