Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ સ'પાદકીય નિવેદન विद्वत्वं च नृपत्वं च नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते ॥ વિભૂતિપૂજા એ દુનિયાના દરેક દેશને માટે આવશ્યક કાર્ય છે. સમયે સમયે દેશની મહાન વિભૂતિઓના આદર-સત્કાર થતા જ રહે છે; અને તે પ્રજાજીવનની જાગૃતિ અને જીવનવિકાસનું ચિહ્ન છે. જે વિભૂતિનું સન્માન કરવા માટે અમે આ ગ્રન્થરત્ન પ્રગટ કરીએ છીએ તે કેવળ જૈતાની કે ફક્ત ગુજરાતની જ આદરપાત્ર વ્યક્તિ છે એવું નથી; તેઓ તે આખા દેશની વિદ્યાવિભૂતિ છે. અને એમનુ સન્માન એ ભારતની ભારતીદેવીનું સન્માન છે. : પંડિતથી સુખલાલજી સંધવી તા. ૮-૧૨-૫૫ના દિવસે પેાતાના વનનાં ૭૫ વર્ષ પૂરાં કરવાના હતા. એટલે આખા દેશ તરફથી એમનુ સન્માન કરવાના વિચારથી અમદાવાદમાં તા. ૪-૯-૧૯૫૫ના રાજ · પંડિત સુખલાલજી સન્માન સમિતિ 'ની રચના કરવામાં આવી અને નીચે મુજબ સન્માનની ચેાજના ઘડવામાં આવી : (૧) પંડિત સુખલાલજીના સન્માનાથે અખિલ ભારતીય ધેારણે એક સન્માનિધિ એકઠો કરવા. (૨) આ સન્માનનિધિમાંથી પંડિત સુખલાલજીના લેખાના એક સંગ્રહુ બહાર પાડવા. (૩) તે જ નિધિમાંથી, આગામી ડિસેમ્બર માસ બાદ, મુંબઈમાં, ચેાગ્ય સમયે, પંડિત સુખલાલજી અંગે એક સન્માનસમારંભ યેાજવા. (૪) બાકી રહેલ સન્માનનિધિની રકમ, ઉપર જણાવેલ સન્માનસમાર’ભ પ્રસંગે, પંડિતજીને અર્પણ કરવી. (૫) ઉપર જણાવેલ કાર્યને પાર પાડવા માટે અમદાવાદ ખાતે એક [ 3 ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 772