Book Title: Gyan Sadhna Ane Sarasvati Vandana
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 159
________________ ૨૪. જ્ઞાનસાર અષ્ટક શાન અમોહી બન્યા એટલે જ્ઞાની બન્યા. આત્મા પરથી મોહનું આવરણ દૂર થાય એટલે જ્ઞાનનો પ્રકાશ પ્રગટે. અ-મોહનું જ્ઞાન ભલે એક જ શાસ્ત્રનું હોય, એક જ શ્લોક કે એક જ શબ્દનું હોય, એ એને નિર્વાણ પમાડનારું બની જાય છે. આત્મસ્વભાવ તરફ દૃષ્ટિ ખોલી આપે એ જ્ઞાનને જ્ઞાન કહ્યું છે. વાદવિવાદ અને વિસંવાદ જગાડનારા જ્ઞાનને જ્ઞાન કહ્યું નથી. અમોહી આત્મા વાદવિવાદથી દૂર જ રહેતો હોય છે. मज्जत्यज्ञ: किलाज्ञाने विष्टायामिव शूकरः । જ્ઞાની નિમજ્ઞાતિ જ્ઞાને માત્ર રૂવ માનસે શા //રૂપા અર્થ: જેમ ડુક્કર વિષ્ટામાં મગ્ન થાય છે તેમ અજ્ઞાની ખરેખર અજ્ઞાનમાં મગ્ન થાય છે. જેમ હંસ માનસ સરોવરમાં નિમગ્ન થાય છે તેમ જ્ઞાની પુરુષ જ્ઞાનમાં નિમગ્ન થાય છે. निर्वाणपदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः । તવજ્ઞાનમુદ્દે નિર્વત્થો નાસ્તિ મૂસા ારા રૂકો ૧૨૬ જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166