Book Title: Jiva Ajiva
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 159
________________ જે કાળ જાણીતી સંખ્યા વડે ગણી શકાય છે, તે સંધ્યેય અને જે તે સંખ્યામાં નથી આવી શકતો અને માત્ર ઉપમા વડે જ ગણી શકાય છે તે અસંખ્યેય—જેમ કે પલ્યોપમ, સાગરોપમ વગેરે. અને જે કાળનો અંત જ નથી, તે અનંત કહેવાય છે. ૫. પુદ્ગલાસ્તિકાય પુદ્ગલ—જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શયુક્ત હોય અને જેમાં એકઠા મળવા તથા જુદા થવાનો સ્વભાવ વિદ્યમાન હોય, તેને પુદ્ગલ કહેવામાં આવે છે. પરમાણુ પણ પુદ્ગલનો વિભાગ છે, પરંતુ અહીં કાય શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, આથી અસ્તિનો અર્થ માત્ર પ્રદેશ જ સંગત છે. સમુદિત પરમાણુ જ પ્રદેશ કહેવાય છે, જેમ કે—બે સંયુક્ત પરમાણુઓને દ્વિ-પ્રદેશી સંધ કહેવામાં આવે છે. દ્રવ્યથી પુદ્ગલાસ્તિકાય અનંત-દ્રવ્ય છે. પુદ્ગલ-દ્રવ્ય અન્ય દ્રવ્યોની જેમ અવિભાજ્ય-પિંડ નથી પરંતુ વિભાજ્ય છે. પરમાણુ જુદા-જુદા થઈ જાય છે અને એકત્રિત થઈ ફરી સ્કંધરૂપમાં પરિણત થઈ જાય છે. ક્ષેત્રથી તે લોક-પ્રમાણ છે. ૭૭ લવ ૩૦ મૂહુર્ત ૧૫ દિવસ ૨ પક્ષ ૨ માસ ૩ઋતુ ૨ અયન ૫ વર્ષ ૭૦ ક્રોડાક્રોડ ૫૬ લાખ ક્રોડ વર્ષ અસંખ્ય વર્ષ ૧૦ ક્રોડાક્રોડ પલ્યોપમ ૨૦ ક્રોડાક્રોડ સાગર અનંત કાળ-ચક્ર Jain Educationa International =બે ઘડી અથવા =૬૫૫૩૬ ક્ષુલ્લક ભવ અથવા ૧૬૭૭૭૨૧૬ આવલિકા અથવા =૩૭૭૩ પ્રાણ અથવા =એક મૂહુર્ત (સામાયિક-કાળ) =એક દિવસ-રાત (અહોરાત્ર) –એક પક્ષ =એક માસ =એક ઋતુ =એક અયન =એક વર્ષ =એક યુગ -એક પૂર્વ =એક પલ્યોપમ =એક સાગર =એક કાળ-ચક્ર =એક પુદ્ગલ-પરાવર્તન જીવ-અજીવ ૰૧૫૦ For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194