Book Title: Jain Katha Sangraha Part 02
Author(s): Kalyanbodhivijay, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 2
________________ બે શબ્દ.... પ્રસ્તુત “જૈન કથા સંગ્રહ' ભાગ-૧ ના પુન સંપાદનનો મુખ્ય સ્રોત છે પૂજ્યપાદ વૈરાગ્યદેશનાદા ગુરુદેવજી આ.શ્રી. વિજય રે હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજનું પ્રેરણાબળ તથા આશીવાદ.. ચાર અનુયોગ પૈકી કથાનુયોગ એ બધા જ પ્રકારના જીવો માટે તરવાનું એક સરળ ને અમોઘ સાધન છે. પૂર્વ મહાપુરષોના અદ્ભુત જીવન ચરિત્રના શ્રવણથી પણ પ્રમાદની ભેખડો તુટી પડતા અધ્યાત્મિક માર્ગે ઉત્ક્રાંતિ કરવાનું અનુપમ કૌવત પ્રગટ થાય છે. તે મહાપુરુષોનું આલંબન ધ્રુવતારાની ગરજ સારે છે. ને હુ પણ ક્યારે એ માર્ગે પ્રયાણ કરી તેમના જેવું આદર્શ જીવન હું પણ કેમ જીવી ન શકું? પરિષહો ને ઉપસર્ગોની વણઝાર વચ્ચે તેમના જેવું વીર્ય ને પરાક્રમ હું પણ કેમ ફોરવી ન શકું?” વિ.વિ. વિચારધારા. આદર્શ જીવન જીવવાની અંત:પ્રેરણા અર્પે છે... માટે જ કથાનુયોગની મહત્તા જૈન દર્શનમાં વિશેષ છે.. ને તેથી જ દીક્ષિત બનીને કઠોર જીવન જીવનારા ને છઠ્ઠા ગુણસ્થાનકવાળા મહાત્માઓએ સદાચારમય જીવન જીવનારા સુથાવકો ને સંકટોના વમળમાં પણ શીલવતને અખંડીત રાખનાર પતિવ્રતા મહાસતીઓના ચરિત્રો લખ્યા છે. એકબાજ કહેવાય છે કે “ગીહીણો વૈયાવડીયું ન મુજા” ગૃહસ્થોની વૈયાવચ્ચ ન કરવી અર્થાત્ તેના સંસર્ગમાં ન આવવું - તેની સાથે સંબંધ ન વધારવો - તેની વૈયાવચ્ચાદિ ન કરવા - ને બીજી બાજુ તેમના જ ચરિત્રો લખવાના ? આજ આ જૈનશાસનનો અનેકાંતવાદ છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 152