Book Title: Jain Yug 1939
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 1
________________ Regd. No. B. 1998. તારનું સરનામું – “હિંદસંઘ.—“HINDSANGHA.” I નો તિરથર છે જૈન યુગ. The Jain Yuga. ર & ga G - [જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.] * તંત્રી–મેહનલાલ દીપચંદ ચોકસી. વાર્ષિક લવાજમ રૂપીઆ બે. છુટક નકલ-દઢ આને. તારીખ ૧ લી જાન્યુઆરી ૧૯૯૯. અંક ૧૧ મે. સામ્રાજ્યવાદી માનસ! રાજ્યનીતિને અર્વાચીન યુગમાં અદભુત આકર્ષણ ધરાવતી કળાઓમાં સૌથી વધુ શાસ્ત્રીય સ્વરૂપે ખીલાવવા માટે પશ્ચિમના રાજ્યધુરંધરો અથાગ પરિશ્રમ લઈ રહ્યા છે. આ યુગમાં તે સાહિત્ય, કળા, કેળવણી, ધર્મ, અર્થશાસ્ત્ર ઉપરાંત જીવનના અનેકવિધ ક્ષેત્રમાં રાજકારણના રંગે બહુ ઉંડાણમાં પેસી ગયા છે. માનવ સંસ્કૃતિનું પારણુ કઈ વખતે ધર્મભાવનાને હીંચોળે છે, તે કઈ વખત કળાના સર્વોચ્ચ સર્જનને હુલાવે ફેલાવે છે. આ યુગની માનવ સંસ્કૃતિનો સંદેશ તે રાજ પ્રકરણી મુસદ્દીગીરી. આજે વિશ્વના જુદા જુદા રાષ્ટ્રોના રાજનીતિજ્ઞ પ્રજાકીય, સામ્યવાદ, ફેસીઝમ, નાઝીઝમ વગેરે વિવિધ પ્રયોગો કરીને સામ્રાજ્ય વિસ્તારની સ્પૃહાને સંતોષવા અવનવા માર્ગો અખત્યાર કરે છે. પિતાનું સામ્રાજ્ય વ્યવસ્થિત રહે, તેમાં શાંતિ જળવાય તે માટે દરેક સામ્રાજ્યવાદી પ્રજા આજે પિતાના આશ્રિત પ્રદેશોમાં શામ, દામ, દંડ અને ભેદની ચતુર્વિધ નીતિ અખત્યાર કરવા પાછળ અથાગ ઝહેમત ઉઠાવે છે. છતાં આજે તે સામ્રાજ્યવાદ સામે દરેક દેશના પેટાળમાં જવાળામુખીને ધીકતે રસ ઉકળી રહ્યો છે. કારણ કે અત્યારે એ સામ્રાજ્યવાદના સંચાલકો વિજ્ઞાનિક શેના આશ્રયે પિતાનું સામ્રાજ્ય ટકાવી રાખવામાં અને સાથે સાથે વિશ્વશાંતિની વાત કરવામાંજ પિતાની ચાણકયબુદ્ધિ પરાકાષ્ટાએ પહોંચી જતી માને છે. પિતાની આશ્રિત પ્રજાને જંગલી ગણી, પોતાની સંસ્કૃતિની ભૂરકીથી મુગ્ધ કરી. એ પ્રજાને સંસ્કારી બનાવવાનાં એઠાં નીચે સામ્રાજ્ય પિપાસાને સંતોષવાના અનેક અખતરા આજે થઈ રહ્યા છે. પરંતુ ઈટાલી અને જર્મનીની ચડતી પડતી કડીબંધ ઇતિહાસ તપાસતાં જણાશે કે વર્તમાન યુગમાં સામ્રાજ્યવાદીની ઈમારત કે ચિરંજીવ તત્વ પર બંધાએલ નથી. એમાં સકાઓ સુધી મગધ સામ્રાજ્યની ઝળહળતી જત ભારતવર્ષમાં ટકાવી રાખીને વિશ્વના ઈતિહાસકારોને આંજી નાખનાર મૌર્ય સામ્રાજયના સુવર્ણ યુગને સજક અશક માત્ર હિંદના રાજનીતિમાં નહિ પણ સમસ્ત વિશ્વના રાજ ધુરંધરમાં સૌથી મોખરે આવે છે. અશોકને “ધર્મવિજય’ એ રાજશેત્રજ પર વ્યવસ્થિત ચલાવવામાં આવેલ પાદું હતું. ઠેર ઠેર શિલાલેખે કોતરાવીને, “દેવોને પ્રિય' જેવું મનહર નામ ધારણ કરી, માનવતા માટે પુર્ણ હમદી બતાવનાર અશોકને ઢંઢેરો ચાણકય નીતિનો અદ્ભુત વિજય સુચવતું હતું. પિતાની સામ્રાજય લિસાને, કલિંગના હત્યાકાંડ પછી પ્રાયશ્ચિતના અંચળા નીચે ઢાંકી દઈ, ધાર્મિક સહિ. ષ્ણુતાના આશ્રયે લખલુટ ખર્ચ કરીને મૌર્ય-સામ્રાજયને બેવડા તાંતણે બાંધવાના કોડ હતા. બીજી તરફથી કલિંગના યુદ્ધમાં અથાગ પરિશ્રમ પછી વિજય મેળવીને, થાકેલા અશોકને આરામની પણ જરૂર હતી. – કલિંગનું યુદ્ધ યાને મહારાજા ખારવેલ' માંથી. સાઠા નીચે સામ્રાજ્ય પોતાની સંસ્કૃતિના છે. પરંતુ ઈટાલી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 136