Book Title: Gujarati Sahitya ma Jain Bhakti kavyo
Author(s): Pannalal R Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
View full book text
________________
૧૪૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહાત્સવ ગ્રન્થ
(
જૈનોમાં મનુષ્ય મરણપથારીએ હોય ત્યારે ખાસ કરીને ધાર્મિક રિવાજોમાં પુણ્ય-પ્રકાશ ’નું સ્તવન સંભળાવાય છે. આ સ્તવનમાં દુર્લભ માનવદેહની સફળતા ક્યારે થાય, આપણે શું કર્યું, વગેરેની સરવાળા-બાદબાકી છે. જિંદગીના ધન્ય દિવસો ક્યા ? એના જવાબ માટે નીચેના ભાવવાહી સ્વરો ગુંજાવો : ધન ધન તે દિન માહરો જિહાં કીધો ધર્મ......
તો શ્રીમદ્ રાજચંદ્ર આપણા જેવા માટે એવો ધન્ય દિવસ ક્યારે આવે એની તીત્ર ઇચ્છા વ્યક્ત કરે છે :
અપૂર્વ અવસર એવો કયારે આવશે ? કયારે થઈશું બાહ્યાંતર નિશ્ર્ચય જો ? સર્વ સંબંધનું બંધન તિક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહત્પુરુષને પંથ જો ?
ઊર્મિ વસ્તુ જ એવી છે કે જે અનુભવ વિના સમજાતી નથી. જે લોકો ઊર્મિ-વિહીન હોય છે, જેમણે પ્રેમાનુભાવ કર્યો નથી હોતો, તેઓ સામી વ્યક્તિની લાગણી સમજી શકતા નથી એટલે લાગણી-વેડા કહી તિરસ્કારે છે, પણ ખરી વસ્તુ તો અનુભવે જ સમજાય છે. જુઓ :
રહસ્યોનો જ્ઞાતા અનુભવથી કયારે થઈશ હું ?
એટલે નાતા પણ અનુભવથી થવાની ઇચ્છા વ્યક્ત કરી.
અનુભવથી જ્ઞાતા થવાની વાત રુચિ; પરંતુ અનુભવ કોણ કરી શકે? ચિદાનંદજી આપણને પ્રત્યુત્તર આપે છે ઃ
પરમાતમ પૂરણ કળા.
જૈન કવિઓની વિશિષ્ટતા જોયા પછી જૈન અને અન્ય કવિઓ વચ્ચે સમાનતા જોઈ એ. જૈન તેમ જ જૈનેતર કવિઓએ અમુક વિષયનું નિરૂપણ બહુ સ્પષ્ટતાથી કર્યું છે, છતાં એક જ હકીકતને જુદી જુદી ઢબથી સહુએ પોતપોતાની આગવી કવિતા-શક્તિથી આલેખી છે. મુસાફિર ધોર નિદ્રામાં છે એ માટે જુઓ :
g થોડી.
પણ તુમ દરિશણુ યોગથી
થયો હૃદયે હો અનુભવ પરકાશ,
ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રૅન કહાઁ જો સોવત હૈ ? જે સોવત હૈ વહ ખોવત હૈ, જો જાગત હૈ વહ પાવત હૈ. ચિદાનંદજીનું પદ એની સાથે હવે સરખાવો :
રેન રહી અબ થોરી.છ જાગ જાગ તું નિંદ ત્યાગ દે
હોત વસ્તુકી ચોરી, મંજિલ દૂર ભર્યો ભવસાગર, માન ઉર, મતિ મોરી,
.
Jain Education International
અનુભવ અભ્યાસી કરે દુઃખદાયી હો સર્વિ કર્મ વિનાશ,
८ મારી.
For Private & Personal Use Only
www.jainelibrary.org