Book Title: Jain_Satyaprakash 1947 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુગપ્રધાન લેખક N. જૈિન-શ્રમણ સંસ્કૃતિના પ્રખર તિર્ધર આય શ્રી વજસ્વામીની જીવનકથા]. ( ક્રમાંક ૧૩૩થી શરૂ : ગતાંકથી ચાલુ : આ અંકે પૂર્ણ ) [૧૩] દુષ્કાળમાં સંઘરક્ષા અને રાજાને પ્રતિબોધ રુકિમણીની દીક્ષાને વર્ષો વીત્યાં આર્ય શ્રી. વ્રજ સ્વામી દૂર સુદૂર પ્રાંતોમાં વિચરવા લાગ્યા. એક વાર તેઓશ્રો પોતાની પાસેની આકાશગામિ વિદ્યા વડે પૂર્વ તરફથી ઉત્તર પ્રાંતમાં પધાર્યા. આખા પ્રાંતમાં દુષ્કાળના ભીષણ એળા પથરાયેલા હતા. ગરીબ લેકાને પટપૂર ખાવાનું મળતું ન હતું. ઢોરો બિચારાં ભૂખ અને તરસથી પીડાતાં હતાં. મનુષ્પો પણ થાકયા હતા. બીજા વર્ષમાં વરસાદ પડશે, એ આશાએ બધા જીવતા હતા. ત્યાં બીજા વિશાખ-જેઠ અને અષાઢ મહિના આવ્યા અને વ્યા, પણ વરસાદનું બુંદ ન મળે. શ્રાવણ ને ભાદરવો પણ ખાલી ગયા. દેશમાં ત્રાહિ ત્રાહિ થઈ ગયું. શ્રીમંતે પણ ઊોદરી કરવા લાગ્યા. સત્રશાળાઓ બંધ થવા માંડી. નદીઓ, તળાવ, કૂવા અને પાનાં પાણી સુકાયાં. જૈન સંઘ પણ આ દુકાળના ભીવણુ શસલ માં ફસાયો હતો. એ દેશમાં વિચ રતા મુનિવરને પણ આહારપાણી મુશ્કેલીથી મળતાં હ . જૈન સંઘ વિનંતિથી આય વજ સ્વામીએ એક વિશાળ પટ્ટ વિકુર્તી, શ્રીસંઘને તેમાં બેસારી, જે પ્રાંતમાં સુકાળ હતો ત્યાં-જગન્નાથપુરીમાં શ્રીસંઘને લાવ્યા. રસ્તામાં શ્રીસંઘે અનેક સ્થાને જિનમંદિરોનાં દર્શન કર્યા; અને આચાર્યશ્રીને ધર્મોપદેશ સાંભળ્યો. પુરીને શ્રીધે નૂતન આવેલા શ્રીસંધનું ખૂબ જ પ્રેમ-સ્નેહ અને ભક્તિની સાધર્મિવાત્સલ્ય કર્યું, અને સ્વામિભકિતનો લાભ લીધે. એટલા માં પર્યુષ મહાપર્વને દિવો આવ્યા, અને શ્રીસંઘે અષ્ટાદ્વિકા મહેસૂવ કરવાનો નિર્ણય કર્યો. આ પ્રસંગે ના આવેલ શ્રીસંધના જાણવામાં આવ્યું કે, પુરીના ઉદ્યાનમાં પુષ્પો ઘણું જ ઉત્પન્ન થતાં હોવા છતાં, ત્યાંને રાજા બોદ્ધધર્મી હોવાના કારણે, જેટલાં ફૂ થાય છે તે બધાંયે બુદ્ધદેવની મૂર્તિ માટે લ જવામાં આવે છે અને એ મૂર્તિને ચઢેલાં લે જ બીજાંઓને મળે છે. વળી એ ચઢાવતાં જે ફૂલેને બચાવ થાય છે તે રાજા પિતે સુંઘીને પછી જ બીજાને આપે છે. એ રાજા પહેલાં તે બહુ જ ઉદાર, પરધર્મસહિષ્ણુ, તેમ જ ધર્મપ્રેમી હતો, પરંતુ બૌદ્ધ સાધુઓના ત્યાં આવ્યા પછી રાજાની ભાવના બદલવા માંડી. પુરીને જેન સંધ શ્રીમંત, ધર્માનુરાગી અને વીતરાગ પ્રભુનો પૂર્ણ ઉપાસક હતા એટલે ગમે તેટલું દ્રવ્ય ખચીને પણ વીતરાગદેવને ચડાવવા માટે કૂલે મેળવવા તૈયાર હતો, પણ રાજા ધર્માધ હોવાના કારણે પ્રભુ પૂજા માટે કદી ફુલ મળી નહીં શકતાં. બહારથી આવેલ શ્રી સંધ અને પુરીને શ્રીસંઘ એમ બન્ને સંઘોએ ભેગા થઈ આચાર્ય મહારાજ શ્રી. વાસ્વામીજીને વિનંતિ કરી, પિતાનું દુઃખ દૂર કરવા જણાવ્યું. આચાર્ય મહારાજશ્રીએ શાસનપ્રભાવનાનું કાર્ય સમજી બધાને શાંત રહેવા સમજાવ્યું, અને પોતે જ અપૂર્વ લે લાવી આપશે, એમ જણાવ્યું. જેન સંઘ રાજી રાજી થઈ ગયો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36