Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 11 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માયા, १६७ વામાં રહેવા લાગ્યા, મરિચીએ આગળ જતાં તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું અને ચરમ તીર્થંકરની પદવી મેળવી, દશાર્ણભદ્ર રાજાએ તત્કાળ ચારિત્ર ગ્રહણ કરીને પોતાનો મદ ઉતારનાર ઈદને પગે લગાડે, શ્રેણિકરાજાએ જી વીરભગવંતની અત્યંત ભક્તિ કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું, રાનકુમાર ચક્રીએ રોગ ઉત્પન્ન થયા કે તરત શરિરને અનિત્ય જાણીને છ ખંડની ઋદ્ધિ તજી દઈ ચારિત્ર ગ્રહણ કર્યું અને રોગની ચિકિસાની પણ ઈચ્છા ન કરી, નણિ અધેિ ભોગાવળી કમેના ઉદયથી વેશ્યાને ત્યાં આવીને રહ્યા ખરા પરંતુ દરરોજ દશ દશ જણને પ્રતિબોધી શ્રી વીરભગવંત પાસે મોકલી ચારિત્ર ગ્રહણ કરાવ્યું અને પોતે પણ ભોગાવળી કર્મ પુરૂં થયું કે એકદમ સર્પ કંચુકવત વેસ્યાને તજી દઈ ચારિત્ર ગ્રહણ કરી આત્મ એય કર્યું અને સ્થળીભદ્ર મુનિ મહારાજાએ પણ પૂર્વના નેહવાળી કોશાવેશ્યાને ત્યાં જ ચતુમાસ કરી ત્રીકરણ શુદ્ધ વ્રતારાધન કર્યું અને ૮૪ ચોવીશી પર્યત નામ રાખ્યું. માટે એવા મહા પુરૂષે તો મદ કરીને પણ પાછું તેનું નિવારણ કરી શક્યા પરંતુ આપણુ જેવા અલ્પસવી પ્રાણીઓ નિવારણ કરી શકીએ એ તદન અશક્ય જ છે માટે કોઈ પણ પ્રકારનો મદ કરવો નહીં. કદાપિ કોઈ વખત કોઈ પ્રકારનું અભિમાન આવી જાય તો તે બાબતમાં અધિકતાવાળા પૂર્વે થઈ ગયેલા અથવા વત્તિમાને વતા પ્રાણુ ઉપર દષ્ટિ કરીને મનને પાછું વાળવું, અભિમાન ન કરવું. આ ઉપદેશ ખરેખર આત્મહિતકર છે. અપૂર્ણ. માથા, શ્રી મલ્લીનાથજી ચરિત્ર, અનુસંધાન પૃષ્ઠ ૧૫૧ થી. શ્રી મલીકુંવરીની માગણીને માટે બીજા દૂતના આગમનનું કારણું પૂર્વે કહ્યું છે. હવે ત્રીજ પૂર્વ ભવના મિત્ર રૂપી રાજાનો દૂત પણ તેજ વખત ત્યાં આવ્યો છે તેનું આગમન કારણ આ પ્રમાણે – - કુણાલાનાના દેશમાં સાવથ્થી નામે નગરી છે. ત્યાં ત્રીજા મીતનો જીવ રૂપી નામે રાજા થયો છે. તેની ધારિણે નામે રાણીની આત્મજા સુબાહુ નામે પુત્રી છે. અતિ રૂપવતી છે. સુકમાળ હસ્તપાદ છે. યૌવને કરીને For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20