Book Title: Gujarati Sahityano Itihas Part 04
Author(s): Umashankar Joshi & Others
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 570
________________ પ્ર. ૧૪] ઝવેરચંદ મેઘાણી [ ૫૬૧ કટાર કલમ અને કિતાબ'માં પ્રસિદ્ધ થયેલા સાહિત્ય અને જીવનવિષયક લેખા છે. તેમના વિવેચનલેખામાં દેશપરદેશના કલાકારા-સાહિત્યકાર અને તેમની કૃતિઓના પરિચયે ; ‘પ્રગતિવાદ’ જેવાં આંદેલના પ્રત્યેના તેમના પ્રતિભા વે; ગુર્જર સાહિત્યકારો વિષેની નોંધેા; સાત ગુજરાતી નવલકથાએ, સાત ગુજરાતી કાવ્યસંગ્રહા અને પંદર ગુજરાતી નવલિકાસંગ્રહેાની સમીક્ષા અને સાહિત્યની સીમારેખાને સ્પર્શતા પ્રશ્નોની વિચારણાને સમાવેશ થાય છે. મેઘાણીનું વિવેચન તાત્ત્વિક દૃષ્ટિએ નહિ પણ સામાન્ય વાચકને પેાતાના રસાસ્વાદના ભાગીદાર બનાવવાના અને લેાકરુચિને સાહિત્યાભિમુખ બનાવવાના આશયથી થયું છે. ‘સાંખેલાના સૂર’ (૧૯૪૪) ‘શાણા'ના ઉપનામથી લખાયેલા કટાક્ષપ્રધાન લેખાને સંગ્રહ છે. આ ઉપરાંત તેમણે એશિયાનુ` કલંક', ‘હંગેરીનેા તારણહાર' વગેરે દી ઇતિહાસલેખા અને નરવીર લાલાજી', ‘ઠક્કરબાપા', ‘દયાનંદ સરસ્વતી’ વગેરેનાં લઘુ જીવનચરિત્રોની પ...દરેક પુસ્તિકાઓ પ્રકાશિત કરી છે. પત્રકારત્વ એ મેધાણીના જીવન અને સાહિત્યનું એક અનિવાયં અંગ છે. ૧૯૨૨માં ‘સૌરાષ્ટ્ર'માં જોડાયા ત્યારથી માંડીને ૧૯૪૫માં ‘ફૂલછાબ'માંથી નિવૃત્ત થયા ત્યાં સુધી, ટ્રેંકા સમયગાળાને બાદ કરતાં, તે વૃત્તપત્રો સાથે સફ્ળાયેલા રહ્યા હતા. પત્રકારત્વના વેરાનથી તે કયારેક અકળાયા હોવા છતાં તેને અનિવાય જીવનધર્મ માનીને સાહિત્યદીવી'ના તેજે એ યાત્રામાં ઊલટભેર આગળ વધ્યે ગયા હતા. આ લેાકપ્રેમી સાહિત્યકાર માટે પત્રકારત્વ જીવન અને સાહિત્યને જોડનારી સેતુબંધ જ બની ગયું હતુ. એક બાજુ પત્રકારત્વને તેમણે સાહિત્યરંગી તાર' આપ્યા તા ખીજી બાજુ સાહિત્યક્ષેત્રે લેાકેા સુધી પહેાંચવાની પત્રકારની વૃત્તિ-દષ્ટિની મર્યાદા આપમેળે સ્વીકારી લીધી. તેમનુ સંપાદન-સર્જન-વિવેચન વૃત્તપત્રાને ઉપક્રમે જ થયું છે. તેમની રામૅન્ટિક ગદ્યટામાં પણ પત્રકારત્વના રંગ ભળેલા છે. વિ. મ. ભટ્ટે તા તેમને પત્રકારી જમાતના સાહિત્યકાર' તરીકે જ ઓળખાવ્યા છે. ૧૭ સાહિત્યિક કારકિર્દીની શરૂઆતથી તે અંત સુધી અનુવાદ-અનુસર્જનની તેમની પ્રવૃત્તિ ચાલુ રહી છે. તે આ પ્રવૃત્તિને મૌલિક સર્જન જેટલી જ મૂલ્યવાન માને છે. ખલકે, એ બેની વચ્ચે કાઈ તાત્ત્વિક ભેદરેખા હાય એમ પણ તે માનતા નથી. સંપાદન, કવિતા, નવલકથા, નવલિકા આ દરેક ક્ષેત્રે તેમણે રૂપાંતરા-અનુસર્જના આપ્યાં છે, જેની આપણે યથાસ્થાને તૈાંધ લીધી જ છે. મૂળ કૃતિની લગાલગ ચાલનારા અનુવાદ્ય તેમણે માત્ર નાટકના ક્ષેત્રે જ આપ્યા છે. તેમણે દ્વિજેન્દ્રલાલ રાયનાં નાટકા પરથી ‘રાણા પ્રતાપ' (૧૯૨૩) તથા ‘શાહજહાં’ ગુ. સા. ૩૬

Loading...

Page Navigation
1 ... 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658