Book Title: Jain_Satyaprakash 1944 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૨૯
અંક ૯] શ્રી જુગલકિશારજી મુખ્તારના મર્યાદા—ભંગ શ્વેતાંબર આગમાને અર્વાચીન સિદ્ધ કરવાના પ્રયાસ કરવા નહેાતા જોઇતા. જો મુખ્તારજીને આ વસ્તુની શાસ્ત્રીય, ઐતિહાસિક કે બૌદ્ધિક ચર્ચા જ કરવી હતી તેા તેને માટે તેમણે ખીજા કોઇ અવસરની શહ જોવી જોઇતી હતી. બાકી પેાતાના ઉત્સવમાં શ્વેતાંખોના સહકારની માગણી કરવી અને સાથે સાથે જ વેતાંખરાની માન્યતાનુ પેાતાને મનગમતી રીતે ખંડન કરવું–એ એ વાતા તા એવી છે કે પરસ્પર એક બીજાના નાશ કરી છે. અને શ્રી મુખ્તારજીએ એવી એ વાતાને એક સાથે મૂકીને નાહકને વટાળ ઊભેા કર્યો છે.
પાતાને ત્યાં ઉત્સવ માટે આમત્રેલ પાડાસી, સંબંધી કે સ્નેહીના તા દરેક રીતે સત્કાર જ થવા ઘટે; એ પ્રસંગે એના, પાતે માની લીધેલ, અવગુણુની કે એની સાથેના વિરાધની વાત સરખી ઉચ્ચારવી અઘટિત અને અસ્થાને લેખાય ! સાવ સાદી સમજમાં ઉતરી જાય એવી આ હકીકત શ્રી મુખ્તારજી જેવા ચતુર પડિત ન સમજી શકતા હાય એમ અમને નથી લાગતું. છતાં તેઓએ એવા પ્રયત્ન કર્યો છે તેના એક અર્થ તે અમને એમ લાગે છે કેપેાતાને અનુકૂળ લાગે ત્યાં સુધી શ્વેતાંબર વિદ્વાના અને આગેવાનાના સહકારની વાત કરવી અને પેાતાને પ્રતિકૂળ લાગે ત્યારે એ બધા માટે મનમાં આવે તેમ મર્યાદા ભૂલીને લખી નાખી તેમને ઉતારી પાડવા.
શ્રી મુખ્તારજીની આજ સુધીની પ્રવૃત્તિથી તા એમ જ જણાય છે કેપેાતાના આ પ્રચારની અવળી દિશા અને અસમયેાચિનતા હજીય તેમના ખ્યાલમાં આવેલ નથી, આશા રાખીએ કે વહેલા-મેાડા પણ તેમને પેાતાની આ ભૂલ સમજાય અને તે વધુ મર્યાદા-ભંગ કરતા અટકે !
-
શ્રી મુખ્તારજીની આ ભૂલ ભલે તેમને પેાતાને ન સમજાઇ હાય, પણ તેમની આ પ્રવૃત્તિ કવેળાની અને અસ્થાને છે એમ ખીજાઓને તા હવે લાગવા માંડયું છે. પહેલાં મથુરાથી અને હવે આગરાથી પ્રગટ થતા જૈન લદ્દેશ ’ નામક સાપ્તાહિકના તા. ૧૮-૫-૪૪ ના અંકમાં તેના તંત્રીએ આ માટે એક ખાસ નોંધ પ્રસિદ્ધ કરી છે, અને તેમાં મુખ્તારજીની આ પ્રવૃત્તિને અસ્થાને અને અકાળે બતાવી છે—એમ ભાવનગરના “ જૈન ’” સાપ્તાહિકના તા. ૪–૬–૪૪
ના અંકના અગ્રલેખ ઉપરથી જણાય છે.
આ સંબંધી વધુ ન લખતાં “ જૈન ” પત્રના ઉક્ત અગ્રલેખના અતિમ ભાગ નીચે આપી આ નોંધ પૂરી કરીએ છીએ :
“ ખીજી તરફ્ કમનસીષીની વાત એ બની કે વીરશાસન મહેાત્સવના એક ક ધાર અને અનેકાન્તના સંપાદકે વે. પર પરાભેદ ઉપર પ્રહાર કરવા માંડયા. એટલે ઊભી થએલી ગાંઠ વધુ સખત બની. · જૈન સંદેશ'ના તંત્રીને જ કહેવું પડયું છે કે: “ અનેકાન્ત ” પત્રે પેાતાના લેખમાં શ્વેતાંબર માન્યતાને
For Private And Personal Use Only