Book Title: Buddhiprabha 1914 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય. ૨૮% આનંદની સાથે બોધ આપે છે તેમજ મી. ભાઈલેકર જે પિતાની કુદરતી બક્ષીશ ( Divinely grace) થી જે અવર્ણનીય આનંદ આપે છે તે માટે તેઓ સાહેબને આ સ્થળે આનાર માનું છું. છેવટ પધારેલ સર્વે સંગ્રહસ્થાનો આભાર માની એથી જવાની રજા લેઉ છું. ત્યાર બાદ મી. લલીતે ઉભા થઈ મી. ભાઇલેકરનાં વખાણ કર્યા હતાં અને જણાવ્યું હતું કે આવાં રત્ન આપણું ઈન્ડીઆમાં હોવાને માટે આપણે મગરૂર થવું જોઈએ અને પરમ પ્રભુને ઉપકાર માનવે જોઈએ. શ્રીમંત ગાયકવાડ સરકાર કે જેઓ પ્રજાના કલ્યાણાર્થે જે વખત મહેનત અને ધનને ભોગ આપે છે તેઓને ઉદેશધારણું પાર પાડવા પ્રજાજને તcપર થશે એવું અંત:કરણવા ઇચ્છું છું. ત્યાર બાદ ભજને ગાયાં હતાં અને જેવી રીતે રામ અને સીતાજી પોતાનાં જીવન આ સંસારમાં પસાર કરતાં હતાં તેવી રીતે જગતના છ સંસાર વ્યવહારમાં અને ધર્મમાં માગુલ રહી આનંદમાં મગ્ન રહે અને જીવન પસાર કરે એવું ઈએ બેશી જવાની રજા લેઉ છું. મામાન ૨, પ્રેક્ષક श्री महावीर जैन विद्यालय. (લેખક-સાકરચંદ માણેકચંદ ઘડીઆળી-મુંબઈ) શ્રી મહાવીર જૈન વિદ્યાલય વિષે બોલતાં એક લેખકે એક પત્રમાં જણાવ્યું હતું કે કાગળ ઉપર આ યાજના ઘણીજ સારી લાગે છે અને તે સશે પાર પડે એવી અમે આશા રાખીએ છીએ પણ તે માટે અમારે કેટલોક ચેતવણીના અવાજ ઉઠાવવાની જરૂર છે, કેમકે જેનાં ઘણાં જ ખાતાંએ પહેલાં બહુ બેટી આશાથી જન્મ પામીને પાછળથી ઘણુંક કડવી લાગણીને જન્મ આપનાર થઈ પડયાં છે, એમ જેએ જેનાના ખાતાંઓના કારભારથી અને સંસ્થાઓના વહીવટથી વાકેફગાર છે તેઓ બહુ સારી રીતે જાણે છે. શ્રી બનારસ જૈન પાઠશાળા, જેન એસેસીએશન ઓફ ઇંડિયા, જેન કોન્ફરેન્સ ખાતું, વગેરેનાં નામે માત્ર જ એ સંબંધમાં વિચાર કરવાને અમે રજુ કરીએ છીએ.” જે વિચાર લગભગ છ મહીના ઉપર એ લેખકે રજુ કર્યો હતો તે કમનસીબે ખરે પ. જણાય છે. જે ખાતર માટે રૂ. ૧૨,૦૦૦ ની વારસીક આવકની આશા રાખવામાં આવી હતી તે આશા પરિપૂર્ણ થવાનાં ચિહ જતાં નથી અને માત્ર ૨૦૦૦ ની આવકમાં એ ખાતાની શરૂઆત મુંબઈમાં કરવાનો વિચાર ચાલી રહ્યા છે. વધુ કમનસીબીની બીના તો એ છે કે મહા પ્રતાપી મુનિરાજ શ્રી વલ્લભવિજયજીના અખંડ પ્રયાસ છતાં આવું પરિણામ આવ્યું છે અને ગઈ તા. ૪ થી ઓકટોબરે એ સંબંધમાં નાણું ભરનારાઓની એક સભા બેલાવવામાં આવી હતી. તે વખતે બહુ બેડા જૈનોએ હાજરી આપી હતી અને તેથી તે સભા મુલતવી રાખવી પડી હતી, ““પાશેરામાં આવે તે પહેલી પુની હતી. હજી તે આગળ ઘણું કામ લેવાનું છે, અને ત્યાંજ આવું પરિણામ આવે તે બહુ ખેદની વાત છે. અમે જૈન આગેવાનોને તે માટે આમ કરીશું કે તેઓએ હવે પછી “મહાવીર જૈન વિધાલય” ની વૈજના પાર પાડવા માટે પૂર ઉત્સાહથી ભંડવું અને “ તેની શરૂઆત આ

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36