Book Title: Jain Sahityani Hitavah Disha
Author(s): Fattehchand K Lalan
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
View full book text
________________
(૨૬)
શ્રીયુત્ પંડિત લાલનનું ભાષણ.
ઉપસંહાર.
સજ્જને ! ચાર વેદની પેઠે જૈનસાહિત્યના પણ ચાર ભાગ છે. પ્રથમ દ્રવ્યાનુગ Philosophy of Religion, જેમાં તત્વજ્ઞાન, અધ્યાત્મજ્ઞાન, ન્યાયે જ્ઞાનના સાહિત્યને સમાવેશ થાય છે. બીજા ભાગમાં ચરણકરણાનુગ Conduct of Religion જેમાં ધર્મને આચારમાં ઉતારવાના સિદ્ધાંતને સમાવેશ થાય છે. ત્રીજો ભાગ કે જેને ધર્મકથાનુગ Demonstruation of Religion કહે છે. આ ભાગમાં ઉપર કહેલા બને અનુયોગના સિદ્ધાંતને અમલમાં મુકનારના ચરિત્રો હોય છે અને ચોથા ભાગ ગણિતાનુગ ne jain Cosmology ને છે. જેમાં ક્ષેત્રમાસ તથા જેન ભૂગોળ-ખગોળનો સમાવેશ થાય છે. આ ચારે ભાગના સાહિત્યને યથાવિધિ અભ્યાસ કરે છે જેને પરમાત્મવિદ્યા ( Theology ), 241421951, ( Psycology ), aurat ( Bosmology ), અને પરલોકવિદ્યા ( Estachology ) એ ચારે વિષયોને જૈન માન્યતા સંબંધીને નિર્ણય અભ્યાસીને જણાઈ આવે તેમ છે.
જૈન આગમમાંથી માત્ર મેં આચાર વિધાનવાળા સૂત્રોના ઉલ્લેખ કર્યો છે. જૈનના ન્યાય સાહિત્ય, તત્ત્વજ્ઞાન સાહિત્ય, ભાષાસાહિત્ય અને વિજ્ઞાન સાહિત્ય વિષે કુશળ જેને વિદ્વાનો આપણને વિશેષ કહેશે. મારા લેખમાં મેં ઉપદેશિક સાહિત્યનો ઉલ્લેખ કર્યો છે અને તેનું વર્ણન આ લોકમાં શુભ પ્રવૃત્તિ કરાવવાનું અને અધ્યાત્મ દ્વારા જીવનના અંતિમ સાધ્ય મોક્ષ કે મહાનંદ તરફ લઈ જવાનું છે એ જણાવ્યું છે. મારા લેખમાં ઘણું વ્રટીઓ રહેલી છે એમ હું જાણું છું, તથાપિ લેખ લખીને નિબંધ વાંચવાને આ મહારે પ્રથમ પ્રયાસ હોવાથી આપ ઉદારતાથી ક્ષમા કરશો. છેવટે મારે આ લેખને મારા જમને મિત્ર પ્રો. હરમન જેકેબીની જેમ સાહિત્યની પ્રગતિ વિષેની ગાથા ટાંકી સમાપ્ત કરૂં છું.
जिणपवयणं पसिद्धं, जंबुदिवम्मि चेव सव्वम्मि । कीत्ति जस्सं च अचिरा, पायवो सयल पुढविए ॥
इति शुभम्.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org