Book Title: Dhyanvichar
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 112
________________ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ દુર્ગાનો છે. તેનાથી બચવાનું હોય - તેને સાધવાનાં ન હોય. - ધ્યાન માટે વિધિ આવશ્યક છે એ ખ્યાલ ખોટો છે. વિધિ ધ્યાનમાં સહાયક છે. - ધ્યાનમાં એકાગ્રતા પણ અવરોધક બની શકે છે. એકાગ્રતાથી તનાવ પેદા થાય છે – એ વાત ઘણા ચૂકી જાય છે. - ધ્યાન એ વિશ્રામ છે. નહીં વિચારનો ભાર કે નહીં કલ્પનાની ઉડાન. - ધ્યાન માટે સ્થળ અને સમયનો આગ્રહ સારો છે પણ તે અનિવાર્ય નથી. - ધ્યાન માટે એકાંત સારું પણ ભીડમાંય ધ્યાન થઈ શકે. જો મનમાં ભીડ હોય તો પહાડોમાં પણ ધ્યાન ન લાગે. - તમે તમારાથી અલિપ્ત રહીને જે કંઈ કરશો તે ધ્યાન જ બની જશે. - જેનામાં કર્તાભાવ ન રહ્યો હોય કે ભોક્તાભાવ ન રહ્યો હોય તે હંમેશાં ધ્યાનમાં જ છે. - થોડીક શાંતિ અને તનાવ વિસર્જન માટે ધ્યાન કરવું એ તો જ્યાંથી કરોડો મળે તેમ હોય ત્યાંથી કોડીઓ લઈને પાછા ફરવા જેવું છે. - ધ્યાન એ અમૃત છે. તેને ઝીલવા માટે સુવર્ણપાત્ર જોઈએ. પાત્રતા કેળવ્યા વિના મોટી અપેક્ષા ન રાખો. ' - આત્મદશામાંથી પરમાત્મદશા સુધી પહોંચવા માટે ધ્યાન જેવો કોઈ ઉત્કૃષ્ટ માર્ગ નથી. જો કે તેનાં ચઢાણ સીધાં છે. - જીવનમાં આપણે સતત દોડતા રહીએ છીએ કારણ કે આપણી . જીવનઊર્જા તૃપ્તિ માટે તેના અન્ય ધ્રુવને ઝંખતી હોય છે. ધ્યાનમાં તે મિલન આપણી અંદર સધાય છે જેથી દોડ સમાપ્ત થઈ જાય છે. - ધ્યાનની પરાકાષ્ટાની પળે જીવન ઊર્જનાં વિપરીત ધૂવોનું મિલન થઈ જતાં સાધક સ્વયં તૃપ્ત અને સ્વયં પર્યાપ્ત બની રહે છે. - ધ્યાનમાં જીવનઊર્જાનો પૂર્ણતયા આવિષ્કાર થાય છે તેને કારણે જીવાત્માને પરમ આનંદની અનુભૂતિ થાય છે. ધ્યાનવિચાર ૧૧૧

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114