Book Title: Bharatiya Darshanoma Mokshavichr
Author(s): Nagin J Shah
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
View full book text
________________
ટ
ભારતીય દાનામાં મેાક્ષવિચાર
ભેદ છે કે મીમાંસા મેાક્ષમાં આત્મામાં જ્ઞાનશક્તિ માને છે જ્યારે વૈશેષિા મેાક્ષમાં આત્મામાં જ્ઞાનશક્તિ માનતા નથી. આનું કારણ એ છે કે મીમાંસા દ્રવ્ય, ગુણ, કર્માં વગેરે ઉપરાંત પદાર્થોમાં શક્તિને એક પટ્ટા તરીકે સ્વીકારે છે, જ્યારે ન્યાય-વૈશેષિકા શક્તિપાતે સ્વીકારતા નથી. આત્માને માક્ષમાં જેમ જ્ઞાન નથી તેમ સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધ, અધમ તથા સસ્કાર પણું નથી. મીમાંસા કામ્ય કર્મોને અર્થાત્ તૃષ્ણાપ્રેરિત પ્રવૃત્તિને જ દુ:ખનું અને કર્મ બંધનનું કારણ ગણે છે. નિષ્કામભાવે કરવામાં આવતાં વેદવિહિત અને નિત્યનૈમિત્તક કર્માં દુ:ખ કે કર્મબંધનું કારણ નથી. એટલે દુ:ખમાંથી મુક્ત થવા કામ્ય કર્મોને તેમ નિષિદ્ધ કર્મોને છે।ડવાં જોઈએ. આ કર્માંતે છેડવા તૃષ્ણા યા કામને છેડવા જોઈ એ, તૃષ્ણાને જીતવા આત્માને બરાબર જાવા જોઈએ. આત્માને અર્થાત્ બ્રહ્મને જાણવા વેદાન્તના અભ્યાસ કરવા જોઈએ. આત્મજ્ઞાન મેાક્ષભિગામી પ્રવૃત્તિનું કારણ છે, આત્મજ્ઞાન મેક્ષનુ સાક્ષાત્ કારણુ નથી. મેાક્ષનું સાક્ષાત્ કારણુ આત્મજ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિ છે — કમ' છે. માક્ષમાં જ્ઞાન નથી. મેાક્ષમાં સુખ નથી.‘નિનિશ્ર્વ મોક્ષઃ ૭ મેાક્ષમાં દુઃખાભાવ માત્ર છે, મેક્ષમાં જ્ઞાનશક્તિ માની છે.૮૪ શાંકર વેદાન્તીઓના મતે માક્ષ:
બ્રહ્મને સત્ય અને જગતને મિથ્યા માનનાર શાંકર વેદાતીને મતે જગતની બધી વસ્તુએની જેમ ચિત્ત પણ મિથ્યા છે, માયાજનિત છે. તેમનુ' અસ્તિત્વ વ્યાવહારિક છે, પારમાર્થિક નથી. જ્યાં સુધી જીવને અજ્ઞાન છે ત્યાં સુધી તેને માટે તેમનું અસ્તિત્વ છે,
જ્ઞાન થતાં તેમનુ અસ્તિત્વ નથી. પરંતુ જીવ શું છે ? તે છે માયિક ચિત્તમાં પડતું બ્રહ્મનુ ( = પુરુષનુ' ) પ્રતિબિંબ, સાંખ્યથી વિરુદ્ધ અહીં પુરુષો અનેક નથી પણ એક છે. એ એક પુરુષનું પ્રતિબિંબ અનેક ચિત્તો ઝીલે છે, ચિત્તોને ભેદ સંસ્કારભેદે અને લેશભેદે છે. આવાં ભિન્ન સંસ્કાર અને ભિન્ન લેશેા ધરાવતાં ચિત્તોમાં પડતું પ્રતિબિંબ ચિત્તમાષ્યમભેદે ભિન્ન ભિન્ન હાય છે. આ પ્રતિબિંબે (જીવ) એમ માને છે કે તેઓ બધાં પુરુષથી ભિન્ન છે અને તેમનુ સ્વતંત્ર અસ્તિત્વ છે. પ્રતિબિંબનુ અસ્તિત્વ કદી બિંબનિરપેક્ષ સ્વતંત્ર હાઈ શકે ? ના. પર ંતુ ત તા પોતાને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા માને છે. આ તેમનુ અજ્ઞાન છે.૫ “તું બ્રહ્મ જ છે '' એ મહાવાકયનું શ્રવણ, આચાર્યાપદેશ, વગેરેથી તેને ઝાંખી થવા લાગે છે કે હુ` બ્રહ્મ છું, ત્યાર બાદ તે “ હું બ્રહ્મ છું.” એવી અખંડાકાર ચિત્તવૃત્તિના પ્રવાહ દ્વ્રારા (અર્થાત્ ધ્યાન દ્વારા) ભેદવિષયક અજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિના નાશ કરે છે.૮૬
અજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિને નાશ થતાં અજ્ઞાનના વૈશ્વિક રૂપ માયામાંથી પેદા થયેલું ચિત્ત લેપ થઈ જાય છે, ચિત્તને લેપ થતાં ચિત્તમાં પડતુ બ્રહ્મનું પ્રતિબિંબ પોતાના બિંબમાં ( = બ્રહ્મમાં) સમાઈ જાય છે. આમ જીવબ્રહ્મનું ઐકચ થાય છે. આજ બ્રહ્મસાક્ષાત્કાર છે. આ જ વેદાન્તની મુક્તિ છે. હવે પ્રશ્ન થાય છે કે આમાં દુ:ખમુક્તિની વાત કયાં આવી ? એક જીવ પેતાને ખીજા જીવાથી અને બ્રહ્મથી જુદેં માને છે એટલે મેાહ, શાક, વગેરે જન્મે છે, જે દુઃખનાં કારણ છે. એટલે જીવે બધે એકત્વ જ જોવું જોઈએ અને બધાને બ્રહ્મરૂપ જ સમજવા જોઈએ, જેથી દુ:ખને સ ંભવ જ ન રહે. તંત્ર જો મો: જો સ્ત્યમનુંપચતઃ। એકત્વ હેાય ત્યાં ભય પણ કાન રહે? એ હાય ત્યાં એક ખીજાથી ભય પામે. ટ્વિતીયાત્ હૈ મયં મળત! એટલે અદ્વૈતસાક્ષાત્કાર જ દુઃખમુક્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org