Book Title: Gramodyog Kalpavruksha Che
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૯૨ • સંગીતિ ઉપાડી લેવાં જોઈએ. શાળાનો કચરો સાફ કરવો, બારીબારણાં ઝાપટીને ચોખ્ખાં કરવાં, પીવાના પાણીનાં માટલાં ધોવાં, પાણી પીવાના પ્યાલા વગેરે સાફ કરવા, શિક્ષકોને બેસવાનાં આસનો તથા વિદ્યાર્થીઓને બેસવાના આસનો ધ્યાન દઈને સાફ કરવાં. જેમ જેમ શિક્ષણ વધતું જાય અને છાત્ર તથા છાત્રાઓની ઉંમર વધતી જાય તેમ તેમ ઉદ્યોગો પણ બદલાતા રહેવા જોઈએ અને તેનાં સાધનો પણ શાળામાં ઉપલબ્ધ હોવાં જોઈએ. ધારો કે સાતમા-આઠમા ધોરણના વિદ્યાર્થીઓની શાળામાં એક બારણું વસાતું જ નથી વા વસાવેલું એક બારણું ઊઘડતું જ નથી, તો શિક્ષકે આમ થવાનું વૈજ્ઞાનિક કારણ વિદ્યાર્થીઓને સમજાવવું અને પછી એ કારણને ધ્યાનમાં લઈને એ બારણું ઉઘાડવાની વા એ બારણાને વાસવાની હકીકત સમજાવવી, વિદ્યાર્થીઓ દ્વારા જ બારણું ઉઘડાવવું જોઈએ કે વસાવવું જોઈએ. આથી જેમ મોટા વર્ગોમાં આવે અને પછી તો વિદ્યાર્થી વિનયમંદિરમાંથી મહાવિદ્યાલયમાં જાય ત્યારે વળી બીજા ભારે મહેનતવાળા તથા બુદ્ધિકૌશલ્ય દ્વારા કળાકારીગરીવાળા ઉદ્યોગોને પણ ક્રમશઃ સ્થાન અપાવું જોઈએ. આ માટે શિક્ષકો પણ અક્ષરજ્ઞાન ઉપરાંત તે ખાસ ઉદ્યોગોમાં પ્રવીણતા પ્રાપ્ત કરેલા હોવા જોઈએ. • આમ વિદ્યાર્થીઓને અક્ષરજ્ઞાન, ગણિતવિદ્યા, પુસ્તકમાં આપેલા પાઠોને સમજવાની શક્તિ, પાઠો સમજ્યા પછી તે અંગે વિદ્યાર્થીની પોતાની કલ્પનાશક્તિની ખિલવણી, જિજ્ઞાસાની વૃદ્ધિ અને વારંવાર પ્રશ્ન-પ્રતિપ્રશ્ન કરવાની શક્તિ વગેરે ગુણો વિદ્યાર્થીમાં ખીલે એ જાતની શિક્ષણપદ્ધતિ નિર્માણ થવી જોઈએ. આજના શિક્ષકોનો, પ્રોફેસરોનો તથા આચાર્યોનો અને વિદ્યાર્થીઓનો મને પોતાને જે થોડો અનુભવ છે તે પ્રમાણે હું જણાવી શકું તેમ છું કે કોઈ શિક્ષક કે પ્રોફેસર વા આચાર્ય ભાગ્યે જ વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વધે, પ્રશ્ન-પ્રતિપ્રશ્ન કરવાની શક્તિ વધે, તેમની સ્વતંત્ર કલ્પનાશક્તિ વધે તે માટે જાગૃતભાવે પ્રયાસ કરતો હશે. આ માટે આગળ જતાં જો માબાપો કે વિદ્યાર્થીના વાલીઓ પોતાનાં સંતાનોને એટલું જ પૂછવાની તકલીફ લે કે શાળામાં કે મહાવિદ્યાલયમાં રોજ થતી પ્રાર્થનાનો અર્થ વિદ્યાર્થીઓ સમજે છે ખરા? વા રોજ થતાં આચાર્યોનાં પ્રાથમિક પ્રારંભિક પ્રવચનોનો આશય મહાવિદ્યાલયમાં ભણનારાના ખ્યાલમાં આવે છે ખરો ? અત્યારે શિક્ષણ વગોવાઈ રહ્યું છે ને સૌ કોઈ શિક્ષણ તરફ નફરત ધરાવતા થઈ ગયા છે તેમ છતાં શિક્ષણના ઢાંચા ઘડવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4