________________
૪૩
હું કોણ છું? નથી. ખુદ ‘દાદા ભગવાન'ની, જે ચૌદલોકનો નાથ છે, એમની આજ્ઞા છે. એની ગેરેન્ટી આપુ છું. આ તો મારી મારફત બધી વાત નીકળી છે આ. એટલે તમારે એ આજ્ઞા પાળવાની. મારી આજ્ઞા નથી, એ દાદા ભગવાનની આજ્ઞા છે. હું ય એ ભગવાનની આજ્ઞામાં રહું છું ને !
- જય સચ્ચિદાનંદ
હું કોણ છું? પાળવી છે એવું નક્કી જ કરવાનું !
આપણા જ્ઞાનમાં તો મોક્ષ થવાનો જ છે. જો કદી આજ્ઞામાં રહેશે ને, તો એનો મોક્ષ થશે. એમાં બે મત જ નથી. પછી ના પાળતો હોય તો એણે કો'ક દહાડો જ્ઞાન લીધેલું છે ને, તે ઊગ્યા વગર રહેવાનું નથી. એટલે લોકો મને કહે છે, “કેટલાક જ્ઞાન પામેલા છે તે આજ્ઞા નથી પાળતા તેનું શું ?” મેં કહ્યું, ‘એ તારે જોવાની જરૂર નથી. એ મારે જોવાની જરૂર છે. જ્ઞાન મારી પાસેથી લઈ ગયા છે ને ! તને ખોટ ગઈ નથી ને !” કારણ કે પાપો ભસ્મીભૂત થયા વગર રહે નહીં. જગ્યા મહીં પોલી થઈ ગઈ. આ અમારા પાંચ વાક્યોમાં રહો તો પહોંચી વળાય. અમે નિરંતર પાંચ વાક્યોમાં જ રહીએ છીએ અને અમે જેમાં રહીએ છીએ તે તમને દશા આપી છે. આજ્ઞામાં રહેવાય તો કામ થાય. પોતાના ડહાપણે લાખ અવતાર માથા ફોડે તો કશું વળે નહીં. આ તો આજ્ઞા પણ પોતાના ડહાપણે કરીને પાળે, આજ્ઞા પાછી સમજે પોતાની સમજણે જ ને ! એટલે ત્યાં ય પછી થોડું થોડું લીકેજ થયા કરે બધું. છતાં ય એ આજ્ઞા પાળવા પાછળ એનો પોતાનો ભાવ તો એવો છે જ કે “આજ્ઞા પાળવી છે.’ માટે જાગૃતિ જોઈએ.
(૫)
આજ્ઞા પાળવાની ભૂલી જાય તો પ્રતિક્રમણ કરવું. ભૂલી તો જાય, માણસ છે. પણ ભૂલી ગયા તેનું પ્રતિક્રમણ કરવું કે “હે દાદા, આ બે કલાકે ભૂલી ગયો, આપની આજ્ઞા ભૂલી ગયો. પણ મારે તો આજ્ઞા પાળવી છે. મને માફ કરો.” તો પાછલું બધું ય પાસ. સોએ સો માર્ક પુરા. એટલે જોખમદારી ના રહી. આજ્ઞામાં આવી જાય તો આખું વર્લ્ડ અડે નહીં. અમારી આજ્ઞા પાળો એટલે તમે કશું અડે નહીં. આજ્ઞા આપનારને ચોટે ? ના, કારણ કે એમને પરહેતુ માટે છે, એટલે એમને અડે નહીં ને ડીઝોલ્વ થઈ જાય.
આ તો છે ભગવાનની આજ્ઞા !! દાદાની આજ્ઞા પાળવી એટલે એ “એ. એમ. પટેલની આજ્ઞા
નિત્યક્રમ પ્રાત:વિધિ
(દિવસમાં એકવાર વાંચવું) શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર. - વાત્સલ્યમૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર.
પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. પ્રગટ જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમશક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. (૫) ત્રિમંત્ર | (સવાર-સાંજ જ પાંચ વખત બોલવા.) તવ કલમો
(દિવસમાં ત્રણવાર વાંચવું.) ૧. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્માને કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્વાવાદ મનન કરવાની પરમ
શક્તિ આપો. ૨. હે દાદા ભગવાન ! મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન