Book Title: Jain_Satyaprakash 1947 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પં. નંદિરત્નમણિના શિષ્ય પં.રતના મંડનગણિ [ લે. શ્રીયુત પં. લાલચંદ્ર ભગવાન ગાંધી, વડોદરા ] શ્રી જૈન સત્ય પ્રકાશના તા. ૧૫-૩-૪૭ના મત અંકમાં પં. અંબાલાલ પ્રેમચંદ શાહને જે લેખ “જાગુબંધ કાવ્ય સ્વરૂપ અને નારી નિરાસફાગના કર્તા' નામથી પ્રકટ થયેલ છે, તેમનું કેટલુંક વિધાન ગેરસમજ કરાવનાર હોવાથી અને મને ઉદ્દેશીને ત્યાં સૂચન હોવાથી તે સંબંધમાં સ્પષ્ટીકરણ કરવાની મહારી ફરજ સમજું છું, જેથી તે લેખક તથા બીજા વિચારક વાચકે યુક્તિયુક્ત પ્રામાણિક વિચારી સ્વીકારી શકે. - તે લેખમાં પૃ. ૧૬૭-૧૮માં પં. રત્નમંડન સંબંધમાં લાવતાં લેખકે જણાવ્યું છે કે- “ x x તેમ જ પં. લાલચંદભાઈની કંઈક સુધારાવાળી છતાં બીજી રીતની ભૂલની પરંપરાને ખ્યાલ આવે છે. શ્રીરનમંડનસૂરિ અને શ્રીરત્નમંદિરગણ્ય બંને ભિન્ન વ્યકિતઓ છે એવું પં લાલચંદભાઈનું કથન સાચું છે, પણુ બંને નદિરત્નના શિષ્યો નથી. શ્રીરત્નમંડનસૂર સોમસુંદરસૂરિના કે તેમના શિષ્ય સેમદેવસૂરિના શિષ્ય છે અને રત્નમંદિરમણિ સેમસુંદરસૂરિના રત્નશેખરસૂરિ, તેના મંદિરત્નના શિષ્ય છે. આ હકીકત બીજી રીતે પણ પુરવાર થઈ શકે તેવા છે. x x તેથી રત્નશેખરસૂરિના શિષ્ય નાદિરત્નના શિષ્ય રત્નમંદિરગણિ હતા, પણ રત્નમંડનસૂરિ નહિ, એટલું નક્કી કરી શકાય છે.” * * તેઓ નિશ્ચિતરૂપે શ્રીમદેવસૂરિના શિષ્ય હોવા જોઈએ. શ્રીસેમસુંદરસૂરિને રંગસાગરફાગ'માં મર્યા છે એ જોતાં તેઓ તેમના શિષ્ય અને સિમદેવસૂરિના ગુરુભાઈ પણ હોય.”—એ વગેરે સહસા વિધાન કરતાં લેખકે વિશેષ ગ્રન્થાવલોકન કરવા તસ્દી લઈ સ્થિર બુદ્ધિથી વિચારણા કરી હોત તો તેઓ એ ઉલ્લેખ કરવા ન પ્રેરાત અને સત્ય-પ્રકાશ આપી શકયા હેત. અસ્તુ. નીચેન પ્રમાણે જોતાં એ સત્ય સમજાશે–એવી આશા છે. પં. બંદિર–ગણિ. એ, તપાગચ્છાધિપતિ સમસુંદરસૂરિના શિષ્ય હતા (રત્નશેખરસૂરિના નહિ)-એમ તેમના શિષ્ય રતનમંદિરીએ વિ. સં. ૧૫૧૭માં રચેલા ભેજપ્રબંધના અંતમાં સૂચિત કર્યું છે -- “જ્ઞાતા શ્રીગુસોમસુન્દ્રાપુજા શ્રીમત્તવા છ– स्तत्पादाम्बुजषट्पदो विजयते श्रीनन्दिरत्नो गणिः । तच्छिष्योऽस्ति च रत्नमन्दिरगणिर्भोजप्रबन्धो नव __ स्तेनासौ मुनि-भूमि-भूत-शशभृत्-संवत्सरे निर्मितः ॥" – રત્નમદિરએ પિતાના ગ્રંથમાં એ મંદિરનગુનું સ્મરણ કર્યું છે, એ સાથે પિતાના ગુરુના ગુરુ સ્વગંવાસી ગચ્છનાયક સમસુંદરસૂરિનું અને ગ્રન્થ રચનાસમયે વિદ્યમાન ગચ્છનાયક તરીકે રત્નશેખરસૂરિનું પણ અરણ ત્યાં ત્યાં ઉચિત આચરણરૂપે કર્યું છે.--એ ઉપદેશતરંગિણીના આદિ-અંતના ઉલ્લેખો જેવા-વિચારવાથી સમજાય તેમ છે. – એવી રીતે પં. રત્નમંડનમણિના સુકૃત સાગર કાવ્યના પ્રારંભમાં જેવાથી જણાશે કે તેમણે પણ પૂર્વોક્ત પરમગુરુ, સદ્ગત ગચ્છનાયક સેમસુંદરસૂરિના પટ્ટધર વિદ્યમાન ગચ્છનાયક તરીકે રત્નશેખરસૂરિનું સ્મરણ કર્યા પછી મંદિરનગુરુનું પણ સ્મરણ કર્યું છે, એટલું જ નહિ, તે કાવ્યના પ્રત્યેક (૮) તરંગોના અંતમાં–ગ ઉલ્લેખમાં પણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36