Book Title: Gandhiji ane Jainatva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ગાંધીજી અને જૈનત્વ [ પહ૩ અનેકાંતનાં બે તો કઈ કઈ રીતે કામ કરી રહ્યાં છે. અને જ્યારે એ જેઉં છું તેમ જ વિચારું છું ત્યારે મને ચોખ્ખું લાગે છે કે એ તત્ત્વની બાબતમાં ગાંધીજીના જીવન ઉપર જૈનત્વની મોટી અને સ્પષ્ટ અસર છે, પછી ભલે તે ગમે તે રૂપમાં હેય. ખરી રીતે મહાન પુરુષ કઈ ખાસ ધર્મ કે પંથને હેત જ નથી. તે પ્રચલિત બધા પથની બહાર જ હોય છે, અને કાં તો તે બધા જ પાને હોય છે. જે મહાન પુરુષ વિશેનું આ કાલિક સત્ય માનવામાં વાંધો ન હોય તે ગાંધીજી વિશે પણ છેવટે એટલું જ કહેવું બસ છે કે તેઓ જૈન નથી જ અને છતાં છે જ, આ “અસ્તિ-નાસ્તિ” વાદમાં જ જૈનપણું આવી જાય છે. –પ્રસ્થાન “ગાંધીમણિમહોત્સવાંક ', સં. 1985. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6