Book Title: Dharmvir Upadhyay Sohanvijayji
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 207
________________ અંત સમયના પુત્રો ૧૬૩ ઉદય છે કે શ્રીજીની છત્રછાયામાં રહેતાં છતાં મારાથી કાંઈ પણ ભક્તિ નથી થઈ શકતી. પાંચ માસથી ખાંસી પાછી પડી છે. આચાર્ય ભગવાનની કૃપાથી બે દિવસથી કાંઈક ઠીક છે. સિદ્ધચક્રના પ્રતાપથી આરામ આવી જશે. શરીર પણ હવે પહેલાં જેવું નથી. આપની કૃપાથી ચિંતા જેવું નથી. આજે મારા મનેાગત ભાવે આપની સમ જણાવુ છું. આપ દયાળુ ગુરુદેવના કાર્યોંમાં સહાયતા કરી રહ્યા છે તે માટે મારી પાસે પૂરતા શબ્દો નથી જે હું તમારી સેવામાં લખું. એટલુ જરૂર છે કે જ્યારે તમે યાદ આવે છે, આપના સ્નેહ યાદ આવે છે, તે સમયે એ અશ્રુબિંદુએ ટપકી પડે છે. સાચા ગુરુભક્ત છે તે આપ છે. હું દાવાની સાથે કહું છું કે જે જે કા` આપે કર્યાં છે તે બીજે કાઈ કરવા સમર્થ નથી. ધન્ય છે આપને. ગુરુકુળને માટે જે મદદ પહેાંચાડી તેને બદલે હું કઇ રીતે આપી શકું ! હું તે દિન ધન્ય માનીશ જે દિવસે ગુરુદેવની ઈચ્છા સાળે સાળ આના પૂર્ણ થશે. એ ઈચ્છા સંપૂર્ણ કરવાનું પ્રથમ કતવ્ય આપણુ–સૂરીશ્વરજીના શિષ્યાનુ છે, પણ બધામાં આપ જ તેમની ઈચ્છાને સ`પૂર્ણ ન્યાય આપવા સમર્થ છે, બાકી તા ‘અહ્વા અહ્વા ખેર સહ્યા’ વાળા હિસાબ છે. મને લાગે છે ગુરુકુળને માટે આપણે એવા ભાઈબહેના તૈયાર કરવાં જોઈએ જે સાલમાં રૂા. ૬૦) આપીને એક દિવસ સાધમી વાત્સલ્ય નોંધાવે. એવી ૩૬૦ તિથિએ મળી જાય તે તે શું પૂછવું! અગર એક એક સાલ દેવા વાળા ૭૦૦૦ ભાગ્યશાળી મળી જાય તેા પણ સારું. મે

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220