Book Title: Dravya Kshetra Kal Anubhagadithi thati Atma par Asar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 2
________________ - - - ૧૦૨ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલય સ્થિતિને અમુક ક્ષેત્ર કે અમુક કાળમાં અનુભવે છે, તેમ બીજે જીવ તે જ સ્થિતિને બીજા ક્ષેત્ર કે બીજા કાળમાં અનુભવે છે. આ કારણથી એક જ સ્થિતિબંધ થવામાં અનેક અધ્યવસારૂપ અનેક કારણે છે. તે અનેક કારણવડે સ્થિતિબંધ એક જીવને એક સમયે એકસરખો જ થાય છે. માત્ર તેમાં ભિન્ન ભિન્ન સંગેમાં અનુભવવારૂપ તેમજ અનેક કારણેવડે ફેરફાર થવારૂપ વિચિત્રતા રહેલી છે. તાત્પર્ય એ કે-ઘણું જીવેએ સમાન સ્થિતિવાળું કર્મ બાંધ્યું હોય, તેમાં પણ પરિણામની તરતમતાથી અનુભવકાળ જુદે જુદે દેખાય છે અને તે પરિણામની તરતમતા દ્રવ્યાદિ પાંચ કારણની અપેક્ષા રાખે છે. વિશેષ સમજ ખાતર ફરી વિચારીએ કે-એકએક સ્થિતિસ્થાનકના બંધમાં હેતુભૂત નાના જવાની અપેક્ષાએ અસંખ્યાત કાકાશ પ્રદેશપ્રમાણ કષાયોદયના સ્થાને હોય છે, એટલે કે-સ્થિતિ સરખી જ બાંધે છે, છતાં કષાદ ભિન્ન ભિન્ન હોય છે અને ભિન્ન કષાયદયરૂપ કારણેવડે એક જ સ્થિતિસ્થાનના બંધરૂપ કાર્ય થાય છે. કારણે અનેક છતાં સામાન્યતઃ એક સ્થિતિસ્થાનના બંધરૂપ કાર્ય જે કે એક જ થાય છે, છતાં જે સ્થિતિસ્થાન બંધાય છે તે એકસરખી જ રીતે ભગવાય-અનુભવાય તેવું બંધાતું નથી; પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિ અનેક જાતિની વિચિત્રતાયુક્ત બંધાય છે. ભિન્ન ભિન્ન દ્રારૂપ નિમિત્તવડે ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં, ભિન્ન ભિન્ન કાળમાં અને જૂદા જૂદા ભમાં જે એક જ સ્થિતિસ્થાન અનુભવાય છે. તે જે તેના બંધમાં અનેક કષાયદયરૂપ કારણે ન હોય તે ન અનુભવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org www.

Loading...

Page Navigation
1 2 3 4