Book Title: Jain Satyaprakash 1940 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] ચ'પાપુરીકલ્પ [33] આ [નગરી]માં દધિવાહન રાજાની પુત્રી ચંદનબાળાએ જન્મ લીધા, જેણે કૌશાંખી નગરીમાં સૂપડાના મૃણામાં રહેલા અડદના બાકળા વધુ મહાવીર પ્રભુને પારણું કરાવ્યું. અને પાંચ દિવસ ઓછા છે જેમાં એવા છ માસના અંતે પ્રભુને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ અભિગ્રહને પૂર્ણ કર્યાં. આ (નગરી)માં પૃચ ́પાની સાથે શ્રી વીરપ્રભુએ ત્રણ ચતુર્માસ કર્યાં, આ [નગરીના જ વિસ્તારમાં શ્રી શ્રેણિક રાજાના પુત્ર કૂણિક એવા ખીજા નામવાળા અશાકચદ્ર રાજાએ રાજગૃહને પિતાના શાકથી છોડી દઇ નવીન ચ'પક પુષ્પા વડે સુશાભિત ચંપાને રાજધાની કરી. આ (નગરી)માં જ પાંડુ (રાજા)ના કુળને શે।ભાવનાર દાનેશ્વરીએમાં દૃષ્ટાંતરૂપ એવા કણ્રાન્ત રાજ્ય લક્ષ્મીનુ શાસન કરતા હતા. આજે પણ આ પુરીમાં તે તે શૃંગારચાક વગેરે (તેનાં) કીર્તિસ્થાને જોવાય છે. આ (નગરી)માં જ સમ્યગદૃષ્ટિને દૃષ્ટાંતરૂપ સુદન શેઠને દધિવાહન રાજાની રાણી અભયાએ સભાગ માટે ઉપસ કરતાં રાજાના વચનવડે વધ માટે લઇ જવામાં આવ્યા. પેાતાની અચલ શીલસંપત્તિના પ્રભાવથી આકર્ષિત થયેલા શાસનદેવની સહાયથી શુદ્ધી સેાનાનું સિહાસન બની ગઇ, અને તીક્ષ્ણ એવી તરવાર સુગ ંધિત પુષ્પની માળા બનીને મનને આનંદ આપનારી થઇ. આ [નગરી]માં શ્રીવીરપ્રભુના ઉપાસકેામાં આગેવાન, (જે) અઢાર કરેાડ સુવર્ણને સ્વામી, દશ હજાર ગાયા યુક્ત એવાં છ ગાકુળાના માલિક, અને ભદ્રાને પતિ શ્રેષ્ઠી કામદેવ હતા. જેને પૌષધશાળામાં રહેતાં મિથ્યાદષ્ટિ દેવે પિશાચ, હાથી અને સાપનાં રૂપો વડે ઉપસર્ગ કર્યા છતાં તે વ્યાકુળ ન થયા અને સમવસરણમાં ભગવાને (તેની) પ્રશ ંસા કરી. આ (નગરી)માં વિહાર કરતા એવા ચૌદ પૂર્વધર શ્રી શય્ય'ભવસૂરિએ રાજગૃહથી આવેલા મનક નામના પોતાના પુત્રને દીક્ષા આપી, તેનુ છ માસનું બાકી રહેલું આયુષ્ય શ્રુતજ્ઞાનના ઉપયાગ વડે નણીને તેને ભણવા માટે પૂર્વમાં રહેલું દેશવૈકાલિક સૂત્ર કાઢી બનાવ્યું. તેમાં આત્મપ્રવાદથી છ જીવનિકાય, કર્માંપ્રવાદથી પિણ્ડા, સત્યપ્રવાદથી વાકયશુદ્ધિ અને બાકીનાં અધ્યયના પ્રત્યાખ્યાનપૂર્વની ત્રીજી વસ્તુથી (કાઢયાં). આ (નગરી)માં રહેનાર કુમારનદી (નામને) સાની ગાઢ અગ્નિપ્રવેશથી પેાતાના વૈભવના એશ્વર્યાં વડે ધનના થયેલા ગર્વથી પરાજિત થતાં પાંચ પર્યંતનુ સ્વામીપણું મેળવીને પૂર્ણાંભવના મિત્ર અચ્યુત દેવ વડે ઉપદેશાતાં તેણે સુદર્ ગેાશીષ ચંદનવાળી, અલંકારોથી યુક્ત એવી જીવંત-સ્વામી દેવાધિદેવ શ્રીમહાવીરપ્રભુની મૂર્તિ બનાવી. આ નગરીમાં પૂર્ણભદ્ર (નામના) મંદિરમાં શ્રી વીરપ્રભુએ ઉપદેશ કર્યાં ક્રે-જે અષ્ટાપદ પર ચઢશે તે તે જ ભવે સિદ્ધિગતિ પામશે. આ (નગરી)માં પાલિત નામને શ્રી વીરપ્રભુને ઉપાસક (રહેતા) હતા. તેના પુત્ર ( જીએ પાનું ૩૬ ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54