________________
પૈસાનો કમાન્ડ આપણા હાથમાં હોય એટલે બેનને પામર સમજીને ચાલીએ છીએ. બેન તો સ્ત્રી છે, પિયરમાં પણ પરાશ્રિત રહેવાની અને સાસરે પણ પરાધીન રહેવાની. એને લાચારીનો અહેસાસ થાય તેવું કદી બનવું ન જોઈએ. એ મૂંઝવણમાં હોય તો આપણે એને સધિયારો આપવો જોઈએ. આપણી ભૂમિકા મુજબ તેમને પૂરેપૂરું સન્માન આપવું જોઈએ. આપણે બેનને હેરાન કરીએ, ટેન્શનમાં મૂકીએ, એની ચિંતામાં વધારો કરીએ તો ભાઈ તરીકે ચૂક્યા ગણાઈએ. ભાઈ તરફથી બેનને અઢળક વાત્સલ્ય મળવું જોઈએ તે આપણે નથી આપ્યું. આપણી ઘણી ફરજોમાં આપણે બેજવાબદારી બતાવી છે. આપણે વરસભરમાં જ્યારે જ્યારે બેનને દૂભવી હોય, જે જે સમયે બેનને દુ:ખી કરી હોય તે દરેક અવસરની ખરાબ અસર બેનનાં દિલ પર પડી છે. બેનનાં કોમળ હૈયાને આપણે ધગધગતાં ડામ આપ્યા છે. શ્રીમંત ઘરે ગયેલી બેનને વધુ ખુશ રાખવી અને સાધારણ ઘેર રહેલી બેનને સાચવવા પૂરતી સાચવી લેવી આવી ભેદભાવના આપણાં મનમાં રાખી છે. બેનનાં કામ કરી આપ્યા હોય તો એને ટોણાં માર્યા છે. બેનની પાસેથી કામ કરાવી લેવાની ચાલાકી પણ કરી છે. બેન રાહ જોતી હોય તેવા પ્રસંગોમાં તેની પ્રતીક્ષાને પૂરી કરી નથી.
આપણા જેવા મરદ માણસો આવા નાજુક સ્વભાવની બેનને પરેશાન કરતા હોય તે કમનસીબી જ કહેવાય ને ? એ બેનની પાસે જઈને તેની માફી માંગી લેવી જોઈએ. એને દિલાસો આપીને એનાં મનના કષાયો ભૂંસવા જોઈએ. બેન કમજોર નથી હોતી. બેન ભાવનાશીલ હોય છે. બેનનાં મનમાં ભૈયા માટે સતત હેત હોય છે. આપણે આપણાં વર્તન કે વચનથી આ બેનને દૂભવી હોય તો એની ક્ષમાયાચના કરી લેવી જોઈએ.
ભાઈ બેનનો સંબંધ જેમ વિશિષ્ટ છે તેમ બીજો પણ એક વિશિષ્ટ
સંબંધ છે. આ જગતમાં આ સંબંધ વિશે જેમ જેમ સંશોધન થતા જશે તેમ તેમ આ સંબંધ વધુ ગહન પૂરવાર થતો જશે. આ સંબંધ છે. સાસુવહુનો સંબંધ.
એક ઘરની દીકરી બીજા ઘરમાં આવીને વહુ બની જાય છે અને એક દીકરો હોય છે તેની માતા, નવી આવેલી વહુ માટે સાસુ બની જાય છે. સાસુ અને વહુ આ બંને વચ્ચે એક વ્યક્તિ હોય છે. સાસુનો દીકરો અને વહુનો પતિ. આ દીકરા પર અને આ પતિ પર વર્ચસ્વ જમાવી રાખવા માટે બે સ્ત્રીઓ વચ્ચે ક્લેશ ચાલતો હોય છે. સાસુ વડીલપદું ધરાવતી હોય છે તેથી વહુને દબાવવાનો પુષ્કળ પ્રયાસ કરતી રહે છે. વહુની ભૂલો કાઢવી, તેની પર આક્ષેપો કરવા, તેની નિંદા કરવી આ બધા પરાક્રમો કરવામાં સાસુ પાછા પડતા નથી. વહુને દીકરી માની શકે તેવી સાસુ બનવાનું એ નથી શીખતી. એ દીકરાને વહુ વિરુદ્ધ ચડાવે છે. વહુ વળતી લડત આપે છે. એ પતિને સાસુ માટે ફરિયાદ કરે છે. બે આખલા ઝઘડે તેમાં ઝાડનો ખો નીકળે છે તેમ સાસુ અને વહુના ઝઘડામાં દીકરાનો ખો નીકળી જાય છે.
સાસુ શું કરે છે ? વહુને માનસિક ત્રાસ આપે છે, વાતે વાતે કચકચ કરે છે, ગાળો આપે છે, કજીઓ કરે છે, ધર્મ કરવાની સ્વતંત્રતા છીનવી લે છે.
વહું શું કરે છે ? સામા જવાબ આપે છે, ગમે તેમ બોલે છે, અણછાજતા પ્રહારો કરે છે, નાની નાની વાતમાં વાંધા ઊભા કરે છે, પતિને ઘર છોડી દેવાનું દબાણ કરે છે.
પરિવારનો માહોલ આવા ખેંચતાણવાળા સંબંધોને લીધે તૂટી જાય છે. સાસુ અને વહુ બંનેએ પોતપોતાનો તંત છોડીને ક્ષમાયાચના કરવી જોઈએ. સાસુ તે પહેલ કરે, વહુને ઉદાર ભાવે ખમાવે. વહુ પણ પોતે જ શરૂઆત કરે, પગમાં પડી માફી માંગે.
= ૧૫
- ૧૬ -