Book Title: Mahapandit Lalanji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૪. મહાપંડિત શ્રી લાલન પૂર્વભૂમ્પિકા અને જન્મ ઈ. સ. ૧૮૫૭ની સાલ ભારતને માટે સંઘર્ષ, ઉત્તેજના અને સંક્રાંતિનો કાળ હતો. એક બાજુ અંગ્રેજી સલ્તનત કોઈ પણ ભોગે ભારતવાસૌઓ ઉપર પોતાની સાર્વભૌમ સત્તા કાયમને માટે સ્થાપવા કૃતનિશ્ચયી બની હતી અને વિવિધ આયોજનો કરી રહી હતી, ત્યારે બીજી બાજુ ભારતીય પ્રજા અને ખાસ કરીને લશ્કરમાં અંગ્રેજી સલ્તનત સામે અનેક કારણોસર અસંતોષ ઉત્પન્ન થયો હતો. આવા કપરા કાળમાં, પશ્ચિમ ભારતના એક નાનકડા ગામ, કચ્છના માંડવીમાં, પિતાશ્રી કપૂરચંદભાઈ અને માતા મોંધીબાઈને ઘેર દિનાંક ૧-૪-૧૮૫૭ના રોજ એક હસમુખા બાળકનો જન્મ થયો. સામાન્ય રીતે તરન જન્મેલું બાળક રડે છે, જ્યારે આ બાળક રડતું ન હતું જેથી સૌને નવાઈ લાગી. માતા મોંધીબાઈને આ હસમુખા બાળકને જોઈ આનંદ અને આશ્ચર્યની લાગણીઓનો અનુભવ થયો. બાળકનું નામ ફતેહરચંદ રાખવામાં આવ્યું. લાલન ગોત્રનો ઇતિહાસ ખૂબ ઉજજવળ રહ્યો છે. વિ. સં. ૧૧૭૩માં નગરપારકરમાં રાવજી ઠાકોરને ત્યાં બે પુત્રોનો જન્મ થયો : ‘લાલણ’ અને ‘લખધીર’. Jain Education International ૩ર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7