Book Title: Chitta Sthairya ni Kedio
Author(s): Amrendravijay
Publisher: Prerna Prakashan Trust

View full book text
Previous | Next

Page 14
________________ કાયોત્સર્ગની એ વિવિધ સમયમર્યાદા શ્વાસોચ્છવાસની સંખ્યાથી સૂચવાઈ છે; જેમ કે ઈરિયાવહી પ્રતિક્રમણનો કાઉસગ્ગ પચીસ શ્વાસોશ્વાસ પ્રમાણ, થોય (સ્તુતિ) પૂર્વે આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ, તો પ્રભાતે કુસુમિણ-દુસુમિણ'નો એકસો આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ. ઈરિયાવહી પ્રતિક્રમણનો વિધિ તો મુનિને ડગલે ને પગલે કરવાનો હોય છે. અર્થાત્ મુનિને એકલી “ઈરિયાવહીની ક્રિયા નિમિત્તે રોજ અનેક વાર થતા પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગમાં આ ક્રિયાનો અભ્યાસ સતત ચાલતો રહે એવી સુંદર યોજના મુનિની દિનચર્યામાં છે. પરંતુ ગમે તે કારણે, આજે એ પ્રણાલિકા લુપ્ત થઈ ગઈ છે. એટલું જ નહિ, અજ્ઞાનવશ કેટલાંક સાધુ-સાધ્વી એ સાચી સાધનાનો ઉપહાસ કે વિરોધ કરતાં પણ આજે જોવાય છે ! શ્વાસોચ્છવાસનું નિરીક્ષણ : ઉચ્છંખલ ચિત્તને વશમાં લાવવા માટે, શ્વાસોચ્છવાસનું અવલંબન લેવાની પદ્ધતિ પ્રારંભિક સાધકોને ખૂબ સહાયક થતી હોવાથી તેની એક સાવ સરળ પ્રક્રિયાની વાત અહીં આપણે કરીશું. એ પ્રક્રિયામાં સાધકે શ્વાસોચ્છવાસનું માત્ર નિરીક્ષણ જ કરવાનું છે. એના દ્વારા શ્વાસોચ્છવાસની ગતિ શાંત, ઘીમી અને લયબદ્ધ થતાં ચિત્ત સ્વયં એકાગ્ર બને છે. - ઉચ્છંખલ ચિત્તને શ્વાસોચ્છવાસના અવલંબનને વશમાં આણતી આ સરળ પ્રક્રિયામાં, શ્વાસોચ્છવાસના નિયંત્રણની કોઈ ચિંતા કર્યા વિના, સાધકે તેની અવરજવર પર માત્ર નજર જ રાખવાની રહે છે. શ્વાસોચ્છવાસની આવજાવ પર નજર રાખવાના આ અભ્યાસમાં સાધકે

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29