Book Title: Mahan Jyotirdhar Upadhyay Yashovijayji Author(s): Fatehchand Z Shah Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf View full book textPage 8
________________ [૧૩૬ ] જૈન દર્શન મીમાંસા આ હકીકત “શ્રી ભગવદ્ગીતામાં કહેલ લેક સાથે કેટલીક રીતે મેળ ખાય છે. “ઉર્ધ્વમૂઢમાર શાર્વ, અશ્વાર્થ પ્રાદુર ચર્થ छन्दांसि यस्य पत्राणि, यस्तं वेद स वेदवित् ॥" આ લેકના રહસ્યને આશ્ચર્ય તરીકે ઘટાવી પ્રભુ ભક્તિ માટે લોકભાષામાં સમન્વય કર્યો છે. દોઢસો અને સાડાત્રણસો ગાથાના સ્તવનમાં નિશ્ચય નય અને વ્યવહાર નથી ભરપૂર ઉપદેશ છે. એમાં અપૂર્વ યુક્તિઓથી મૂર્તિપૂજા સિદ્ધ કરી છે. છેવટે કહ્યું છે કે “મુજ હેજે ચિત્ત શુભ ભાવથી ભવભવ તાહરી સેવ રે; યાચીએ કેડી યત્ન કરી. એહ તુજ આગળ દેવ રે; તુજ વચન રાગ સુખ આગળે નવિ ગણું સુરનર શર્મ રે; કેડી જે કપટ કોઈ દાખવે, નવિ તનું તેઓ તુજ ધર્મ ?” આ છે તેમને અદ્દભુત શાસનરાગ અને અલૌકિક પ્રભુ ભક્તિ. આનંદસૂરિ ગ૭ના શ્રી વિજયાનંદસૂરિજીએ સત્તરમા સૈકામાં રચેલે “ધર્મસંગ્રહ” ગ્રંથ કે જેની ટીકા મહોપાધ્યાય શ્રી માનવિજય ગણીએ કરી છે તે ગ્રંથનું સંશોધન ઉપાધ્યાયજી મહારાજે કરેલ છે; તેને તાજેતરમાં જ ભાષાંતર સાથે પ્રથમ વિભાગ પ્રકાશિત થયે છે. સં. ૧૭૩૯ માં “શ્રી જબૂસ્વામી રાસ” તેમણે ખંભાતમાં રચેલ. તે તેમના પિતાના હાથના અક્ષરવાળા પાનાંઓ સાથેને મળે છે. - આ રીતે તેઓશ્રી ભક્તિપરાયણ, જ્ઞાનપરાયણ, સંયમી અને તપપરાયણ સાહિત્યજીવન જીવી ગયા છે, અને આપણા માટે વિવિધ સાહિત્યની વાનગીઓથી ભરપૂર વારસો મૂકી ગયા છે, જેથી શાસનની પ્રભાવનાનું નિમિત્ત બની પોતાના આત્મા ઉપર તેમ જ ભવિષ્યની પ્રજા ઉપર મહાન ઉપકાર કરી ગયા છે. આવા મહાત્માઓ પિતાની જીવનલીલા સંકેલીને સ્વર્ગે સંચર્યા. શ્રી ભર્તુહરિજીના શબ્દોમાં કહીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9