________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
શ્રી જૈનધર્મ પ્રકાશ, નીતિ સંબંધી જ્ઞાન આપવામાં આવે છે. બહાર ગામથી અભ્યાસ કરવા આવનાર વિદ્યાર્થીને રહેવા માટે મકાન તથા ભેજન આપવામાં આવે છે અને જરૂર જણાય તે કપડાં પડીઓ વિગેરે પણ આપવામાં આવે છે.
આવી પાઠશાળા માટે મેટી રકમના ફંડની જરૂર છે. જે બાળકને ધર્મ પરાયણ રાખવાનું ઉત્તમોત્તમ સાધન આવી પાઠશાળાઓ છે કારણકે આ. જીપીકા નિમિત્તે સાંસારિક કેળવણું લેવાની દરેક બાળકને જરૂર પડે છે તે સાથે જે ધાર્મિક જ્ઞાનનું સીંચન કરવામાં આવે તો તે બાળક શ્રદ્ધાહીન ન થાય અને જૈનધર્મપર આસ્તાવાળો રહે.
- -
-
-
-
-
-
अत्यंत खेदकारक समाचार. શેઠ ફકીરભાઈ પ્રેમચંદનું અકસ્માત મૃત્યુ.
ફાગણ શુદિ ૧ બુધવારની બપોરના ત્રણ કલાકે આ જન વર્ગના આગેવાન અને નામાંકિત ગૃહસ્થનું માત્ર એક કલાકના અસહ્ય થી મુંબઈમાં તેમના મકાનમાં મરણ નીપજ્યું છે. આ ખબર બહાર પડતાં આખા મુંબઈમાં જ નહીં પણ બહાર ગામ દરેક શહેરમાં અને દરેક ગામમાં જનમની અંદર પારાવાર દિલગીરી ફેલાણી છે. આ ગૃહસ્થ અમારી સભામાં ૨૧ વર્ષથી સભાસદ થયેલા હતા અને ૧૪ વર્ષથી લાઈફ મેમ્બર હતા. એમના મૃત્યુથી જનકમે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. અમારી સભાને પણ મટી ખામી આવી પડી છે. આ ખબર ભાવનગર ખાતે આવતાં તરતજ અત્રેના સંધ એકત્ર થયો હ. અને દિલગીરી સૂચવનારો ખાસ સંદેશ શેઠ પ્રેમચંદભાઈ ઉપર અત્રેના સંધ તરફથી તેમજ અમારી સભા તરફથી મોકલવામાં આવ્યું હતું. અત્રેની શ્રાવક વર્ગની તમામ ૬ કાને આખે દિવસ બંધ રાખવામાં આવી હતી અને ગરીબો ખીચડું વહેચવામાં આવ્યું હતું. શેઠ પ્રેમચંદભાઈને તેમની વૃદ્ધાવસ્થામાં આ અસહ્ય તેમજ કારી ઘા લાગ્યો છે અને તેમના કુટુંબની દિલગીરીમાં ભાગ લેવા સાથે અંતઃકરણથી દિવસે જણાવીએ છીએ. શેઠ ફકીરભાઈએ મુંબઈમાં ભરાયેલી જનકેન્ફરન્સમાં ચીફ સેક્રેટરી તરિકે એવું પ્રશંસા પાત્ર કામ કર્યું છે કે જેથી તેઓ આખા હિદુસ્થાનમાં પૂર્ણ પ્રખ્યાત પામ્યા છે. એમની ખોટ એકાએક પૂરી પડે તેમ નથી; પરતું કાળીબમ હોવાથી અને ભાવી બળવાન હોવાથી જે બને તે સહન કર્યા સિવાય બીજો કોઈ પણ ઉપાય નથી. જેથી ભાવીને વશ થવું પડે. શાંતિ શાંતિ શાંતિઃ
For Private And Personal Use Only