Book Title: Dharm Pravaho ane Anushangik Samasyao
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ૩૪ ] દર્શન અને ચિંતન પોતાના બચાવ માટે અધર્માચરણ કરે તેમાં પણ ધમ સહાયક અને છે; જેમ કે ચીનના બૌદ્ધ ધર્મ. ચીન દુશ્મનો સામે હિંસક લડાઈ લડે છે ત્યારે સાંને બૌદ્ધ ધર્મ તેમાં સહાયક બને છે. આ જ ધર્માંની રાષ્ટ્રાધીનતા. જો ધર્મ પ્રધાન સ્થાને રહે તો તે રાષ્ટ્રને આક્રમણ કરવા ન દે; તેમાં તે સહાયક ન અને; અને સ્વરાષ્ટ્ર ગુલામીથી મુક્ત થતું હોય ત્યારે પણ તે અધ સાધનાથી તેમાં મદદ ન કરે. ઊલટું, ધમ્મ સાધના તદ્દન નવાં યોજી તે દેશને ગુલામીથી છેડવે. આ દૃષ્ટિએ જોતાં જો કાઈ પણ દેશ આજે ધની સ્વતંત્રતા સાચવવા મથતા હોય તા તે ભારત જ છે, અને તે પણ ગાંધીજીને હાથે. ગાંધીજીના ધર્મ સક્રિય છે અને નિષ્ય પણ છે. પરસત્ત્વ હરવામાં તે નિષ્ક્રિય છે, જ્યારે સ્વસત્ત્વ સિદ્ધ કરવામાં તે સક્રિય છે. ભારત આક્રમણ તે કરતું જ ન હતું. એટલે તેના ધર્મોમાં આક્રમણકા'માં મદદ કરવાના દોષ તો આવ્યો જ ન હતો, જેવો ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્માંમાં આવ્યો છે. પણુ તેનામાં ખીજાનું આક્રમણ સહેવાને દોષ કે અન્યાય ખમવાના દોષ પૂરેપૂ આવેલા; તેને જ ગાંધીજી દૂર કરવા મથે છે. ધર્મો દ્વારા રાષ્ટ્રને ગુલામીથી મુક્ત કરવાના ગાંધીજીના અપૂર્વ પંથ છે. શ્રી રાધાકૃષ્ણન કે ટાગોર આદિ જ્યારે ધર્મ ને રાષ્ટ્રભિમાનને સેળભેળ થતા અટકાવવા કહે છે ત્યારે તેમની સામે બધાં અધમગામી રાષ્ટ્રોનું સજીવ ચિત્ર હોય છે. 4 ' આ પુસ્તકનું નામ ધર્મોનું મિલન રાખેલું છે તે બહુ જ ઉચિત છે. એમાં સંગ્રહાયેલાં બધાં જ લખાણ ને પ્રવચનો મુખ્યત્વે ધમિલનમાં જ પવસાન પામે છે. ધમિલનનું સાધ્યું શું, એ મુખ્ય પ્રશ્ન છે. તેના ઉત્તર શ્રી રાધાકૃષ્ણને પાતે જ મહાસમન્વય ' ની ચર્ચા દ્વારા આપ્યો છે. દરેક નાં સુવિચાર અનુયાયી અને જ્ઞાતાના આજે નિશ્ચિત મત છે કે ધર્માંન્તરની વટાળપ્રવૃત્તિ અનિષ્ટ જ છે. સાથે સાથે કાઈ ધર્મના ઉચ્ચતર અભ્યાસી અને વિચારક એવો નથી જે પોતાના પર્'પરાગત ધર્મના સ્વરૂપમાં જ સંતુષ્ટ હોય. દરેક સુવિચારી ઉત્સાહી પાતાની પરંપરાગત ધમ ભૂમિકાને એ તે કરતાં વિશેષ ઉન્નત તે વિશેષ વ્યાપક બનાવવા માગે છે. એક તરફથી પન્થાન્તરના કે ધર્માન્તરને વધતા જતા અણુગમે અને બીજી તરફથી પોતપોતાના ધર્મને વિકસાવવાની, વિશેષ વ્યાપક અને શુદ્ધ અનાવવાની ઉત્કટ અભિલાષા-એમાં દેખીતા વિરાધ છે, પણ એ વિરેધ જ · મહાસમન્વય ' ની ક્રિયા સાધી રહ્યો છે. કાઈ એક ધર્મ સપૂર્ણ નથી, જ્યારે ખીને કાઈ પૂ પણે પાંગળા નથી. માત્ર જાગરૂક દૃષ્ટિ અને વિવેકશીલ ઉદારતા હોય તે હરકાઈ ધર્મ બીજા ધર્મમાંનું સારું એટલું બધું અપનાવી શકે અને બીજો ( Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9