________________
કવિ શામળ ભટ
૨૧
પડે છે. સમશ્યાઓમાં એની તર્કશક્તિ દેખાય છે, છપ્પાઓમાં ને દષ્ટાન્તમાં એનું વામ્બળ દેખાય છે, માનવજીવનની બહુવિધ રંગલીલા વર્ણવવામાં એની ચાતુરી દેખાય છે. - પ્રેમાનંદની પેઠે શામળને કઈ શિખ્ય નહેતો. કેઈનું અનુકરણ તેણે કર્યું નથી અને એનું અનુકરણ કેઈએ કર્યું નથી. દલપતરામે એની પેઠે સમશ્યાઓ જેવું થોડુંક લખાણ કરેલું છે, છતાં શામળ અને અને એકલજ રહી ગયો છે.
શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી કહે છે કે : ગૂજરાતી પદ્યના અખ, પ્રેમાનંદ અને શામળ એ આગળ પડતા તારા છે. ગૂજરાતી સાહિત્યના આકાશમાં આ ત્રણ જ એવા છે, જેમણે ધર્મને અંગીભૂત કર્યા સિવાય શુદ્ધ કવિતા લખી છે, અને જેની ગણના કાવ્યમાં થઈ શકે એવી કવિતા લખી છે.”
શ્રી કનૈયાલાલ મુનશી શામળ વિષે કહે છે કે: “એની શૈલી અને ખી છે, અને વાર્તા કહેવાની ઢબ ચમત્કારિક છે. વાર્તામાં તે માં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org