Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નેમિદૂતસ. જન જળ ક્રીડા મહોત્સવ અમે જોયો હતો તે મહોત્સવની પાસે આ સુબાહુ પુત્રીને મજ્જનોત્સવ લાખમે ભાગે પણ નથી વધારે શું કહીએ તે મહેસવ પાસે આ મહોત્સવ કાંઈ ગણતીમાંજ નથી,” આ પ્રમાણેના તેના વચનને સાંભળીને પૂર્વ ભવનો સ્નેહ તત્કાળ પ્રાદુર્ભાવ પામ્યો અને મલીકુંવરીની ઉપર સરાગીપણું થયું. તરતજ શિધ્રકાર્યકારી દૂતને તેડાવીને પૂર્વના બંને રાજાઓની પેઠે રૂપી રાજાએ પણ આજ્ઞા કરી કે “હે દુત! તું શિધ્રપણે મિથીલા નગરીએ જા અને ત્યાંના કુંભ રાજાની પુત્રી ભલી કુંવરીની ભારે અર્થે યાચના કર." - દૂત તરતજ સ્વામીની આજ્ઞાને પામીને યોગ્ય પરિવાર સાથે રથમાં બેસી ત્યાંથી નીકળ્યો અને અનુક્રમે મિથીલા નગરીએ આવ્યો. ઈતિ તૃતીયદુતાગમન. અપૂર્ણ. श्रीविक्रम कवि विरचितं. नेमिदूतम्. (સમર માનતા પુ.) (અનુસંધાન અંક બીજાને પાને ૩૧ થી.) पौरैस्तस्यां रथमुपहृतं रम्यमास्थाय यान्तं द्रष्टुं ग्राम्या:पथि युवतयस्स्वामुपैष्यन्ति तस्मात् । शब्दैस्तत्र स्खलदुपलजैरर्थिसार्थिकृतश्री स्तोयोत्सर्गस्तनितमुखरो मा च. भूविक्लवास्ताः ॥४१॥ પિરોએ અપંત રમણિકે જે રથે બેસિ જાતા, જેવા ગ્રામ્ય યુવતિ તમને આવશે માર્ગમાં ત્યાં; અર્થમાં સાર્થક ધન કર્યું તેથી પાષાણુ શબ્દ વૃષ્ટિ સાથે સ્વનિતવત્ હી બોલશો ભીરૂ તે છે. ૪૧ ૪૧ તે નગરીમાં નગરીના લોકોએ અર્પણ કરેલા રમણિક રથમાં બેસીને રસ્તામાં ચાલતા તમને ગામડાની યુવતીઓ જેવાને આવશે. તેથી વાચકોમાં લક્ષ્મીને સાર્થક કરનારા તમે પાષાણની સાથે અથડાવાથી થયેલા શબ્દોથી વૃષ્ટિ સહિત મેઘની ગર્જનાની પેઠે બોલશે નહીં કારણ કે તે સ્ત્રીએ બીકણ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20