Book Title: Jain_Satyaprakash 1947 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦] જૈન વર્તમાનપત્રોના અભિપ્રાય
[ ૩૦૭ વૈશાખ શુદ પાંચમના દિવસે ઉદેપુરના શ્રીસંઘને શ્રી કેસરીઆજીના પંડાઓએ બીજે કરાર લખી આપે હતો. આ બન્ને કરારોની મૂળ નકલે આજે ૫ણ શ્રી જૈન શ્વે. મૂર્તિ. સંધ- ઉદેપુર પાસે મૌજૂદ છે. એ બન્ને કરારો જોતાં માલૂમ પડે છે કે-શ્રી કેસરીઆજી તીર્થના ભંડાર ઉપર પણ શ્રી જેન . સંધની જ સત્તા હતી અને દરેક વિધિ આદિની વ્યવસ્થા સંબંધી સત્તા ૫ણ શ્રી જૈન છે. સંધની જ હતી.
વિ. સં. ૧૯૦૩ના કરારમાં ઉદેપુરના શ્રીસંધને ઉદ્દેશીને લખવામાં આવ્યું છે કે“આપ પંચોએ અમને ઉદેપુર બોલાવ્યા અને નીચેની બાબતોની આપે વ્યવસ્થા કરી. અમે તે મુબજ વતીશું અને જે તેમાં અમે કોઈ પણ ભૂલ કરીશું તો અમે પરમેશ્વરના ગુન્હેગાર થઈશું.” આમ છતાં પણ, બસો વર્ષ થયાં રાજ્યને વ્યવસ્થાદિકને હકક છે એવું કહેવામાં આવે છે, તો તે કઈ રીતિએ મનાય? વિ. સં. ૧૯૦૩ના મજબુર કરારમાં કેટલીક બીનાઓ નીચે મુજબની પણ છે. પંડાઓએ લખી આપ્યું છે કે
(૧) સૂર્યોદયથી એક ઘડી પહેલાં શ્રી કેસરીઆઇની પ્રક્ષાલપૂજા થશે. અમે કોઈનેય માટે રાહ નહિ જોઈ એ. એ વખતે જેને હાજર રહેવાનું હશે તે વહેલે સઈ જશે અને વહેલો આવશે. એક જણ પિતાની રાજીખૂશીથી જે આપશે તે અમે લેશું પણ કોઈને હેરાન નહિ કરીએ.
(૨) કોઈને કેસર ચડાવવું હશે તો અમે તેને રાહ જોવડાવીશું નહિ. એક જણ જે આપશે તે લેશું. વધારે માટે તેને દબાણ નહિ કરીએ.
(૩) પ્રક્ષાલ પૂરું થયા પછી તરત જ કેસરની બેલી થશે. આરતીમાં અમને જે આપશે તે અમે લઈશું. વધારે માટે અમે દબાણ કરીશું નહિ.
(૪) શ્રી કેસરીઆઇના મંદિરના ગભારામાં સેવાના પ્રતિનિધિઓ તરીકે જેમને વારો હશે તે બે સેવ રહેશે અને ભંડારના બે પ્રતિનિધિઓ રહેશે. બીજા બધા બહાર રહેશે, પણ અંદર નહિ.
(૫) નવેલ જેને વારે હશે તે સેવક લેશે. જે પોઈને ભગવાનને નવી આની ચઢાવવાની હશે તો સેવક તે લાવશે અને રૂા. ૫-૪-૦ ભંડારમાં જમે કરાવશે. આવી રીતની રકમ જે તે બે કે ચાર પાસેથી લેશે તો તે સેવક ગુન્હેગાર ગણશે. જે તે પરચુરણ રકમોથી ઉપલી રકમ પૂરી કરશે તો તે ગુન્હેગાર નહિ ગણાય.
(૬) ભગવાનને જે મેટી આંગી કરાવશે તેની પાસે આરતી ઉતારાવીશું. વિ.
વિ. સં. ૧૯૦૬માં પંડાઓએ જે કરાર લખી આપ્યો છે, તેમાં ની કેટલીક બીનાઓ નીચે મુજબની છે –
(૧) ભગવાનને ઝવેરાતનાં કે બીજા જે દાગીનાં ચઢાવાશે, અને હાથી, ઘોડા કે બળ જે ભેટ અપાશે, તે બંડારમાં જશે. અમે તેના ઉપર હક્ક કરીશું નહિ.
(૨) ગામે, જમીને કે ઘોડાઓની હવેથી જે કોઈ ભેટ આપશે, તે ભંડારમાં જશે. કોઈ વ્યક્તિગત ભેટ આપશે તો તે જેને ભેટ અપાઈ હશે તે ભોગવશે.
આ કરારમાં તે ઘણી વિગતો છે અને તે આખા કરારની નકલ અમે અવસરે આ કેમોમાં રજૂ કરવાને ઇચ્છીએ છીએ. આટલી ટૂંકી વિગતો એટલા પૂરતી આપવામાં
For Private And Personal Use Only