Book Title: Jain Gurjar Kavio Ek Bahumulo Sandarbh Bhandar
Author(s): Kanubhai Jani
Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf

View full book text
Previous | Next

Page 6
________________ જૈન ગૂર્જર કવિઓ– એક બહુમૂલો સંદર્ભ-ભંડાર ૨૧ એનો અર્થ એ કે એ લોકપ્રચલિત પંક્તિના ઢાળમાં એ રચના ગાવાની છે. રચના વૈયક્તિક હોય, ઢાળ-નિર્દેશતી પંક્તિ મોટે ભાગે લોકગીતની હોય. અહીં એવી ૨૩૨૮ પંક્તિઓ તેના મૂળના નિર્દેશ સાથે છે ! એ આ પુસ્તકનાં ૩૧૧ પાનાં રોકે છે. પછી. આખી-પાંખી ૧૨૩ દેશીઓ (મોટે ભાગે રાજસ્થાની) છે. છેલ્લે જેન કથાનામકોશ છે (પૃ.૩૨૮-૩પપ). આમ, છેલ્લાં ૨૭ પાનાં બાદ કરતાં, આ આખોયે ગ્રંથ દેશીઓના નિર્દેશથી ભરેલો છે. સાહિત્ય સિવાયના લોકસાહિત્ય અને સંગીત-લોકસંગીતના અભ્યાસીઓએ પણ જોયા વિના ન ચાલે એવો આ ખજાનો છે. દેશીનો ઉપયોગ કરનાર કર્તા-કૃતિનો કાળનિર્દેશ મોટે ભાગે અપાયો હોવાથી આ લોકઢાળ ઓછામાં ઓછો કેટલો જૂનો, કેટલા કાળ પહેલાંનો તે સ્પષ્ટ થાય છે. થોડાંક ઉદાહરણો ચાખીએ : દિવાળીબહેન ને હેમુભાઈ જેવાના સૂરો સ્મરણે પ્રગટાવે એવી દેશીઓ : • ગગરી લગત સીર ભારી ગગરી ઉતાર રે બનનારી! ક્રમાંક ૪૩૭ પૃ. ૬૩] • મારા વાલાજી હો! હું રે ન જાઉં મહી વેચવા રે લો! [૧૪૪૮ : ૧૯૬]. આ દેશીનો ઉપયોગ વીરવિજયે સં.૧૯૦૨માં કર્યો છે. તે પહેલાં (૨૨૮૨ : ૩૦૬) હંસર– સં. ૧૭૫પમાં. એટલે ઓછામાં ઓછા ત્રણસો વરસથીયે પહેલાંથી તો આ ગીત ગવાતું આવે છે. એક જ ઢાળ અનેકોએ વાપર્યો હોય તો એના ક્રમાંકો પણ પાસપાસે મૂકીને સંપાદકે તુલના કરવા ઈચ્છનારને સગવડ કરી આપી છે. “રઘુપતિ રામ રૂદામાં રહેજો રે [૧૬૧૮.૩૪ ૨૧૬ બસો વરસ પહેલાંનું છે. રૂડી ને રડીઆલી રે, વ્હાલા તારી વાંસળી રે [૧૭00 : ૨૨૭] પણ એટલું જ જૂનું. એ રાજસ્થાનમાં પણ પ્રચલિત હતું. (હજી હશે). એક દેશના અનેકાધિક પ્રયોજનોના નિર્દેશને કારણે પાઠાન્તરો પણ મળે છે. દા.ત. આ જ ગીત પાછું આમ છે : • રૂડી – લીયા સી [રઢિયાલી] વાહલા તારી વાંસલી રે તે તો માહરે મંદિરીયે સંભલાઈ ચિતડો આકુળવ્યાકુલ થાઈ રૂડી૦ | [(૮૩) : ૩૨૦] હવે નહિ જાઉંને સ્થાને સોએક વરસ પછીની રચનામાં ‘હવે નહિ આવું માડી વેચવા રે લો’ પણ થાય. લટકણિયામાં લોલને સ્થાને ઘણે સ્થળે કેવળ ‘લો છે. ક્યાંક વળી વચમાં ‘મા’નો ખટકો પણ છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12