Book Title: Jain_Satyaprakash 1950 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ ઉત્પન્ન થયા. બન્નેની જન્મભૂમિ દ્વારિકા નગરી. –પિતાનું નામ બ્રહ્મરાઠ
–વાસુદેવની માતાનું નામ ઉમા રાણું. ૮–બળદેવની માતાનું નામ સુભદ્રા રાણી ૯– વસુદેવનું આયુષ્ય બેતેર લાખ વર્ષનું હતું. ૧૦-બળદેવનું આયુષ્ય પંચોતેર લાખ વર્ષનું હતું. ૧૧–બનેનાં શરીરનું પ્રમાણ સીત્તેર ધનુષ્ય. ૧૨–બંનેનું ગૌતમ ગોત્ર. ૧૩.-વાસુદેવના શરીરને વેણું લીલ હતા. ૧૪-બળદેવના શરીરને વેણું સફેદ હતો, ૧૫-વાસુદેવના પૂર્વ ભવના સુભક્તિ નામે ધર્માચાર્ય હતા. ૧૬–વાસુદેવ પચીસ હજાર વર્ષ સુધી કુંવરપણે રહ્યા. ૧૭-પચીસ હજાર વર્ષ સુધી મંડલિક રાજા પણે રહ્યા. ૧૮વાસુદેવને ત્રણ ખંડની સાધના કરવામાં એક સે વર્ષ ગયા. ૧૯-વાસુદેવે ઈક્કોતેર લાખ ઓગણપચાસ હજાર નવા વર્ષ સુધી વાસુદેવપણું ભોગવ્યું. ૨૦–દિપૃષ્ઠ વાસુદેવ મરણ પામીને છઠ્ઠી તમપ્રભા નારકીમાં નારકપણે ઉત્પન્ન થયા. ૨૧-વિજય બળદેવ દીક્ષાની નિર્મળ સાધના કરીને કેવળજ્ઞાન પામી મુક્તિનું અવ્યાબાધ સુખ પામ્યા. ૨૨–આ બન્ને વાસુદેવ અને બળદેવ વાસુપૂજય સ્વામીના તીર્થમાં થયા. (૨૩)
૨૪ પ્રશ્ન-સ્વયંભૂ વાસુદેવના અને ભદ્ર નામના બળદેવના જીવનના મુખ્ય મુખ્ય મુદ્દાઓ કયા કયા ?
ઉત્તર–૧–નામ સ્વયંભૂ વાસુદેવ ૨–ભદ્ર નામના બળદેવ. ૩ – સ્વયંભૂ વાસુદેવ પાછલા અનંતર ભવમાં બારમા અચુત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા હતા. ત્યાંથી ચવીને અહીં વાસુદેવપણે ઉ૫-ન થયા. ૪–ભદ્ર નામના બળદેવ પાગ્લા અનંતર ભવમાં અનુત્તર વિમાનવાસી દેવ હતા. ત્યાંથી ચવીને અહીં બળદેવપણે ઉત્પન્ન થયા. ૫બનેની જન્મભૂમિ-દ્વારિકા નગરી, ૬-પિતાનું નામ-રુદ્રરાજા–વાસુદેવની. માતાનું નામ, પૃથ્વી, રાણી. ૮ ભદ્ર. બળદેવની માતાનું નામ સુપ્રભા રાણી. ૯-વાસુદેવનું આયુષ્ય સાઠ લાખ વર્ષનું હતું, ૧૦ --બળદેવનું આયુષ્ય પાંસઠ લાખ વર્ષનું હતું. ૧૧–બંનેના શરીરનું પ્રમાણ સાઠું ધનુષ્ય. ૧૨–બન્નેનું ગૌતમ ગોત્ર, હતું. ૧૩–વાસુદેવના શરીરને રંગ, લીલ હતા. ૧૪–બળદેશના શરીરનો રંગ સફેદ હતો. ૧૫–વાસુદેવતા. પૂર્વ ભવના ધર્માચાર્યનું નામ, સુદર્શનસૂરિ ૧૬-બાર હજાર વર્ષ સુધી વાસુદેવ કુવરપણે રહ્યા. ૧—-બાર હજાર વર્ષ સુધી. મંડલિક રાજા પણે રહ્યા ૧૮-ત્રણ ખંડતી સાધનામાં, નેવું વર્ષ ગયા. - ૧૯–વાસુદેવે ઓગણસાઠ લાખ પંચોતેર હજાર નવસે ને દશ વર્ષો સુધી વાસુદેવપણું ભોગવ્યું. ૨૦-સ્વયંભૂ વાસુદેવ મરણ પામીને છઠ્ઠી તમઃપ્રભા નારકીમાં નારકપણે ઉન્ન થયા. ૨૧-ભદ્ર, બળદેવ પરમ ઉ૯લાસથી સંયમની નિમળ સાધના કરીને મેક્ષે ગયા. ૨૩–સ્વયંભૂ, વાસુદેવ અને ભદ્ર બળદેવ તેરમા વિમળનાથ તીર્થકરના તીર્થમાં થયા. (૨૪) .
૨૫ પ્રશ્ન-ચોથા વાસુદેવના અને બળદેવના જીવનના મુખ્ય મુખ્ય મુદ્દાઓ કયા કયા?
ઉત્તર-–૧–નામ-પુરુષોત્તમ વાસુદેવ. ૨-બળદેવનું નામ-સુપ્રભ બળદેવ. ૩– ૪–-વાસુદેવ અને બળદેવ. બંને ભાઈ પાછલા અનંતર ભવમાં આઠમાં સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે હતા. ત્યાંથી ચાવીને અહીં પુરુષોત્તમ નામના વાસુદેવપણે અને સુપ્રભ નામના બળદેવમણે ઉત્પન્ન થયા. ૫ જન્મભૂમિ બનેની હારિકા નગરી. ૬–પિતાનું નામ—
For Private And Personal Use Only
Loading... Page Navigation 1 ... 22 23 24 25 26 27 28