Book Title: Mahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Author(s): Bhogilal J Sandesara
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 252
________________ પ્રકરણ ૧૪] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૨૯ (૧) એમાં પહેલે સ્તબક “અલંકારાભ્યાસ” છે, એમાં સૌ પહેલાં કર્તાએ ઉપમાની ચર્ચા કરી છે, વિશિષ્ટ ઉપમાને સાથે બંધબેસતી વિશિષ્ટ ઉપમાએનું તુલનાપત્ર કર્તાએ આપ્યું છે (પૃ. ૧૦૫-૧૦૭), તથા ઉત્તમ ઉપમાયુક્ત કવિતાની રચના માટે કેટલાંક વ્યવહાર સૂચન કર્યા છે (પૃ. ૧૦૭-૧૦૮), કેમકે એમના મત પ્રમાણે-૩પમીયાં દિનિકાયાં ઢાણિયઃ (કારિકા ૩૬); તેમણે એ પણ બતાવ્યું છે કે ઉપમામાં સહેજ પરિવર્તન કરતાં બીજા કેટલાક મુખ્ય અલંકારો—જેવા કે રૂપક, અનન્વયે, સ્મરણ, સંદેહ, અપહતુતિ, વ્યતિરેક, ઉપ્રેક્ષા આદિ કેવી રીતે પેદા થાય (પૃ. ૧૦૯). રૂપકની ચર્ચા વધારે વિગતવાર કરવામાં આવી છે. રૂપકની રચના કેવી રીતે કરવી તથા એકને એક ભાવ જુદી જુદી રીતે કેમ વ્યક્ત કરવો એનાં પણ સૂચન આપેલાં છે (પૃ. ૧૧૧-૧૧૬). (૨-૪) “વ સ્તબક,” “આકારસ્તબક ” અને “ક્રિયાસ્તબક’ એ અનુક્રમે ત્રણ સ્તબેંકમાં જુદા જુદા રંગ, આકાર અને ક્રિયાવાળા પદાર્થોને કેવી રીતે વર્ણવી શકાય એ બતાવ્યું છે. (૫) “પ્રકીર્ણ સ્તબક” નામે પાંચમા સ્તબકમાં વિવિધ પદાર્થોના આધાર, પરિવાર, ગુણ આદિ વિશે કલ્પનાઓ કરીને કવિ એ પદાર્થોને કેવી રીતે ચારુતાપૂર્વક વર્ણવી શકે એનું લંબાણ નિરૂપણ કર્યું છે. સામ્ય એ સુભગ અર્થોત્પત્તિનું મુખ્ય કારણ છે (કારિકા ૧૬૩), અને એથી કર્તાએ સદશ વસ્તુઓની એક લાંબી યાદી આપી છે; જેમકે–તીક્ષ્ણ, મહત્તમ, સૂક્ષ્મ, મંગલકારક, મહામાંગલ્યકારક, અમંગલ, પવિત્ર, અપવિત્ર, સુખદાયક, દુઃખકારક, સ્થિર, અસ્થિર, વેગવાન, મંદ, બલિષ્ટ, નિર્બલ, ક્રૂર, અક્રૂર, મધુર ધ્વનિકારક, કઠોર ધ્વનિકારક, મહાશબ્દકારક, સુરૂપ, દાનશર, ધનુર્ધર, આધાર, વિદ્વાન રાજા, મંત્રી, ઇત્યાદિ (કારિકા ૧૬૪–૨૪૮). (૬) છઠ્ઠો સંખ્યાસ્તબક સંસ્કૃત કવિતાના અભ્યાસીઓને માટે ખાસ રસપ્રદ છે, કેમકે શબ્દાંકે અર્થાત કાવ્યરચનામાં ઉપયોગી સંખ્યાવાચક શબ્દોની સૂચિ એમાં આપેલી છે. એકથી વીસ સુધીના એકેના વાચક તથા સે અને હજારના વાચક શબ્દો પણ એમાં આપ્યા છે. (પૃ. ૧૪૩-૧૪૮). અંકને રીતસરને ઉલ્લેખ કર્યા વિના આવા શબ્દાંકાની સહાયથી પિતાની કૃતિઓનું રચનાવર્ષ નેધવાની પ્રથા મધ્યકાલીન સંસ્કૃત લેખકોમાં હતી (જુઓ પેરા ૧૨૯). (૭) સમસ્યાસ્તબક' નામે સાતમાં સ્તબકમાં વિવિધ પ્રકારની સમસ્યાઓના પૂરણ વિશે સૂચને છે. સંસ્કૃત કવિઓ માટે રાજસભામાં કે વાદસભામાં સમસ્યાપૂરણ એ બહુ અગત્યની વસ્તુ હતી, અને તેથી આ ગ્રન્થમાં એ વિશેની ઉપયોગી માહિતી આપવાનું અમરચન્દ્ર ચૂક્યા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328