________________
હું કોણ છું?
આવ્યું અપૂર્વ ભાત ! આને શ્રીમદ્ રાજચંદ્ર શું કહે છે ? કે “સદ્ગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.” પૂર્વે દેહાધ્યાસનું જ ભાન હતું. પૂર્વે દેહાધ્યાસ રહિતનું ભાન અમને હતું નહીં. તે અપૂર્વ ભાન તે આત્માનું ભાન અમને આવ્યું. જે પોતાનું નિજપદ હતું કે “હું ચંદુભાઈ છું” એમ બોલતો હતો, એ હવે ‘હું નિજમાંહી બેસી ગયું. જે નિજપદ હતું, તે નિજમાં બેસી ગયું અને જે અજ્ઞાન હતું, ‘હું ચંદુભાઈ છું’ એ અજ્ઞાન દૂર થઈ ગયું.
એ દેહાધ્યાસ કહેવાય ! આખા જગતને દેહાધ્યાસ છૂટે નહીં અને પોતાના સ્વરૂપમાં રહી શકે નહીં. આ તમે સ્વરૂપમાં રહ્યા એટલે ઈગોઈઝમ ગોન, મમતા ગઈ. ‘હું ચંદુભાઈ છું’ એ દેહાધ્યાસ કહેવાય અને “હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ બેઠું ત્યાંથી કોઈ જાતનો અધ્યાસ ના રહ્યો. હવે કશું રહ્યું નથી. તો ય ભૂલચૂક થાય ને, તો સહેજ ગૂંગળામણ થાય.
શુદ્ધાત્માપદ શુદ્ધ જ ! એટલે આ “જ્ઞાન” લીધા પછી પહેલાં જે ભ્રાંતિ હતી કે ‘હું કરું છું', એ ભાન તૂટી ગયું. એટલે શુદ્ધ જ છું, એ ભાન રહેવા માટે શુદ્ધાત્મા કહ્યો. ગમે તેવું થાય કોઈની જોડે, ચંદુભાઈ ગાળો ભાંડી દે, તો ય તમે શુદ્ધ છો. પછી “આપણે” ચંદુભાઈને કહેવું જોઈએ કે ‘ભઈ, આમને દુ:ખ થાય એવું શું કરવા અતિક્રમણ કરો છો ? માટે પ્રતિક્રમણ કરો.”
કો'કને દુઃખ થાય એવું કંઈક બોલી ગયા હોય, ત્યારે એ અતિક્રમણ કર્યું કહેવાય. ત્યારે એનું પ્રતિક્રમણ કરવું જોઈએ.
પ્રતિક્રમણ એટલે તમને સમજણ પડે એ રીતે એની માફી માંગવાની છે. આ દોષ કર્યો એ મને સમજાયો ને હવે ફરી આવો દોષ નહીં કરું એવું ડીસાઈડ કરવું જોઈએ. આ આવું કર્યું તે ખોટું કર્યું, આવું ના થાય,
હું કોણ છું ? પાછો આવું ફરી નહીં કરું, એવી પ્રતિજ્ઞા લેવાની. છતાં ય પાછું ફરી થાય અને ફરી એનો એ જ દોષ આવે તો ફરી પસ્તાવો કરવાનો, પણ જેવું દેખાયું એનો પસ્તાવો કર્યો, એટલું ઓછું થઈ ગયું, એમ ધીમે ધીમે ખલાસ થઈ જાય છેવટે.
પ્રશ્નકર્તા : એટલે (કોઈ પણ) વ્યક્તિ માટે પ્રતિક્રમણ કેવી રીતે કરવાના ?
દાદાશ્રી : મન-વચન-કાયા, ભાવકમ-દ્રવ્યકર્મ-નોકર્મ,(એ વ્યક્તિનું) નામ તથા તેના નામની સર્વ માયાથી, નોખા એવા એના શુદ્ધાત્માને સંભારવાના, ને પછી આવી ભૂલો કરેલી તે યાદ કરવાની (આલોચના), તે ભૂલો માટે મને પશ્ચાતાપ થાય છે અને તેની માટે મને ક્ષમા કરો (પ્રતિક્રમણ), તેવી ભૂલો નહીં થાય એવો દ્રઢ નિશ્ચય કરું છું, એવું નક્કી કરવાનું (પ્રત્યાખ્યાન). “આપણે” પોતે ચંદુભાઈના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ અને જાણીએ કે ચંદુભાઈએ કેટલાં પ્રતિક્રમણ કર્યા, કેટલાં સુંદર કયાં અને કેટલીવાર કર્યો.
પ્રજ્ઞા મહીંથી ચેતવે ! આ વિજ્ઞાન છે એટલે આપણને તેનો અનુભવ થાય અને મહીં અંદરથી જ ચેતવશે. હવે પેલું તો આપણે કરવા જવું પડે અને આ અંદરથી જ ચેતવે.
પ્રશ્નકર્તા : હવે અંદરથી ચેતવણી મળે છે એ અનુભવ થયો છે.
દાદાશ્રી : હવે આપણને આ માર્ગ મળી ગયો અને શુદ્ધાત્માની જે બાઉન્ડ્રી છે, તેનાં પહેલાં જ દરવાજાની અંદર પ્રવેશ થઈ ગયો. જ્યાંથી કોઈ પાછું ન કાઢી શકે. કોઈને પાછાં કાઢવાનો અધિકાર નથી, એવી જગ્યાએ તમે પેઠા !
વારે ઘડીએ ચેતવ ચેતવ કોણ કરે છે ? પ્રજ્ઞા ! “જ્ઞાન” મળ્યા સિવાય પ્રજ્ઞાની શરૂઆત થાય નહીં. અગર તો સમકિત થયું હોય તો