Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir

Previous | Next

Page 10
________________ (૫) પૂ.આ.ભ. શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે આ ગ્રંથપ્રકાશનમાં પોતાના સ્વહસ્તે સુંદર આશીર્વચન લખી આપી અમારા પર અનરાધાર કૃપાવર્ષા વરસાવી છે. આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજે ઉમળકાભેર આ ગ્રંથનું પ્રાસ્તાવિક લખી આપેલ છે જે બદલ અમો કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ છીએ. પૂર્વે આ ગ્રંથના અનુવાદનું સૂચન કરનાર ડૉ. કાન્તિભાઈ બી. શાહે ભાષા-લેખન-શુદ્ધિ કરી આપવા સહ અવારનવાર ગ્રંથની સુંદરતા માટે અનેક સૂચનો કરેલ. તે માટે તેઓશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. બે વર્ષ પૂર્વે આ રાસ-પુસ્તકની શોધખોળ ચાલતી હતી અને પૂ. જિતકલ્પાશ્રીજીને ભાવનગર પૂ. સૌમ્યપ્રભાશ્રીજી મ.સા.ની વર્ષ.તપની ૧૦૦ ઓળીના પારણામાં જવાનું થયું. ત્યાં પણ આ પુસ્તકની તપાસ ચાલુ હતી. એ દરમિયાન “આત્માનંદ સભા” સંસ્થાની દેખભાળ કરતા મનહરભાઈ મહેતાએ સંસ્થામાંથી આ પુસ્તક મેળવી આપ્યું. આ સમયે તેમનો પણ આભાર માનીએ છીએ. પૂ.આ.ભ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (કલિકુંડવાળા)નાં આજ્ઞાવર્તી સાધ્વી શ્રી વિરાગરસાશ્રીજી તથા ધૈર્યરસાશ્રીજીએ રાસ-અનુવાદ કરવામાં પ્રારંભથી પૂર્ણતા સુધી સુંદર સહકાર આપવા સહ ભૂલસંશોધન આદિ કાર્યમાં તેમજ પૂ. નેમિસૂરિ મ.ના સમુદાયના પણ ઘણા ઘણાં સાધ્વી ભ.નો સહયોગ મળ્યો છે. તેઓના અમે ઘણા ઋણી છીએ. આ ગ્રંથને ટૂંક સમયમાં, સર્વાંગ સુંદરતા અર્પવા સાથે કથાનુસારે સુંદર ભાવવાહી ચિત્રો આદિ બનાવી મુદ્રિત કરવા બદલ “ભરત ગ્રાફિક્સ”ના ભરતભાઈ તથા મહેન્દ્રભાઈના સૌજન્યને કેમ ભૂલી શકાય ? આ ગ્રંથપ્રકાશનમાં જે જે સંઘ, સંસ્થા કે અન્ય દાતાઓએ લક્ષ્મીનો સર્વ્યય કરી અમારા આ પ્રકાશન કાર્યને સુલભ, સફળ અને સરળ બનાવી આપ્યું છે તે માટે તેઓના ઉપકારને આ અવસરે યાદ કરીએ છીએ. પ્રકાશક દેવી-કમલ-સ્વાધ્યાય મંદિરના ટ્રસ્ટીગણ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 490