Book Title: Jivannu Amrut
Author(s): Kumarpal Desai
Publisher: Khimasiya Parivar

View full book text
Previous | Next

Page 39
________________ ૨૪ - દૃશ્ય અને અશ્ય એ શ્રીમંત હોવા છતાં શ્રદ્ધાવાન હતા. સવારના બે કલાક તો પ્રભુસ્મરણમાં કાઢતા જ. એક યુવાન આવ્યો. બોલ્યો, “શેઠ ! પૈસાની અનિવાર્ય આવશ્યકતા છે એટલે આ માલ મારે કાઢી નાખવો છે. આપ ન લો ?” શેઠ ગરમ થઈ ગયા. “જોતા નથી ? હું કેટલો કાર્યમગ્ન છું? જા, મહિના પછી આવજે.” પણ શેઠ ! મારે પૈસાની આજે જ જરૂર છે. મારી મા માંદી છે.” સાંભળતો નથી ? કામમાં છું. જા, બહાર જા, નહિ તો ધક્કો....” ત્યાં વચ્ચે જ એણે અર્જ કરી : “એક પ્રશ્ન આપને પૂછું ? આપ ભગવાનને ચાહો છો ?' શેઠને આશ્ચર્ય થયું. “કેમ આમ પૂછે છે ? ભગવાનને ન ચાહું ?' “ના. તમે ભગવાનમાં નથી માનતા. અને એને ચાહતા પણ નથી. એને ચાહતા હોત તો એના જ જીવંત પ્રતીક સમા માનવને આમ ધુતકારી ધક્કો મારવા તમે તૈયાર ન થાત. જે દેશ્યને જ ન માને તે અદેશ્યને માને છે, તે કેમ મનાય ?'

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68