________________
૧૧૬
થાય છે, અને એ આરાધના નિદાનવાળી ગણાય છે. (નિયાણાવાળી ગણાય છે). જેથી મોક્ષ માત્રમાં જ બહલક્ષ્ય થયેલા જીવોને આ લેકનું સુખ તે સહેજે પ્રસંગથીજ વિના ઈચછાએ પ્રાપ્ત થાય છે, વાસ્તવિક ફળ રૂપે તે મિક્ષ સુખ પ્રાપ્ત થાય છે, માટે તીર્થની આરાધના કરનારા ભવ્ય જીવોએ આ લેકના સુખ માટે બદ્ધલક્ષ્ય (એક લક્ષ્ય) ન થતાં કેવળ મિક્ષપદની પ્રાપ્તિમાં જ બદ્ધલક્ષ્ય થવું એ સદુપદેશ રૂપ ગુરૂ વચન છે, એટલે પ્રાચીન પરમ મહર્ષિએનું એજ વચન છે કે તીર્થની ભક્તિમાંજ બદ્ધલક્ષ્ય ત્રણે કરણથી અને ત્રણે યેગથી થવું, અને એથી જ આત્મશદ્ધિની વૃદ્ધિ થતાં મેક્ષ સુખ પામી શકાય છે. એવા પ્રકારનું ગુરૂવચન કદી પણ અન્યથા ન જ થાય એટલે નિષ્ફળ ન જાય છે ૧૬૮-૧૬૯ છે
કયા કયા સાધનથી અને કેના પસાયથી આ કદંબગિરિ બહ૯૯૫ ગ્રન્થની રચના કરી ? આ બીના બે ગાથામાં જણાવે છે –
अत्तजणाण मुहाओ-तहेव गहिऊण संपयायलयं ॥ पाईणसत्थसार-बिहकप्पो सिरिकयंबस्स ।। १७० ॥ रइओ ताण पसाया-जेहिं गुरूहि कयंबभत्तेहि ॥ अस्सविहाणे दिण्णा-आणा मज्झं महाणंदा ॥ १७१॥
સ્પષ્ટાર્થ આમ જનેના મુખથી એટલે જેનું વચન પ્રમાણભૂત મનાય છે એવા પ્રામાણિક મહાપુરુષોના મુખથી આ ગિરિરાજને અદ્દભુત મહિમા જાણીને તેમજ શ્રી શત્રુંજય માહામ્ય વિગેરે પ્રાચીન શાસ્ત્રોને સાર ગ્રહણ કરીને