Book Title: Gyan Sanstha Sangh Sanstha
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૦૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના અહીં આવી ન હતી, ત્યારે પણ કાઈ એક નવા ગ્રંથ રચાયે કે તરત જ તેની સેંકડા નકલે થઇ જતી અને દેશના અધે ખૂણે વિદ્વાનામાં હેંચાઈ જતી. આ રીતે, જૈન સપ્રદાયમાં જ્ઞાનસંસ્થાની ગંગા અવિચ્છિન્નપણે વહેતી આવી છે. વંદા, ઉધઇ અને ઉંદરા તેમજ ભેજ, શરદી અને ખીજાં કુદરતી વિધ્ના જ નહિ, પણ ધર્માધ યવને સુદ્ધાંએ આ ભંડારા ઉપર પોતાનેા નાશકારક પંજો ફેરવ્યા, હારી ગ્રંથૈા તદ્દન નાશ પામ્યા, હજારા ખવાઈ ગયા, હારા રક્ષાની અને ખીજાઓની ખેપરવાઈથી નષ્ટભ્રષ્ટ થઈ ગયા, છતાં જ્ઞાન તરફની જીવતી જૈનક્તિને પરિણામે આજે પણ એ ભંડારા એટલા બધી છે, અને એમાં એટલું બધું વિવિધ તેમ જ જૂનું સાહિત્ય છે કે, તેમ અભ્યાસ કરવા માટે સેંકડા વિદ્વાને પણ એછા જ છે. પરદેશના અને આ દેશના, કાડીબંધ શેાધકા અને વિદ્વાનાએ આ ભંડારાની પાછળ વર્ષો ગાળ્યાં છે, અને એમાંની વસ્તુ તથા એને પ્રાચીનરક્ષાપ્રબંધ જોઇ તે ચક્તિ થયા છે. વર્ષો થયાં કેાડીબંધ છાપખાનાંઓને જૈન ભડારા પૂરતા ખારાક આપી રહ્યા છે, અને હજી પણ વર્ષો સુધી તેથી વધારે ખારાક પૂરા પાડશે. ભડારા જેમ નામમાં તેમ સ્વરૂપમાં પણ હવે બદલાયા છે. હવે પુસ્તકાલયેા, લાયબ્રેરી, જ્ઞાનમદિરા અને સરસ્વતીમંદિરાનાં નામ તેઓએ ધારણ કર્યા છે, અને કલમને બદલે ખીબામાંથી લખાઈ, નવે આકારે બહાર પડતાં જાય છે. ભંડારાની જૂની સંગ્રાહક શક્તિ હજી પુસ્તકાલયેામાં કાયમ છે. એટલું જ નહિ પણ તે, જમાનાના જ્ઞાનપ્રચાર સાથે વધી છે. તેથી જ આજનાં જૈન પુસ્તકાલયા જૂના જૈન ગ્રંથા ઉપરાંત આધુનિક, દેશી, પરદેશી અને બધા સપ્રદાયાના સાહિત્યથી ઉભરાતા ચાલ્યા છે. બ્રાહ્મણ સંપ્રદાયના અને જૈન સંપ્રદાયના ભંડારા વચ્ચે એક ફેર છે, અને તે એ કે બ્રાહ્મણના ભંડારા વ્યક્તિની માલિકીના હાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9