Book Title: Gujarati Sahitya ma Jain Bhakti kavyo
Author(s): Pannalal R Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 7
________________ ગુજરાતી સાહિત્યમાં જૈન ભકિતકાવ્યો ઃ ૧૪૧ ઉપાલંભ આપતાં જ આપણને સનાતન સત્ય આપ્યું : “દુ:ખ વેળા હો વિરલા સંસાર !' તો યશોવિજયજી (સામાન્ય રીતે “વાચકજશ”ના નામે ઓળખાતા) ત્યારે ભક્તિમાં લીન બને છે ત્યારે પરિણામ સારુ કેવી અધિરાઈ દાખવે છે તે જુઓ : કરજેડી ઊભો રહું રાત-દિવસ તુમ ધ્યાને રે, જે મનમાં આણ નહિ તો શું કહીએ છાની રે ? સંભવ જિનવર વિનતિ. ચિદાનંદજીનો નીચેનો ઉપાલંભ જુઓ. તેમાં તેઓ પોતાની આજસુધીની પરિસ્થિતિ માટે ઈશ્વરને જ જવાબદાર ઠરાવે છે–પોતાની ન્યૂનતાના સ્વીકાર સાથે ! મોહ મહામદ છાકથી હું છકિયો હો નાહીં સૂધ લગાર, ઉચિત સહી ઇણ અવસરે સેવકની હો કરવી સંભાળ, પરમાતમ પૂરણ કળા. આ પણ જ્યારે ભક્તને એમ લાગે છે કે અન્યની ભકિતથી ઈશ્વર રીઝે છે અને કદાચ પોતાની ભક્તિમાં ખામી જેવું જણાતું હોય ત્યારે ઈશ્વરને કેવી ચેતવણી અપાય છે તે જુઓ : સેવા ગુણો ભવિજનને જો તમે કરો બડભાગી, તો તમે સ્વામી કેમ કહેવાશો નિર્મમ ને નિરાગી ? - હો પ્રભુજી ! ઓળભડે મત ખીજે. તો આપણું પ્રિયતમ કેવો સ્વાર્થી છે એ જોવા આપણે ફરીથી ચિદાનંદજીનો સમ્પર્ક સાધીએ : સર્વ દેશ-ઘાતી સહુ અંઘાતી હો કરી ઘાત દયાળ, વાસ કિયો શિવમંદિરે મોહે વિસરી હો ભમતો જગજાળ, પરમાતમ પૂરણ કળા. પણ મનુષ્યની શક્તિને મર્યાદા છે, એ વાત કવિઓ પણ વિસરી ના શકે. આપણાથી ઈશ્વરની સંપૂર્ણ કક્ષાએ પહોંચી ન શકાય તો એનો એકાદ અંશ પણ ભાગી લેવાનો લોભ જતો કેમ કરાય ? (આપણા સ્વભાવની વિરુદ્ધ): નાણું રમણ પામી એકાંતે થઈ બેઠાં મેવાસી, તેહ માંહેલો એક અંશ જે આપો તે વાતે શાબાશી, હો પ્રભુજી! ઓળંભડે મત ખી. ૬ મુજને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12