________________
સ્વાધ્યાયનાં પાંચ પ્રકાર કહે છે,
૧ જે ગુરૂસમિપે શિષ્ય વાંચે તે વાંચના. ૨ જે શુભ ભાવે સૂત્રના વિચાર પૂછી તે પૃચ્છના. 3 જે ભણેલા સૂત્રનું ગુણવું તે પરિયટ્ટણ.
જે રદય માંહે સૂત્રનાં વિચાર ચિંતવવા તે અનુપ્રેક્ષા. પ જે પરને ધર્મ કથા સંભલાવી તે ધર્મ કથા. - પાંચ પ્રકારના દેવ કહ્યા છે તેનાં નામ, ૧ પચેંદ્રિય તિર્યંચ અથવા મનુષ્ય, જેણે દેવાયું બાંધ્યું
હોય તે દેવતા પણ ઉપજશે, તેને દ્રવ્ય દેવ કહીયે. ૨ જે ચક્રવર્તિ હય, તેને નરદેવ કહીયેં. ૩ શ્રી અણગાર સાધુને ધર્મદેવ કહીયે ૪ શ્રી અરિહંત દેવને દેવાધિદેવ કહીયેં. ૫ ભવનપત્યાદિક ચાર નિકાયના દેવ કહીએ.
અથ શીખામણના બોલ આઠ.
૧ દયા પાલે તે દાનેસરી. ૨ ધર્મ આચાર પાલે તે જ્ઞાની. ૩ પાપથી ડરે તે પંડીત. ૪ પાંચ ઈદ્રી વસ કરે તે સુરવીર. પ સત્ય વચન બેલે તે સિંહ જે. ૬ પરઉપકાર કરે તે ધનવંત. ૭ કુલનનો ત્યાગ કરે તે ચતુર. ૮ નિરધન સાથે સ્નેહ પાલે તે મિત્ર. 29