Book Title: Mahendra Jain Panchang 1963 1964 1965
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 102
________________ ધ મહો એક સરખા થતા જાય છે ૧૦૦ ] સેના બજાર–આ વિભાગ માટે જનરલ ઝૂંડ નરમાઈ સૂચક છે. વધઘટ ઉપર ચાંદી પ્રમાણે રહેશે. શેર બજાર–શનિ, વક્ર ગતિવાન ગુરૂ અને સૂર્ય પર પુર્ણ દ્રષ્ટિ યોગમાં છે. મંગળની ગુરૂ પર દ્રષ્ટિ તા. ૨૬ થી શરૂ થશે. મંગળ-રાહુ અશુભ ષડાષ્ટક યોગ પૂર્ણ કરીને મંગળ-રાહુ પ્રતિયુતિ તા. ૨૬ થી થવા માંડશે. સ્ટીસના શેરે માટે આ યોગ ઉન્નતિ પ્રદ છે. જ્યારે કાપડની મીલના શેર માટે ઘાતક છે. લાભ પાંચમનાં મુહુર્તમાં સદા બરાબર થયા ન હોવાથી અસર અહીં કાપડનો ભરાવો થઈ જવાની જષ્ણુતાં, કાપડની મીના શેરના ભાવ પર તેની અસર થયા વગર નહિ રહે, કેલસા અને ખનીજ પદાર્થોનું ઉત્પાદન સારૂં રહેવાને કારણે, તે જાતના શેરના ભાવે સુધારા પર રહેશે, માટે સમય પર ધ્યાન આપીને વિચાર પુર્વક ધધો કરે. અમાવાસ્યા મૂળ નક્ષત્રની શરૂઆતમાં સંપન્ન થતી હોવાથી, વદ પક્ષમાં રોરાના ભાવમાં મેટાં ગાબડાં પડવાની સૂચના આપે છે. તા. ૧૬ થી તા. ૧૮ જે જે જાતે સારી સુધરી હોય, તેમાં વેચવાની સલાહ છે. તા. ૧૯ થી તા. ૨૧ ને બપોર સુધી સારો ઘટાડો આવી જાય, તેમાં વેચાણ કાપીને લેવું, તા. ૨૧ બારથી તા. ૨૭ સુધી બે તરફી વધઘટ અથડાતા બજાર, સુધારા બતાવશેઆ સુધારે તા. ૨૮-૨૯ ચાલુ રહેવાની શકતા છે. માટે સાવચેતી રાખવી. તા. ૩૦ થી તા. સુધી જાત જાતની અફવાઓ ફેલાતાં સારી મંદીને કડાકે એલાય. તા. ૪ થી તા. ૮ સુધારા રહે, તા. ૯-૧૦ નરમાઈને બજાર રહે. તા. ૧૧ થી તા. ૧૩ બે તરફી વધઘટમાં અથડાતાં બજારમાં ઉંચા ભાવમાં વેચવું યોગ્ય મનાય છે. તા. ૧૪ થી ૧૫ તોફાની વધઘટે રહેતે વેચાણુની લાઈનમાં રહેનાર હારશે નહિ. તા. ૧૬ થી તા. ૧૮ શેરોની મેટી મેટો જાતેમાં ગાબડાં પડશે. રૂ બજાર–પૂર્ણમાને ક્ષય, શુક્રવારી છ8, રવિવારૂં ચંદ્રદર્શન મંગળવારી દશમાં તેજી કારક છે. જ્યારે ચંદ્ર દર્શન વૃશ્ચિક રાશિમાં અને તે જ રાશિમાં સૂર્યનું ભ્રમણ આખે માસ : શનિનું સીંહ નવમાંશમાં બમણુ: અમાવાસ્યાની વૃદ્ધિ અને સેમવાર મંગળ-રાહુને પ્રતિયોગ મંદીકારક છે. ગુરૂ વ ગતિથી વૃશ્રિક નવમાંશમાં માસારભે છે, તે તેમાં જ માગી થાય છે. માસની શરૂઆતથી તા. ૩૦ સુધી રૂ બજારનું ભાવિ તેજી કારક તત્વોના હાથમાં રહેશે. જયારે ત્યાર બાદ પંજાબમાં નવા માલની આવક શરૂ થવાને કારણે વધુ ધટે ચાલ નરમાઈ પ્રધાન રહેશે. શરૂમાં જેટલા ટકા સુધર્યો હશે. તેટલા જ માસના અંતે ઘટી જવાની માન્યતા છે. બીયાં બજાર –માસની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ ગ્રહ વધી ગુરૂની દષ્ટિમાં છે. તે ધીમે ધીમે છુટા થતા જાય છે. આ માસ દરમીયાન બધા બીયાં બજારેની એક સરખી ચાલ રહેવી જણાતી નથી. માટે સાવચેતી પૂર્વક કામકાજ કરવા. નિકાશકારો અને તેજી વાળી પાર્ટીએ એકત્ર રીતે કામકાજ કરતી જણાશે. માલની આવકે દક્ષિણ ભારતમાં થવાને સબબે સી” ગદાણુ અને એરંડા એક બીજાની સામસામી દિશામાં ચાલો. સરસવની પેદાશના અંદાજે ૫૨ સીંગદાણુ, સીંગતેલની વધઘટ રહેશે, જ્યારે અળશી, એરંડા નિકાશ પરિસ્થિતિ પર ચાલશે, ગુજરાતમાં પાકની પરિસ્થિતિ નબળી હોવાના અંદાજે બહાર આવશે. જ્યારે મધ્ય ભારતમાં પાકની પરિસ્થિતિ સંતોષકારક રહેવાની ખબર પર ત્યાંના વેપારીઓની વાયદા બજારમાં હીલચાલ રહેશે, માટે જે જે બીયાં બજારમાં વાયદાની અદલા બદલી થતી હોય, તેમાં બહુ સાવચેતી રાખવી. તા. ૧૬ થી તા. ૧૮ નરમાઈ તરફ રહીને તા. ૧૯ થી તા. ૨૭ સુધી તેજીનાં પરિબળે કામ કરી જશે. આ તેજીનું ધોરણ તા. ૨૯ સુધી ચાલુ રહેવાની શક્યતા છે, માટે સાવધાન રહેવું. તા. ૩૦ અને તા. ૧ મેટી મંદી આવી જવી જણાય છે. તા. ૨-૩ તે ચાલુ પણ રહે. તા. ૪-૬ સારે ઉછાળો આવવાની શકયતા છે. કેમકે નીચા મથાળે બધાની “લાવ-લાવ ” વૃત્તિ જપુરો. તા. -૧૦ ઉપરોક્ત માલવાળાની વેચવાલી ઉંચા મથાળે રહેશે. તા. ૧૧ થી તા. ૧૩ સુધારો બતાવશે. તા. ૧૪-૧૫ નરમાઈની શરૂઆત થાય, પણ વધઘટ બે તરફી રહેશે, જયારે તા. ૧૬-૧૭ એક તરફી ઝડપી નરમાઈ આવે. પૌષ માસઃ તા. ૧૭-૧૨-૬૩ થી તા. ૧૪-૧-૧૪. પાંચ મંગળવારે માસ છે. શાબ્દ ૧૮૮૫ માં આ બીજો ચાંદ્રમાસ પાંચ મંગળવારા છે; વિ. સં. ૨૦૧૯ ના ભાદ્રપદમાં પાંચ મંગળવાર હતા.

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130