Book Title: Buddhiprabha 1912 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ આપ, ચા , “વાઝાન” ( વિમલાચલવારથી મારા વાલા સેવકને વિસારો નહિ. –રાગ. ). ભારતવાસી જૈનબંધુ સહુ કંઈ વિચારે કરી, વિચારે જરી, બાળલગ્ન દેશની પાયમાલી કરી આપ જાણ સહી, જાણે સહી, પ્રાચીન સમયે જૈન ધર્મ જે તે સર્વમાં સાર, બાળલગ્નના ભાવે કરીને પડતીમાં નિરધાર. આપ, ઘણાક લોકો એમ વદે જે છે પ્રાચીન રિવાજ, નાની ઉમરે નહાતા પરણ્યા ભારત બહુ બલિરાય. આપ. દેશ, કાળ, સ્થિતિને અનુસરી ઘરડાએ કર્યું કાજ, મુસલમાન બાદશાહના વખતે લુટાતીતી લાજ, ઘણાક લોકે હવે લેવા કરે છે એ કામ, કુમળી વયના બાળકોને પહોંચાડે નુકસાન. લગ્ન પાછળ ખર્ચ ઘણું કરી છે મેટું નામ, કેળવણી પાછળ ખર્ચ તે થાયે ધાર્યું કામ. ગુણવાનને પડતે મેલી શોધે છે કુળવાન, દ્રવ્યવાન ગુણવાન ગણીને દે છે કન્યાદાન. કેટલીક દીકરીના માતપિતા વિચાર કરે છે મન, મેટી થાતાં મરી જાશે તે નહીં મળે મુજને ધન. આપ. આવા દુષ્ટ રિવાજે કરીને ઘણું કજોડાં થાય, સ્વભાવ નહી મળતો આવવાથી અનીતિએ દેરાય. પ્રાચીન સમયની પ્રથા નિરખતાં લાગે કેવી શર, ચાલુ સમયે બાળલગ્નથી નીપજે વિનાની નૂર, બાળલગ્નના દુષ્ટ ચાલથી વિધવા વધતી જાય, અનીતિ રસ્તે દોસતાં જીવ પંચેન્દ્રિય હણાય. આ કારણથી ઘણાજ લકે પુનર્લગ્નને સહાય, આપ, આપ. આ૫, આપ, આ૫,

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36