Book Title: Mahavir swamino Achar Dharm Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 5
________________ આવે, એવું પણ બની જાય. તેવું એછામાં ઓછું થાય, તેની શકય તેટલી કાળજી રાખી છે. આ અનુવાદમાં પહેલા ખંડમાં ફકરાને અંતે કાંસમાં સૂત્રની સંખ્યામાં જે આંકડા મૂકલ્પ છે, તે શ્રી આગમાદય સમિતિએ પ્રસિદ્ધ કરેલા આચારાંગસૂત્ર ’ પ્રમાણે છે. પરંતુ, તેથી કરીને એમ નથી સમજવાનું કે તે આવૃત્તિમાં વાકયોને જે રીતે જુદાં પાડયાં છે, તથા તેમને જુદાં જુદાં સૂત્રમાં જે રીતે ગાઠવ્યાં છે, તે રીત અનુવાદમાં સ્વીકારી જ લીધી છે. ઘણી જગાએ તે, અનુવાદમાં સળંગ તરીકે સ્વીકારેલું વાકચ, આગમાદય સમિતિના ગ્રંથમાં બે જુદાં સૂત્રમાં તેડી નાંખેલું મળી આવશે. ડો. વૅટર શુબ્રિગે વળી તે વાકયોને જુદી રીતે જ જુદાં પાડયાં છે. ખરું જોતાં, આચારાંગની રચના જ એવી છે કે, કયા વાકયને કથાં પૂરું થતું ગણવું, એ બાબતમાં ઘણા મતભેદ હાઈ શકે. ' પહેલા ખંડ પંડિત ખેચરદાસજીએ કરેલા શબ્દશ: અનુવાદ ઉપરથી તૈયાર કરેલા છે. શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે મૂળ અનુવાદનાં વાકયોના ક્રમ પછીથી બદલ્યેા છે; તેમ જ એક-બે જગાએ મૂળ રાખ્તમાંથી નીકળતા લાગતા જુદો અર્થ પશુ સ્વીકાર્યાં છે, એ બધા ફેરફારાની જવાબદારી મારી પેાતાની ગણાય. ખીજા ખંડને અનુવાદ પંડિતજીના નથી. તે ખંડમાં વાકયો તેાડવાની ખાસ જરૂર પડી નથી. જોકે, ફકરાઓને ક્રમ બદલવા ઠીક લાગ્યા ત્યાં બદલ્યા છે. તે ખંડમાં કરાઓને અંતે કૌસમાં આપેલા સંખ્યાને આંક આખા પુસ્તક્ના સળંગ ન રાખતાં દરેક અધ્યયન પૂરતા અલગ કરી દીધા છે. તેથી મૂળ ફકરા શેાધવા કંઈક સુગમ થશે, એમ માન્યું છે. સૂત્રકૃતાંગના અનુવાદની પેઠે આમાં પણુ પુસ્તકને અંતે, મૂળમાંથી કેટલાંક સુભાષિતા ચૂંટીને, ગુજરાતી ભાવાર્થ સાથે મૂકાં છે; તથા અભ્યાસીને ઉપયોગી થાય તેવી ટૂંક સૂચિ આપી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 194