Book Title: Lala Lajpatray Ane Jain Dharma
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 98
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૃહસ્થ જૈને વર્ણાનુસારે ગુણકને કરે છે. જેનધર્મ માનનારા બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વગેરે સ્વજાતિગ્યકર્મો કરે છે અને નિર્લેપ બની મેલગામી થાય છે. જેનો પ્રારબ્ધ, સંચિત અને ક્રિયામાણ કર્મને માને છે. ઉદ્યમથી કમને ક્ષય કરે છે અને તેઓ કર્મમાં લખ્યું હો-કર્મ પ્રમાણે થાય છે એમ માની આળસુ બની બેશી રહેતા નથી. કટિકટિ પુરૂષાર્થ કરતાં પણ જે તે કાર્ય ન થાય તે પછી તે પ્રારબ્ધકર્મથી થતું નથી એમ જાણે છે. આત્મબળ ફેરવાય અને પછીથી પાછું પડાય ત્યારે કર્મને ઉદય છે એમ જૈનો માને છે, એજ કર્મના ઉદયને હિંદુ, મુસલમાને, પ્રીસ્તિ હરિ ઈચ્છા, ઇશ્વર ઈચ્છા, પ્રભુને મરજી એવાં નામથી બેલાવે છે. જેનો કહે છે કે કર્મના ઉદય પ્રમાણે થાય છે, હિંદુઓ વગેરે કહે છે કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થાય છે, ત્યારે કમને ઉદય તેજ કર્મપ્રભુની ઈચ્છા સમજવી, આત્મજ્ઞાનથી એક ક્ષણમાં સર્વ કર્મનો ક્ષય થાય છે એમ જૈને માને છે તેથી જેને બનવાનું હશે તે બનશે એમ માની બેસી રહેતા નથી. તેઓ તે ઉત્સાહ, ધૈર્ય, જ્ઞાન અને ઉદ્યમથી કર્મને જીવે છે અને આત્માને પ્રભુ માની પ્રભુની પેઠે કર્તવ્ય કાર્યો કરવામાં પુરૂષાર્થ ફેરવે છે. ભાવી ભાવ માની બેસી રહેનારા અને કર્મ પ્રમાણે થશે એમ માની બેસી રહેનારા અને ઉદ્યમ નહીં કરનારા લેકે, જેનધર્મને જાણી શકતા નથી, અને કર્મ દુશ્મનેને જીતનારા ખરા જ બની શક્તા નથી. જૈનશાસામાં ભાવભાવ અને કમને ઉદય માની બેસી રહેવાનું લખ્યું નથી, માટે જે, કર્મ અને ભાવભાવ માની મડદાલએકાંતે નિર્વીર્ય બને નહીં. ગૃહસ્થ જેને પાપ કર્મ લાગશે એમ જાણી બીકણ બની સ્વાધિકારકાને ત્યજતા નથી, તેઓ તે ચેડા મહારાજ વગેરેની પેઠે યુદ્ધ કાર્યને સ્વાધિકારે સ્વીકારે છે અને પાપકર્મ લાગે છે તે તેને જ્ઞાન ધ્યાન પ્રાયશ્ચિત્ત વગેરેથી ટાળે. છે અને ગૃહસ્થાશ્રમને ધર્મમાં તથા સર્વાધિકારપ્રમાણે રાજ્ય નૈતિક બાબતમાં પ્રવર્તે છે. હાલમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115