Book Title: Jain Satyaprakash 1936 01 SrNo 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્યાદ્વાદ અને સર્વજ્ઞતા २२३ એટલે સર્વ વિજ્ઞાન અને તત્વજ્ઞાનના જ્ઞાતા તે જ સર્વજ્ઞ. એટલે કે તે જગતમાં સ્યાદાદ નથી, અનેક વિજ્ઞાને નથી, તત્ત્વજ્ઞાન નથી, અને સર્વિસ પણ નથી; અને જે લાખ કરે વિજ્ઞાને હોય, અને તે સર્વને સમન્વય કરનાર તત્ત્વજ્ઞાન હેય, અને તે સ્યાદ્વાદથી ગોચર કરાવનાર પણ હોય, તે અવશ્ય જગતમાં સર્વજ્ઞ સંભવ શકે છે. એટલે કે--તત્ત્વજ્ઞાનને જાણનારા સિવાયના માત્ર વૈજ્ઞાનં સર્વજ્ઞ ન જ હોઈ શકે સર્વજ્ઞ હોય તે જ તત્ત્વજ્ઞાની હોઈ શકે અથવા તે તત્વજ્ઞાની હોય તે સર્વત હોય છે. અને તેથી હું માનું છું કે જૈન દર્શન તત્ત્વજ્ઞાનમય છે; કેવળ વિજ્ઞાનમય - સ્વાદાદને આજે ખરા અર્થમાં સમજ એ સ્વાદની પહેલી પૂજા છે. તેમ જ જેમ જેમ આધુનિક વિજ્ઞાન ખીલતું જાય છે તેમ તેમ જૈન સિદ્ધાન્તો સાબિત થતા જાય છે, તે પણ અર્ધ સત્ય છે. કેમ કે એક નક્કી થઈ ગયેલી બાબતને ફરીથી શોધવા માટે શક્તિ, ધન અને સમયને વ્યય કરવો એ જગતને સત્યથી વંચિત રાખે છે. એટલે કે જગતમાં તેટલું નુકશાન થાય છે એ દેખીતું જ છે. એટલે હાલની શેઠેથી જૈન સિદ્ધાંતનાં કેટલાંક તો સાબત થતા હોય, તેટલા ઉપરથી જૈન દર્શનનું તત્ત્વજ્ઞાન દર્શનનું–માન સચવાતું નથી. જગતે મિથ્યા પ્રયાસ છોડીને એ સિદ્ધ મતને વળગીને આગળ ચાલવું જોઈએ, તેને બદલે તે ભાંડફેડમાં પડેલું છે. અને તcવજ્ઞાન-દર્શનને વળગેલાઓને પણ વિજ્ઞાનની આકર્ષક અને ઉત્તેજક વાતો કરીને તવજ્ઞાનથી દૂર કરે છે ! વાત આચાર્ય હરિભદ્રસૂરિ પણ કહે છે: --- છત્રવિદ્ધાર્થ પર્વતરવસુલ્તાવા . भीतं गंभीरमाहादि वाक्यं यस्य, स सर्वषिद् ॥१॥ एवं भूतं तु यशाक्यं जैनमेव, ततः स वै । सर्वज्ञो, नान्यः पतञ्च स्याद्वादोक्त्यैव गम्यते ॥२॥ पक्षपातो म मे वीरे, द्वेषो न कपिलादिषु ।। युक्तिमवचनं यस्य, तम्य कार्यः परिग्रहः ॥३॥ જેનું વાકય જગત્ અને શાસ્ત્ર (થીએરીઓTheory,) કરતાં વિરુદ્ધ અર્થ ન સમજાવતું હોય, સર્વ પ્રાણીઓને હિતકર હોય, માપસર હોય, ગંભીર અને આનંદદાયક હોય, તે સર્વજ્ઞ સમજવા. ૧. એવા પ્રકારનું જે વાક્ય, તે તો કેવળ ન વાકય જ છે, તેથી તે જ સર્વજ્ઞ છે, બીજા કોઈ સર્વજ્ઞ હોઈ શકે જ નહિ. આ વાત સ્યાદ્વાદની ઉક્તિથી જ સાબિત કરી શકાય છે. ૨. મને મહાવીર ઉપર પક્ષપાત નથી અને કપિલ વગેરે ઉપર વૈષ નથી. છતાં એટલું તે ખરું જ છે કે જેની વાત ક્રિયા હોય તેને સ્વીકાર તો કરે જ પડે ને ? ૩. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44