Book Title: Bharatni Yogvidya ane Jivan ma Dharm
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 154
________________ ધર્મ અને વિદ્યાનું તીર્થ – વૈશાલી ૧૧૫ સ્થિતિ પાલિ અને પ્રાકૃત શાસ્ત્રોના જાણકારોની વચ્ચે એકબીજાની બાબતમાં હતી. પરંતુ સમય ક્રમશઃ બદલાતો ગયો. આજે તો પુરાણા યુગે એવો તો પલટો ખાધો છે કે તેમાં કોઈ પણ સાચો ખરો વિદ્વાન આ કે તે ભાષાની કે તે ભાષામાં લખાયેલાં શાસ્ત્રોની ઉપેક્ષા કરીને નવયુગીન વિદ્યાલયો અને મહાવિદ્યાલયોને ચલાવી શકે જ નહિ. આ દૃષ્ટિએ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સ્પષ્ટ જણાય છે કે યુરોપીય વિદ્વાનોએ પાછલાં સવા સો વર્ષોમાં ભારતીય વિદ્યાઓનું જે ગૌરવ સ્થાપિત કર્યું છે, જે સંશોધન કર્યું છે તેની બરાબરી કરવા માટે તથા તેનાથી કંઈક આગળ વધવા માટે આપણે ભારતવાસીઓએ હવે અધ્યયન-અધ્યાપન, ચિન્તન, લેખન અને સંપાદન-વિવેચન આદિનો ક્રમ અનેક રીતે બદલવો પડશે જેના સિવાય આપણે પ્રાચ્યવિદ્યાવિશારદ યુરોપીય વિદ્વાનોના અનુગામી સુધ્ધાં બનવામાં અસમર્થ રહીશું. પ્રાચ્ય ભારતીય વિદ્યાની કોઈ પણ શાખાનું ઉચ્ચ અધ્યયન કરવા માટે તથા ઉચ્ચ પદવી પ્રાપ્ત કરવા માટે આપણે યુરોપના જુદા જુદા દેશોમાં જઈએ છીએ એમાં નોકરીની દષ્ટિએ ડીગ્રી મેળવવાનો જ મોહ નથી પરંતુ તેની સાથે તે દેશોની તે તે સંસ્થાનું વ્યાપક વિદ્યામય વાતાવરણ પણ નિમિત્ત છે. ત્યાંના અધ્યાપકો, ત્યાંની કાર્યપ્રણાલી, ત્યાંનાં પુસ્તકાલયો વગેરે એવાં અંગપ્રત્યંગો છે જે આપણને તેમની તરફ ખેંચે છે. પોતાના દેશની વિદ્યાઓનું અધ્યયન કરવા માટે આપણે હજારો ગાઉ દૂર કરજ કરીને પણ જવું પડે છે અને તે સ્થિતિમાં કે જ્યારે તે પ્રાચ્ય વિદ્યાઓની પ્રત્યેક શાખાના પારદર્શી વિદ્વાનો ભારતમાં પણ મોજૂદ છે. આ કોઈ અચરજની વાત નથી. તે વિદેશી વિદ્વાનો આ દેશમાં આવીને શીખી ગયા, અત્યારે પણ તેઓ શીખવા આવે છે પરંતુ મહોર તેમની ચાલે છે. તેમની આગળ ભારતીય પુરાણા પંડિતો અને નવી પ્રણાલીના અધ્યાપકો મોટે ભાગે ઝાંખા પડી જાય છે. આમાં કૃત્રિમતા અને મોહનો ભાગ બાદ કરીને જે સત્ય છે તેની તરફ આપણે જોયું છે. તેને જોતાં મને કહેવામાં કોઈ ખમચાટ નથી કે આપણાં ઉચ્ચ વિદ્યાનાં કેન્દ્રોમાં શિક્ષણપ્રણાલીનું આમૂલ પરિવર્તન આપણે કરવું પડશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160