Page #1
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનમાં મેક્ષાપચાર
નગીન જી. શાહ
પ્રાસ્તાવિક મોક્ષ એટલે મુક્તિ. કોની? પિતાની-આત્માની. શેમાંથી ? દુઃખમાંથી. પિતાની અર્થાત્ આત્માની દુખમાંથી મુક્તિ એટલે મોક્ષ. આમાં નીચેની બાબતોને પૂર્વસ્વીકાર જરૂરી છે: (૧) પિતાનું અર્થાત આત્માનું અસ્તિત્વ છે. (૨) પિતાને અર્થાત્ આત્માને દુઃખ છે. (૩) દુઃખનાં કારણે છે. (૪) દુઃખનાં કારણેને દૂર કરવાના ઉપાયો છે. (૫) દુઃખમુક્તિ શક્ય છે. આમાં ભગવાન બુદ્ધના ચાર આર્યસત્યનોર અને ગદર્શનના ચતુર્વ્યૂહને ૩ સમાવેશ છે.
આ દુઃખમુક્તિ થોડા વખત પૂરતી નથી પરંતુ સદાને માટે છે. એક વાર દુઃખમાંથી મુક્ત થયા એટલે ફરી કદી દુઃખ પડવાનું જ નહિ. બધા પ્રકારનાં દુઃખોમાંથી હંમેશ માટેની મુક્તિને દર્શનશાસ્ત્રમાં મોક્ષ કહેવામાં આવે છે. આત્યંતિક દુઃખમુક્તિ મોક્ષ છે. પગમાં કાંટે વાગ્યે તેથી પીડા થઈ – દુઃખ થયું. કાંટો કાઢી નાખવામાં આવ્યો, કાંટાની પીડામાંથી મુક્તિ થઈ. પરંતુ ફરી કાંટો વાગવાનો સંભવ દૂર થયો નથી. વળી, કાંટાની પીડા દૂર થવા છતાં ગુમડા વગેરેની બીજી પીડા રહી હેવાને સંભવ છે જ. એટલે કાંટાની પીડામાંથી મુક્તિને આત્યંતિક દુ:ખમુક્તિ ન કહેવાય.'
દુ:ખ કોને છે ? આત્માને. દુઃખ શરીર, મન કે ઈન્દ્રિય અનુભવતાં નથી પણ તેમના દ્વારા બીજું કોઈ અનુભવે છે. અને તે છે આત્મા. આ આત્મા શું છે અને તેનું સ્વરૂપ કેવું છે એ આપણે જાણું લઈએ તે મોક્ષના સ્વરૂપને સમજવું સરળ થઈ જશે. અહીં ચાર્વાક, પ્રાચીન સાંખ્ય, જૈન, બૌદ્ધ, ઉત્તરકાલીન સાંખ્યયોગ, ન્યાયવશેષિક, શાંકર વેદાન્ત – આટલાં દશનોને આમા વિશે શે મત છે તે સંક્ષેપમાં જઈ જઈએ.
આત્મા ચાર્વાકઃ (અચિત્તાત)
ચા કે કેવળ અચિત્ત તત્ત્વને જ માને છે. પૃથ્વી આદિ ભૂતોના વિશિષ્ટ સંયોજનને પરિણામે જ્ઞાનધર્મ સંયોજનમાં આવિર્ભાવ પામે છે. ભૂતોનું આ વિશિષ્ટ સંયોજન જ આત્મા છે. આત્મા કેઈ સ્વતંત્ર તત્વ નથી. સંયોજનનું વિઘટન થતાં સંજનનો નાશ થાય છે, અર્થાત આત્માને અત્યંત ઉચ્છેદ થાય છે. આમ અહીં જ્ઞાન એ અચિત્તને જ ધર્મ છે. આ અચિત્ત તત્વ પરિણમનશીલ છે. પ્રાચીન સાંખ્ય, જૈન અને બૌદ્ધઃ (ચિત્ત-અચિત્ત દ્વત)
ચાર્વાક મતની વિરુદ્ધ પ્રાચીન સાંખ્ય (વીસ તત્ત્વમાં માનનાર સાંખ્ય), જૈન અને બૌદ્ધ એવું પ્રતિપાદન કર્યું કે જ્ઞાનધર્મ એ ભૌતિક ધર્મોથી ભિન્ન શ્રેણિને છે, અને તેથી ભૌતિક ધર્મો ધરાવનાર અચિત્ત તત્ત્વને તે ધર્મ હેઈ શકે નહિ. તેને માટે અચિત્ત તવથી તદ્દન ઊલટું સ્વતંત્ર ચિત્ત તત્ત્વ સવીકારવું જોઈએ. અચિત્ત તત્ત્વની જેમ આ ચિત્ત તત્વ પણ પરિણમનશીલ છે. તેથી ચિત્ત અને અચિત્તને સંયોગ-
વિગ થાય છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
નગીન જી. શાહ
૫૯ ઉત્તરકાલીન સાંખ્ય : (આત્મ-અનામ દ્વત)
ઉત્તરકાલીન સાંખે ચિત્ત-અચિત્તના હેતના સ્થાને આત્મ-અનાત્મના હેતની સ્થાપના કરી. તેણે ચિત્તથી ઉપરવટ પુરુષ યા આમા નામનું તત્ત્વ સ્વીકાર્યું. તેના સ્વીકારને ન્યાપ્ય ઠેરવવા દર્શન' નામના ધર્મનું પ્રતિપાદન તેણે કર્યું. તેણે કહ્યું કે જ્ઞાન એ ચિત્તનો ધર્મ છે જ્યારે દર્શન એ પુરુષને ધર્મ છે. ચિત્ત જ્ઞાતા છે જ્યારે પુરુષ દ્રષ્ટા છે. આ નવા સ્વીકારેલા પુરુષને તેણે પરિણમનશીલ ન માનતાં ફૂટસ્થનિત્ય મા. આમ પરિણામ અને ફૂટસ્થનિત્યનું કેંત ઊભું થયું. ફૂટસ્થનિત્ય આત્માને પરિણામી ચિત્ત-અચિત્ત સાથે સારો સંયોગ-વિયોગ ઘટતો ન હોઈ બિંબ-પ્રતિબિંબ સંબંધની ભાષા બોલાવી શરૂ થઈ. ૧૦ જૈનો અને બૌદ્ધોએ ચિત્ત ઉપરવટ પુરુષ યા આત્મત ના સ્વીકારનો વિરોધ કર્યો અને જાહેર કર્યું કે સાંખે સ્વીકારેલ દશનધર્મને અમે સ્વીકારીએ છીએ પરંતુ તે ચિત્તને જ ધર્મ છે. ચિત્ત કેવળ જ્ઞાતા નથી પણ જ્ઞાતા અને દ્રષ્ટા બંનેય છે, એટલે ચિત્ત ઉપરવટ પુરુષ યા આત્માને સ્વીકારવાની કોઈ જરૂર નથી.' ન્યાય-વૈશેષિક: (આત્મ-અનાત્મ દ્વત)
ન્યાય-વૈશેષિક દાર્શનિકેએ ઉત્તરકાલીન સાંખ્યના ફૂટસ્થનિત્ય પુરુષ યા આત્માને સ્વીકાર્યો. પરંતુ ઉત્તરકાલીન સાંપે પ્રકૃતિ અંતર્ગત ચિત્ત અને અચિત્ત બંનેનો સ્વીકાર કરેલો જ્યારે ન્યાયવશેષિકે ચિત્તને તદ્દન અસ્વીકાર કર્યો. બૌદ્ધોએ અને જૈને એ પુરુષને ન સ્વીકારી તેને ધર્મ દર્શન ચિતમાં માન્યો જ્યારે ન્યાય-વૈશેષિકેએ ચિત્તને ન સ્વીકારી તેનો ધર્મ જ્ઞાની પુરુષમાં અર્થાત્ આત્મામાં નાખ્યા. ૧૨ હવે આ જ્ઞાન ધર્મ પરિણામી હેઈ, કૂટનિત્ય આત્મામાં પરિ
મીપણું આવતું અટકાવવા કઈ રસ્તો કાઢવાનું તેમને માટે અત્યંત આવશ્યક હતું. તેમણે કહ્યું કે જ્ઞાન ગુણ છે અને આમા દ્રવ્ય છે, અને દ્રવ્ય અને ગુણ વચ્ચે અત્યંત ભેદ છે.૧૩ જ્ઞાન એ આત્માનો સ્વભાવ નથી. તે તો શરીરાવછન્ન આત્મ-મનઃસનિક રૂપ નિમિતકારણથી આત્મામાં ઉત્પન્ન થઈ સમવાય સંબંધ દ્વારા તેમાં રહે છે.૧૪ હવે અહીં પ્રશ્ન થાય કે પુરુષ યા આત્માના ધર્મ દર્શન અંગે ન્યાય-વૈશેષિકે શું કહે છે ? આત્માના ધર્મ દર્શન બાબત ક્યાંય કશી વાત તેઓએ કરી નથી. કદાચ તે જ તેમને મતે આત્માનું સ્વરૂપ હોય અને એમ હોય તે, જ્ઞાન આત્માને ગુણ અને દર્શન આત્માનું સ્વરૂપ ગણાય. પરિણામે દર્શનને આત્મા કદી ને છેડે. સાંખ્યના ચિત્તને ધર્મ એકલ જ્ઞાન જ નથી પણ સુખ, દુઃખ, ઇચ્છા, ઠેષ વગેરે બીજા ઘણા ધર્મો તેના છે. આ બધા ધર્મોને ચિત્ત ન સ્વીકારનાર ન્યાય-વૈશેષિકેએ આત્માના ગુણ ગણ્યા છે. ૧૫ શાંકર વેદાન્ત (આત્મા)
શાંકર વેદાન્ત ચિત્ત અને અચિત્ત બંનેને અસ્વીકાર કર્યો છે. ન્યાચવૈશેષિકોએ ચિત્તને ન સ્વીકારવા છતાં ચિત્તના ધમેને સ્વીકારી તેમને પુરુષના ગણ્યા પરંતુ શાંકર વેદાન્તીએ તો તે ચિતના ધર્મોને પણ સ્વીકાર્યા નથી. અચિત્ત, ચિત્ત, ચિત્તધર્મો બધું જ મિથ્યા છે. કેવળ પુરુષ જ સત્ય છે. આમ હોય તો ચિત્તનો ધર્મ જ્ઞાન એ પુરુષમાં તેઓ સ્વીકારે જ નહિ. કેવળ દર્શન જ પુરુષમાં હોય, જ્ઞાન નહિ. પુરુષ જ્ઞાનસ્વરૂપ નહિ પણ દર્યાનસ્વરૂપ જ મનાય. શિથિલપણે દર્શનના અર્થમાં “જ્ઞાન” શબ્દના પ્રયોગ ભલે થતો જોવા મળે.
Page #3
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનેમાં મેક્ષવિચાર
આમ જેને અને બૌદ્ધોને મતે પરિણમનશીલ ચિત્ત જ આત્મા છે જ્યારે ઉત્તરકાલીન સાંખ્ય, ન્યાય-વૈશેષિક અને વેદાન્તના મતે ફૂટસ્થનિત્ય પુરુષ આત્મા છે.
દરેકને પિતાને દુઃખનો અનુભવ છે. દુઃખ ત્રિવિધ છે–આધ્યાત્મિક (માનસિક), આધિભૌતિક (શરીરની અંદરથી રોગને લીધે ઉદ્ભવતાં દુખે) અને આધિદૈવિક (બીજા છ દ્વારા અપાતાં શારીરિક દુઃખો ).૧૬ વિષયને ભગવતી વખતે લાગતું સુખ પણ પરિણામે દુઃખ છે. સુખભેગકાળે વિષયના નાશના ભયે ચિત્તમાં દુઃખ બીજરૂપે હોય છે. મારા પ્રિય વિષયો છીનવાઈ જશે, નાશ પામશે એવું મનમાં રહ્યા કરે છે. વિષયના ભોગના સુખાનુભવના સંસ્કાર ભવિષ્યમાં નવા ભેગની પૃહા જન્માવી દુઃખનું વિષચક્ર ચાલુ રાખે છે. આમ વિષયોમાં પરિણામ દુ:ખતા, તાપદુ:ખતા અને સંસ્કારદુઃખતા છે. તેથી જ ભગવાન બુદ્ધે કહ્યું કે “સર્વ દુ ”. પિતાના સ્વભાવ ઉપર આવરણે આવી જવાં એ પણ દુ:ખ છે. અ૯૫તા દુ:ખ છે. જન્મમરણ પણ દુ:ખ છે.
દુઃખનાં કારણે પિતાની જાતનું, પોતાના ખરા સ્વરૂપનું અજ્ઞાન એ દુઃખનું મૂળ કારણ છે.૧૮ આ અજ્ઞાનને કારણે આપણે રાગ-દ્વેષ કરીએ છીએ. અને રાગ-દ્વેષ દુઃખ પેદા કરે છે. અજ્ઞાન, રાગ, દ્વેષ આ કલેશો છે. રાગ-દ્વેષપૂર્વક કરાતી પ્રવૃત્તિથી આત્મા (કે ચિત્ત) કર્મ બાંધે છે.૧૮ સાંખ્ય-યોગ, જૈન તે આ કર્મને સહમાતિસૂક્ષમ ભૌતિક દ્રવ્ય ગણે છે, જે આત્માની (કે ચિત્તની) ઉપર આવરણ રચી તેના જ્ઞાન આદિ ગુણને ઢાંકી દે છે. બૌદ્ધો પણ કર્મને આવા ભૌતિક દ્રવ્યરૂપ માનતા હેય એ સંભવ છે.• આ કર્મોનું આવરણ દુઃખરૂપ છે. કલેશને પણ આવરણ માનવામાં આવ્યાં છે. આસકિત, કામ, ક્રોધ, વગેરે સ્વભાવને કેવો ઢાંકી દે છે તેની વાત “ઘાયરો વિષચન પુલ...લેકમાં ગીતાએ કયાં નથી કરી ?
દુઃખનાં કારણેને દૂર કરવાના ઉપાય દુઃખનાં કારણોને દૂર કરવા માટે સૌપ્રથમ તો પોતાના ખરા સ્વરૂપનું જ્ઞાન મેળવવું જોઈએ. આને માટે ચિત્તશુદ્ધિ જરૂરી છે. ચિત્તમાંથી મળે દૂર કરવા મંત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા (માધ્યય) ભાવના કેળવવી જોઈએ. વળી, અહિંસા આદિ પાંચ યમ અને શૌચ આદિ પાંચ નિયમનું પાલન કરવું જોઈએ. પછી ધ્યાનમાર્ગની સાધના દ્વારા ચિત્તની વૃત્તિઓને નિરોધ કરવો જોઈએ. ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં પિતાના ખરા
સ્વરૂપને સાક્ષાત્કાર થાય છે. જેટલાં કલેશે ઓછાં એટલું દુઃખ એ છું. કલેશપૂર્વક કરાતી પ્રવૃત્તિ જ કર્માવરણ રચતી હોઈ ક્લેશ દૂર થતાં કર્માવરણે સંપૂર્ણપણે દૂર થાય છે અને ચિત્ત પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થાય છે, દુઃખમાંથી મુક્ત થાય છે.
મોક્ષ શકય છે? દુઃખમુક્તિ–મોક્ષ શક્ય છે. કેટલાક મોક્ષને અશકય માને છે. તેમની દલીલે નીચે પ્રમાણે છે: (૧) વ્યક્તિ જન્મે છે ત્યારે કલેશે સાથે જ જન્મે છે અને મરે છે ત્યારે પણ કલેશ
Page #4
--------------------------------------------------------------------------
________________
નગીન જી. શાહ સાથે જ મરે છે. કલેશસંતતિ સ્વાભાવિક છે, અનાદિ છે, એટલે તેને ઉચછેદ શકય નથી. કલેશોની સંખલા અત્યંત પ્રબળ અને અવે છે. ૨૨
(૨) વ્યક્તિ જન્મથી માંડી મૃત્યુ સુધી પ્રવૃત્તિઓ કર્યા જ કરે છે. પ્રવૃત્તિથી કર્મબંધ થાય છે. બંધાયેલાં કર્મો ભોગવવા પ્રવૃત્તિ થાય છે. વળી તે પ્રવૃત્તિથી કર્મબંધ અને બંધાયેલાં કર્મ ભેગવવા વળી પ્રવૃત્તિ. આમ ચક્ર ચાલ્યા જ કરે છે, એટલે મોક્ષ શકચ નથી.
(૩) મોક્ષનું સાક્ષાત કારણું સ્વસ્વરૂપનું જ્ઞાન અર્થાત વિદ્યા છે. આ વિદ્યાની ઉત્પત્તિ માટે ઉપાય સમાધિ છે. પરંતુ સમાધિ પોતે જ અશક્ય છે કારણ કે વિષયે અત્યન્ત પ્રબળ છે; ઇચછી ન કરવા છતાં વિષયો તો વૃત્તિઓ ઉતપન્ન કરે છે અને ચિત્તને એકાગ્ર થવા દેતા નથી. વળી, આધિ, વ્યાધિ અને ઉપાધિને લઈને ચિત્ત એકાગ્ર થઈ શકતું નથી. ૨૫
(૪) જે મોક્ષ સંભવતો હોય તો એક સમય એવે આવે જ્યારે બધા મુક્ત થઈ જાય અને સંસારને ઉચ્છેદ થઈ જાય. મોક્ષની સંભાવના સ્વીકારતાં સંસારછેદની આપત્તિ આવે. તેથી મેક્ષ સંભવતો નથી.
ઉપરની ચારેય દલીલોના ઉત્તરે નીચે પ્રમાણે છે.
(૧) કલેશોનો ઉછેદ શક્ય છે એ સુષુપ્તિના દષ્ટાન્તથી સમજાય છે. કલેશો શાન્તિની અવસ્થા સુષુપ્તિ એ લેશક્ષચની અવસ્થાની સંભવિતતા સૂચવે છે. ૨૭ કલેશો સવાભાવિક નથી પણ તેમનું કારણ છે. તેમનું કારણ અજ્ઞાન છે.૨૮ રાગ વગેરેને નાશ તેમની પ્રતિ પક્ષ મૈત્રી આદિ ભાવનાઓથી થઈ શકે છે. ૨૯
(૨) કલેશરહિત વ્યક્તિની પ્રવૃત્તિ કર્મબંધનું કારણ નથી.૩૦ (૩) વિક્ષેપ સમાધિનો ભંગ ન કરી શકે તે માટેનો ઉપાય છેઅભ્યાસ. ૧
(૪) મોક્ષ શક્ય હેવા છતાં સંસ રોચછેદ થવાનો નથી કારણ કે સંસારી જીવો અનંત છે. માટે આત્યંતિક દુ:ખમુક્તિ શક્ય છે એ નિઃશંક છે. ૩૨
ત્રાક્ષ
જેનોને મતે મોક્ષ :
અનાદિ કાળથી કલેશયુક્ત (કષાયયુક્ત) પ્રવૃત્તિઓને કારણે ચિત્તને લાગતાં રહેલાં કર્મોનાં આવર, કલેશોનો સંપૂર્ણ ક્ષય થતાં જ્યારે સંપૂર્ણ પણે દૂર થાય છે ત્યારે જીવને મોક્ષ થયો કહેવાય છે. જેનોને મતે ચિત્ત જ આત્મા છે, તે પરિણામ છે. મેક્ષમાં પણ તે પરિણમી જ રહે છે અને શુદ્ધ પરિણામોને પ્રવાહ ચાલ્યા કરે છે. શુદ્ધ ચિત્ત અનંત જ્ઞાન અને અનંત દર્શન ધરાવે છે કારણ કે જ્ઞાનાવરણીય કર્મો અને દર્શનાવરણીય કર્મોને ક્ષય થઈ ગયો હોય છે. સુખ અને દુ:ખના કારણભૂત વેદતીયકમનો ક્ષય થઈ ગયો હોઈ સુખદુ:ખથી પર તે બની જાય છે. આને પરમ આનન્દની અવસ્થા ગણવામાં આવે છે. દર્શન મોહનીય કર્મને ક્ષય થયો હેઈ ચિત્તને ક્ષાયિક સમ્યફ દર્શન હેય છે. ચારિત્ર્યમહનીય કર્મનો ક્ષય થયો હોઈ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયોને આવિર્ભાવ મોક્ષમાં શકય નથી. તેમ જ હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, જુગુપ્સા વગેરે નોકષાયોને આવિર્ભાવ પણ તેમાં શક્ય નથી. અન્તરાય કર્મના ક્ષયના કારણે આત્મા મોક્ષમાં પૂર્ણ વીર્ય ધરાવે છે. નામકર્મના, ગોત્રકર્મના અને આ યુકમને ક્ષયને કારણે
Page #5
--------------------------------------------------------------------------
________________
કર
ભારતીય દશામાં મેાવિચાર વ્યક્તિત્વના, ઊં ́ચ-નીચ ગાત્રને અને આયુષ્યતા અભાવ હાય છે, અર્થાત્ માક્ષની સ્થિતિમાં તે અશરીરી હાય છે.૩૩
માક્ષ થતાં જીવ ત્યાં જાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં જૈન જણાવે છે કે કર્માં દૂર થતાં જીવ ઊર્ધ્વગતિ કરે છે અને સીધા એક ક્ષણમાં તે લેાકના અગ્રભાગે પહેાંચી ત્યાં આવેલ સિદ્ધશિલા ઉપર સ્થિર થાય છે.૩૪
જો શુદ્ધ ચિત્તો બધાં જ અનન્તજ્ઞાની, અનંતદશી, અનંતચારિત્રી અને અનંતવીર્યવાન હોય તેા તેમની વચ્ચે ભેદ્ર શા ? કંઈ જ નહિ. બધાં એકસરખાં હેાય છે. પરંતુ જંતાએ અહીં માક્ષમાં પણ દરેકનું જીદું વ્યક્તિત્વ સ્થાપવા પ્રયત્ન કર્યા છે અને જણાવ્યું છે કે અંતિમ જન્મમાં દેહપાત વખતે જે શરીરાકાર હેાય તેવા આકાર મેાક્ષાવસ્થામાં પણ તેને હોય છે.૩૫ આ જૈન માન્યતા કંઈક વિચિત્ર લાગે છે.
મેાક્ષના ઉપાય તરીકે જૈનેા સવર અને નિજ રાને ગણાવે છે, સંવરના અર્થ છે કર્મને આવતાં અટકાવવાં અને નિજ રાના અર્થ છે લાગેલાં કર્મોને દૂર કરવાં. કર્માને આવતાં અટકાવવા માટે મન, વચન, કાયાની પ્રવૃત્તિને સંયમ (ગુપ્તિ), પ્રવૃત્તિ કરવામાં વિવેક રાખવા ( સમિતિ ), સહનશીલતા, સમતા, ક્ષમા, ત્યાગ, પાપવિરતિ, અનુપ્રેક્ષા, તપ વગેરે ઉપાયા જણાવાયા છે.૩૬ કર્માંતે દૂર કરવા માટે તપ આવશ્યક છે. બીજી રીતે, જૈનેા સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રને મેક્ષના ઉપાય ગણે છે.” મેાક્ષ માટે ત્રણેય જરૂરી છે. સમ્યક્ દન એ તત્ત્વ તરફ પક્ષપાત છે, સત્ય તરફના પક્ષપાત છે. સમ્યક્ દર્શીનને પરિણામે, જે કંઈ જ્ઞાન હોય છે તે સમ્યકૂ બની જાય છે, કારણ કે હવે તે મેાક્ષ પ્રાપ્તિ માટે ઉપયોગી બને છે અને કુકર્માથી પાછા વાળે છે. ૬૮
જૈનાએ કર્માના એ ભેદ કર્યા છે – ઇર્ષ્યાપથિક અને સાંપરાયિક. ઇર્યાપથિક કર્યાં તે છે જે કષાયરહિત પ્રવૃત્તિને કારણે આત્માને લાગે છે, અને સાંપરાયિક કર્મો તે છે જે કાયયુક્ત પ્રવૃત્તિને કારણે આત્માને લાગે છે. પર્યાપથિક કર્યાં ખરેખર આત્મા સાથે મોંધાતા નથી, ખંધ નામના જ હેાય છે, તેનું કંઈ ફળ નથી.૩૯ આ દર્શાવે છે કે પ્રવૃત્તિ છેડવા કરતાં કષાયેા છેડવા ઉપર વિશેષ ભાર આપવો ઉચિત છે. જેનામાં કાચા નથી તેમ છતાં જે પ્રવૃત્તિ કરે છે તેને જૈત પરિભાષામાં સાગી કેવલી કહેવામાં આવે છે. તેને જીવન્મુક્ત ગણી શકાય. જે કલેશા ઉપરાંત કથી અને પ્રવૃત્તિથી પણ મુક્ત બને છે તેને યાગી દેવલી કહેવામાં આવે છે. આને વિદેહમુક્ત ગણી શકાય.
બૌદ્ધને મતે મેક્ષ :
બૌદ્ધ ' મતે ચિત્ત જ આત્મા છે. ચિત્ત સ્વભાવથી પ્રભાસ્વર છે. જ્ઞાન અને દન તેનેા સ્વભાવ છે. રાગ–દ્રેષ આદિ મળે આગન્તુક છે.૪૦ આ આગંતુક મા અનાદિ કાળથી ચિત્તપ્રવાહ સાથે સેળભેળ થઈ ગયા છે. તેમને દૂર કરી ચિત્તને તેના મૂળ સ્વભાવમાં લાવવા બુદ્ધને ઉપદેશ છે. મળા દૂર થતાં ચિત્તનું સ્વસ્વભાવમાં આવવું તે જ મેાક્ષ છે.૪૧ ‘મુત્તિનર્મરુતાષિય:’(૪૨
બૌદ્ધો મેાક્ષને માટે ‘નિર્વાણુ’શબ્દના પ્રયાગ કરે છે.
બૌદ્ધ મેાક્ષતે વિશે કહેવામાં આવ્યું છે કે પ-વેના—સંજ્ઞા-સંહાર-વિજ્ઞાનવશ્ર્વ નિરાધાત્ અમાવો મોક્ષ:૪૩ આમ પંચસ્કન્ધાભાવ એ મેાક્ષ છે. રૂપકન્ધ દેહવાચી છે. તેને વ્યાપક અ છે
Page #6
--------------------------------------------------------------------------
________________
નગીન જી. શાહ ભૂત-ભૌતિક પદાર્થો. વિજ્ઞાન સકંધ એ નિર્વિચાર અને પરિણામે કેવળ અનુભવાત્મક એવું વિષયાકાર જ્ઞાન છે. સંજ્ઞાસકંધ એ સવિચાર અને સમૃતિજન્ય જ્ઞાન છે. વેદનાસકંધ સુખ-દુ:ખનું વેદન છે. સંસ્કારકંધ એ વાસના છે. આ પાંચ કંધોને નિરોધ એ મોક્ષ છે. આને અર્થ એ થયો કે ચિત્તની વૃત્તિરહિતતા નિર્વાણ છે. નિવણમાં વિષયાકારો કે સુખદુ:ખાકારો ચિત્તમાં ઊઠતા નથી. નિર્વાણમાં કેવળ શાતિ હોય છે. તેને સુખ ગણવું હોય તે ગણે. એક વાર ચિત્ત આવી અવસ્થાને પામે છે પછી તે તેમાંથી યુત થતું નથી. આ અર્થમાં નિર્વાણને અશ્રુત અને નિત્ય ગણવામાં આવે છે.
રૂપાદિ પાંચ સકંધે જ સંસારી અવસ્થામાં એક ચિત્તને બીજા ચિત્તથી ભેદ કરે છે અને વ્યક્તિત્વ બક્ષે છે. આ વ્યક્તિત્વને માટે “પુગલ' શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. રૂપ આદિ પાંચ સકંધે જ ચિતનું વ્યક્તિત્વ છે, હેરું છે. તેમનાથી અતિરિક્ત વ્યક્તિત્વ છે જ નહિ. આ સમજાવવા માટે જ નાગસેને રથનું પ્રસિદ્ધ દષ્ટાન્ત આપ્યું છે. રથના એક એક અવયવને લઈ નાગસેન પૂછે છે, “ આ રથ છે” ? દરેક વખતે મિલિન્દ “ના” કહે છે. છેવટે કેઈ અવયવ કે કશું બચતું નથી ત્યારે નાગસેન પૂછે છે, કે તો પછી રથ કયાં ? ચક્ર આદિ અવયવોથી અતિરિક્ત રથ નામની કોઈ અવયવી વસ્તુ નથી. અવયથી ભિન્ન અવયવી નામની કઈ વસ્તુને બૌદ્ધો સ્વીકારતા નથી એ અહીં ધ્યાનમાં રાખીએ. કંધે પોતે જ વ્યક્તિત્વ છે. આ વ્યક્તિત્વને જ પગલ કહેવામાં આવે છે. ૪૪ નિર્વાણમાં પાંચ ધોને અભાવ થતાં વ્યક્તિત્વને અર્થાત પુદ્ગલને અભાવ થાય છે. પરંતુ એને અર્થ એ નહિ કે ચિત્તનો અભાવ થઈ જાય છે. વ્યક્તિત્વવિહીન ચિત્ત તો નિવણમાં રહે છે જ.૪૫ અર્થાત, નિર્વાણમાં બધાં ચિત્તો તદ્દન એકસરખાં જ હોય છે. તેમની વચ્ચે કઈ પણ પ્રકારને ભેદ હોતો નથી. દીપનિર્વાણનું દષ્ટાન્ત આ પુદ્ગલનિર્વાણને સમજાવે છે. તેલ ખૂટી જતાં કે વાટ સળગી જતાં દીવો જેમ હેલવાઈ જાય છે, તેનો ઉકેદ થાય છે, તેમ પાંચ સ્કંધોનો અભાવ થતાં વ્યક્તિત્વને (પુદ્ગલન) નાશ થાય છે. આત્મા’ શબ્દ ચિત્ત અને પુદગલ બંનેને માટે વપરાયો હોવાથી નિર્વાણુમાં ચિત્તનેય અભાવ થઈ જાય છે એવી ગેરસમજ ઊભી થઈ છે.
કેટલાકના મતે દીપનિર્વાણનું દષ્ટાન્ત, મુક્ત થયેલું ચિત્ત કયાં જાય છે એવા પ્રશ્નને પિતાને ઉત્તર સમાવવા બૌદ્ધોએ આપેલ છે. ધી બુઝાઈ જતાં કયાં જાય છે? પૂર્વમાં, ઉત્તરમાં, ઉપર, નીચે, દક્ષિણમાં, ઇત્યાદિ ? આ પ્રશ્ન પૂછી બોદ્ધો સચવવા માગે છે કે મુક્ત થયેલું ચિત્ત કયાં જાય છે એ પ્રશ્ન પૂછવું યોગ્ય નથી. તે અમુક જગ્યાએ જઈને રહે છે એમ કહેવું ઉચિત નથી. સિદ્ધશિલા જેવી કલ્પનાને બૌદ્ધો યોગ્ય ગણતા નથી.
બૌદ્ધોએ નિર્વાણના બે પ્રકાર માન્યા છે- પધિશેષ અને નિરુપધિષ. સોપધિશેષમાં રાગાદિને નાશ થઈ જાય છે પણ પંચસકંધો રહે છે. અહીં ચિત્તનું પુદગલ અર્થાત વ્યક્તિત્વ નિરાસવ (રાદિ દેષરહિત) હોય છે. આને જીવનમુક્તિ ગણી શકાય. નિરુપધિશેષમાં પાંચ ધોને પણ અભાવ થઈ જાય છે. અહીં ચિત્તનું પુગલ અર્થાત વ્યક્તિત્વ પણ નાશ પામે છે. કેવળ ચિત્ત જ રહે છે. આને વિદેહમુક્તિ ગણી શકાય. - બૌદ્ધોનું ચિત્ત ક્ષણિક છે, તો પછી તેના મેક્ષની વાત કરવાનો શો અર્થ ? આનો ઉત્તર એ છે કે ચિત્ત ક્ષણિક હેવા છતાં એવાં ચિત્તની એક હારમાળાને (=સન્નતિને), જેમાં પૂર્વ
Page #7
--------------------------------------------------------------------------
________________
૬૪
ભારતીય દર્શનામાં મેાક્ષવિચાર
પૂર્વનાં ક્ષણિક ચિત્તો ઉત્તરઉત્તરનાં ક્ષણિક ચિત્તોનાં ઉપાદાન કારણેા હાય છે, બૌદ્દો માને છે. ચિત્તસન્તતિમાં પ્રવાહનિત્યતા છે. તેથી તેના મેાક્ષની વાત કરવામાં કશું અનુચિત નથી.૪૮ જે ચિત્તસન્તતિ મળે! દૂર કરી શુદ્ધ થાય છે તે જ સન્તતિ મુક્ત થાય છે, બીજી નહિ. ચિત્તસંતતિ અને ચિત્તદ્રવ્ય એ એમાં કાઈ ખાસ ભેદ નથી.
ખુદ્દે નિર્વાણુના ઉપાયા તરીકે શીલ, સમાધિ અને પ્રજ્ઞાને અષ્ટાંગિકમાગ, સાત ખેાધિ-અંગ, ચાર મૈત્રી આદિ ભાવના નિર્વાણુના ઉપાયા ગણાવ્યા છે.૪૯ બૌદ્દો પણ કહે છે કે તૃષ્ણા જ કારણુ છે. જે તૃષ્ણારહિત બની પ્રવૃત્તિ કરે છે, તે દુ:ખી થતા નથી અને કર્મ બાંધતા નથી. સાંખ્યયાગ દૃષ્ટિએ મેાક્ષ :
ગણાવ્યાં છે. વળી તેમણે આ બ્રહ્મવિહાર) અને સમાધિને પણુ દુઃખનું મૂળ છે અને કર્માંબધનું
સાંખ્યયોગ મતે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક દુ:ખત્રયની આત્યંતિક નિવૃત્તિ મેક્ષ છે. સાંખ્યયેાગ ચિત્ત ઉપરવટ પુરુષ માને છે. તેથી પ્રશ્ન ઊઠે છે કે મેાક્ષ કાના—ચિત્તને કે પુરુષના ? કેટલાક મધ અને મેક્ષ ખરેખર ચિત્તના જ માને છે.પ જ્યારે ખીન્ત કેટલાક બંધ અને મેાક્ષ પુરુષના માને છે. જેએ બંધ અને મેાક્ષ ચિત્તના માને છે તે કહે છે: ચિત્તમાં પુરુષનુ' પ્રતિબિંબ પડે છે. પુરુષના પ્રકાશથી પ્રકાશિત ચિત્ત તે જ પુરુષ છે એમ માની લે છે અને સુખદુઃખ તેમ જ વિધ્યાકારે પરિણમનાર હું. પેાતે જ પુરુષ છું' એવું અભિમાન ધરાવે છે. આ ચિત્તને અવિવેક (યા અજ્ઞાન) છે. ચિત્ત યાગસાધના દ્વારા વૃત્તિનિરોધ કરે છે અને ચિત્તમળાને દૂર કરી પોતાની શુદ્ધિ કરે છે. આવા ચિત્તમાં પુરુષનુ સ્પષ્ટ અને વિશઘ્ર પ્રતિબિંબ પડે છે. હવે ચિત્તને પુરુષના ખરા સ્વરૂપનું જ્ઞાન થાય છે અને પરિણામે પોતાના પુરુષથી ભેદ સમજાય છે. આ છે વિવેકજ્ઞાન. વિવેજ્ઞાનથી તે જાણે છે કે પુરુષ તા ફૂટસ્થનિત્ય અને નિર્ગુણુ છે, જ્યારે હું પરિણામી અને ગુણી છું. આવું વિવેકજ્ઞાન થતાં ચિત્ત પુરુષના પ્રતિષિંખને ઝીલવાનુ અધ કરી દે છે અને સ’પૂર્ણ વૃત્તિનિરોધ કરી પુરુષ આગળ પોતે પ્રગટ થવાનુ ખંધ કરી દે છે. તેને હવે પુરુષ સાથે કોઈ સબંધ રહેતા નથી, કારણ કે પુરુષ ચિત્તની વૃત્તિઓના જ દ્રષ્ટા છે.પ૧ પરંતુ વૃત્તિઓને સ પૂર્ણ નિરાધ થતાં પુરુષ પોતે દ્રષ્ટાસ્વરૂપ હેાવા છતાં તેના ચિત્ત સાથેના દ્રષ્ટાપણાને સંબધ પૂરા થઈ જાય છે. ચિત્ત કેવળ બની જાય છે.પર પુરુષનુ પ્રતિબિંબ ચિત્તમાં પડતું નથી. છેવટે ચિત્તના પાતાની મૂળ પ્રકૃતિમાં લય થઈ જાય છે. આ ચિત્તલય જ મેાક્ષ છે. ચિત્તમાં પુરુષના પ્રતિબિંબના અથ સમજવાના છે ચિત્તનું પુરુષાકારે પરિણમન, ચિત્ત તે તે વિષયના આકારે પરિણમી તેને જાણે છે.
જે ચિત્તના માક્ષ માને છે તે પુરુષમાં ચિત્તના પ્રતિòિખની વાત કરતા નથી. જેએ પુરુષતા માક્ષ માને છે તે પુરુષમાં ચિત્તનું પ્રતિબિંબ સ્વીકારે છે.૧૩ આ પ્રતિબિંબ દર્પણુમાં મુખપ્રતિબિંબ જેવુ છે, પરિણામરૂપ નથી. તેમ છતાં જેએ પુરુષમાં ચિત્તનું પ્રતિબિંબ નથી સ્વીકારતા તેઓ માને છે કે આવું પ્રતિબિંબ પણ પુરુષમાં માનીએ તા ફૂટસ્થનિત્ય પુરુષની એ અવસ્થાએ માનવી પડે અને પરિણામે પુરુષના ફૂટસ્થંનિત્યત્વને હાનિ થાય.
કાઈને પ્રશ્ન થાય કે ચિત્તના મેાક્ષની વાતમાં દુઃખમુક્તિ કયાં આવી? એના ઉત્તર આ પ્રમાણે છે. દુઃખ એ ચિત્તની વૃત્તિ છે. દુઃખરૂપ ચિત્તવૃત્તિ ઉદ્ભવવાનું કારણ રાગ આદિ ક્લેશા છે. લેરો પશુ ચિત્તવૃત્તિ છે. રાગ આદિ કલેશારૂપ ચિત્તવૃત્તિઓના નિરાધ થતાં દુઃખરૂપ ચિત્તવૃત્તિને
Page #8
--------------------------------------------------------------------------
________________
નગીન જી. શાહ
૬૫
નિરોધ થઈ જાય છે. વિવેકજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિથી અવિવેકજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિને નિરોધ થઈ જાય છે. અવિવેકજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિના નિરાધ થતાં રાગ આદિ કલેશરૂપ ચિત્તવૃત્તિને નિરોધ થાય છે અને ક્લેશરૂપ ચિત્તવૃત્તિઓને નિરોધ થતાં દુઃખરૂપ ચિત્તવૃત્તિને નિરાધ થઈ જાય છે.પ૪
વિવેકી ચિત્તને ક્લેશ કે દુ:ખ હેતાં નથી. વિવેકી ચિત્તને પુનર્ભવ નથી. આ જીવનમુક્તિ છે,૫૫ તેનાં પ્રારબ્ધ કમેર્યાં ભાગવાઈ જતાં વિવેકી ચિત્ત કમમુક્ત થાય છે અને તેને પ્રકૃતિમાં લય થાય છે. આ વિદેહમુક્તિ છે.પ. આમ ક્રમથી અજ્ઞાનમુક્તિ, કલેશમુક્તિ, દુ:ખમુક્તિ અને કરમુક્તિ થાય છે.૫૭
જે પુરુષની મુક્તિની વાત કરે છે તે આ પ્રમાણે જણાવે છે: પરિણામી ચિત્તની વૃત્તિઓનુ` પ્રતિબિંબ પુરુષમાં પડે છે. પુરુષગત ચિત્તવૃત્તિના પ્રતિભિ અને અર્થ પુરુષનું ચિત્તવૃત્તિના આકારે પરિણમન નથી પરંતુ કેવળ પ્રતિબિંબ જ છે. તેથી પુરુષની ફૂટસ્થનિત્યતાને કઈ વાંધા આવતા નથી.૫૮ ચિત્તની સ્વપુરુષતા અવિવૈકરૂપ ચિત્તવૃત્તિ, સુખાકાર કે દુઃખાકાર ચિત્તવૃત્તિ પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. આમ પુરુષમાં પ્રતિબિંબાત્મક અવિવેક અને દુ:ખ છે. જ્યારે ચિત્તમાં વિવેકજ્ઞાનરૂપી વૃત્તિ જાગે છે ત્યારે ક્રમથી રાગાદિ લેશેારૂપ ચિત્તવૃત્તિ અને દુઃખરૂપ ચિત્તવૃત્તિ ચિત્તમાં ઊઠતી નથી. પરિણામે પુરુષમાં પણ પ્રતિબિંબાત્મક વિવેકજ્ઞાન જાગે છે અને તેથી ક્રમશઃ પ્રતિબિંબાત્મક ક્લેશરૂપ ચિત્તવૃત્તિએ અને દુ:ખરૂપ ચિત્તવૃત્તિ દૂર થાય છે. આમ પુરુષ પ્રતિષિ ખાત્મક દુઃખમાંથી મુક્ત થાય છે.૫૯ છેવટે જ્યારે ચિત્ત વિવેકજ્ઞાનરૂપ વૃત્તિનેાય નિરોધ કરી સર્વ વૃત્તિઓને નિરાધ સાધે છે ત્યારે ચિત્તનું પ્રતિબિંબ પુરુષમાં પડતું મધ થઈ જાય છે, કારણ કેવૃત્તિરહિત ચિત્તનું પ્રતિષિઞ પુરુષમાં પડી શકતું નથી.” આમ પુરુષ સાવ કેવળ ખની જાય છે અને કૈવલ્ય પામ્યા એમ કહેવાય છે.
આમ ચિત્તને ચા ગુણૢાના પેાતાના મૂળ કારણમાં લય એ કૈવલ્ય છે; અથવા સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત ચિતિશક્તિ એ કૈવલ્ય છે.૬૧
મેક્ષમાં ચિત્તને તા લય થઈ ગયા હૈાય છે. કેવળ પુરુષ જ હેાય છે. પુરુષને સુખ હતુ નથી, કારણ કે હવે સુખરૂપ ચિત્તવૃત્તિનું પુરુષમાં પ્રતિબિંબ અસંભવ છે. બીજું, પુરુષ દ્રષ્ટા છે પરંતુ તેના દનના વિષયભૂત ચિત્તવૃત્તિને અભાવ હાઈ પુરુષને કશાનુ` દર્શન નથી. આમ અહીં તે કશાનું દર્શન ન કરતા હોવા છતાં દ્રષ્ટા છે. સાંખ્ય-યોગ પુરુષમહુત્વવાદી હાઈ આવા મુક્ત પુરુષો અનેક છે. ૨ મુક્ત પુરુષાને રહેવાનું કંઈ નિયત સ્થાન સાંખ્ય-ચેાગે જણાવ્યુ` નથી. આનું કારણ એ હોઈ શકે કે તેમને મતે પુરુષ વિભુ યા સર્વાંગત છે. પુરુષને જ્ઞાન હેતુ નથી કારણુ કે એ તા ચિત્તના ધર્મો છે.
ન્યાયવૈશેષિક મતે મેાક્ષ :
ન્યાય-વૈશેષિક મતે પણ આત્મન્તિક દુ:ખનિવૃત્તિ મેાક્ષ છે. આપણે જોઈ ગયા કે આ દાર્શનિકા ચિત્તને માનતા નથી. પરંતુ ચિત્તના જ્ઞાન, દુ:ખ વગેરે ધર્મ પુરુષમાં માને છે. આમ દુઃખ પુરુષના ધર્મ છે, ગુણુ છે. જ્ઞાન, સુખ, દુ:ખ વગેરે ગુણે અનિત્ય છે, તેઓ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. અનિત્ય ગુણા ધરાવનાર પુરુષ ફૂટસ્થનિત્યક્રમ હેાઈ શફે ? તે માટે
દ
Page #9
--------------------------------------------------------------------------
________________
ભારતીય દવામાં મેાક્ષવિચાર ન્યાયવૈશેષિકાએ અનિત્ય ગુણાને પુરુષથી અત્યંત ભિન્ન માન્યા છે. છતાં તે ઉત્પન્ન થઈ પુરુષમાં સમવાયસ બધથી રહે છે. તેથી દુ:ખ એ પુરુષનું સ્વરૂપ નથી પણ આવા ગુણ છે. દુઃખની ઉત્પત્તિ થતી તદ્ન ખધ કરી દેવામાં આવે તે પુરુષમાં સમવાય સંબધથી રહેતા દુઃખને અભાવ થઈ જાય. આ જ મેક્ષ છે.
સાંખ્યના ચિત્તના જે ધર્યા છે તે વૈશેષિકના પુરુષના વિશેષ ગુણ્ણા છે. આ ગુણો નવ છે— જ્ઞાન, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધ, અધમ અને સંસ્કાર. આ નવેય ગુણ્ણાને અત્યન્ત ઉચ્છેદ મેક્ષ છે.૬૩ આત્માના આ વિશેષ ગુણૈાનેા અત્યન્ત ઉચ્છેદ થવાથી આત્માને પેાતાનેા ઉચ્છેદ થતા નથી, કારણ કે દ્રવ્યરૂપ આત્મા નિવિકાર, ફૂટસ્થનિત્ય છે અને તેને તેના વિશેષણાથી અત્યન્ત ભેદ છે. આત્માના બધા વિશેષગુણાને જ્યારે અત્યન્ત એ થાય છે ત્યારે તેનું સ્વસ્વરૂપમાં અવસ્થાન થાય છે. ૪ પરંતુ આત્માનું સ્વરૂપ શું ? ન્યાય-વૈશેષિકાએ કહ્યુ નથી પણ તેમના આત્માનું સ્વરૂપ પણ સાંખ્યના પુરુષનું જે સ્વરૂપ – દન – છે તે હાય, ન્યાયવૈશેષિકોના આત્મા ચેતન છે,
ઉપરની ચર્ચા ઉપરથી કૂલિત થયુ` કે મેક્ષમાં આત્માને જ્ઞાન પણ નથી કે સુખ પણ નથી. ( અને છ્હનની વાત તા કયાંય ન્યાય-વૈશેષિકાએ કરી જ નથી.) ન્યાય-વૈશેષિકોના આવા મેાક્ષની કટુ આલાચના વિરાધીઓએ કરી છે. તેઓ કહે છે કે મુક્તિમાં આત્મા સુખ અને સ ંવેદનથી રહિત થઈ જતા હોય તો એની અને જડ પથ્થરની વચ્ચે શું અંતર રહ્યું? મુક્ત આત્મા અને જડ પથ્થર ખ સુખ અને જ્ઞાનથી રહિત છે. જો મુક્ત આત્મા જડ પથ્થર જેવા જ હોય તા પછી તે દુઃખ મુક્ત છે એમ કહેવાના શા અ o ૬૫ આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિકા જણાવે છે કે કોઈ બુદ્ધિમાન માણસને એવું કહેતા સાંભળ્યા નથી કે પથ્થર દુ:ખમાંથી મુક્ત થયા. દુઃખનિવૃત્તિના પ્રશ્ન તેની જ બાબતમાં ઊઠે છે જેની બાબતમાં દુઃખાત્પત્તિ શકય હોય. પથ્થરમાં દુઃખેાત્પત્તિ શકય જ નથી, તેથી મુક્ત આત્માને પથ્થર સાથે સરખાવા યાગ્ય નથી.૬૬ વળી, વિરોધીઓ આક્ષેપ કરે છે કે જો મુક્ત પુરુષને કઈ જ્ઞાન ન હોય અને તેને કંઈ સુખ ન હોય તે તેની અવસ્થા મૂર્છાવસ્થા જેવી ગણાય અને મૂર્છાવસ્થાને કાઈ નથી ઇચ્છતું, તા તેને કાણુ ઇચ્છે? આના ઉત્તરમાં ન્યાય-વૈશષિક જણાવે છે કે ઝુદ્ધિમાન મનુષ્ય કદીય મૂર્છાવસ્થા નથી ઇચ્છતા એમ માનવું બરાબર નથી. અસહ્ય વેદનાથી કંટાળી બુદ્ધિમાન મનુષ્ય પણ મૂર્છાવસ્થા ઇચ્છે છે અને કેટલીક વાર તેા આત્મહત્યા કરવા પણ તત્પર થાય છે. વળી, ન્યાય-વૈશેષિક ચિંતકો કહે છે કે સુખ અને દુઃખનિવૃત્તિ ખ'તેય ઋષ્ટ છે, પુરુષાર્થ છે, પરંતુ બુદ્ધિમાન વ્યક્તિને તે બેમાંથી દુ:ખનિવૃત્તિ જ વધુ પ્રિય છે કારણ કે તે જાણે છે કે કેવળ સુખ પામવું અશકય છે, સુખ દુ:ખાનુષક્ત જ હોય છે. ન્યાય-વૈશેષિકના આ પ્રસ્થાપિત સિદ્ધાન્ત વિરુદ્ધ નવમી શતાબ્દીના ભાસન નામના નૈયાયિક મેક્ષમાં નિત્ય સુખ અને તેના સંવેદનની સ્થાપના કરી છે.૬૯
જો પુરુષનું સ્વરૂપ દ ન હોય તેા ન્યાય-વૈશેષિકાએ દનની વાત કેમ કયાંય કરી નથી ? આપણે જાણીએ છીએ કે પુરુષના દર્શાના વિષય ચિત્તવૃત્તિ છે. ચિત્તને ન માનવાથી ચિત્તવૃત્તિઆના અભાવ છે. તેથી ન્યાય—વૈશેષિકોના પુરુષને દર્શનના વિષયના સદ ંતર સ`કાળે અભાવ છે. એટલે ન્યાય-નૈશેષિકોએ દતની વાત કરી લાગતી નથી. ચિત્તને ન માનવા છતાં કૃત્તિએ તે ન્યાયવૈશેષિકોએ માની છે, અલબત્ત તે પુરુષગત છે. પુરુષમાં સમાયર્સ ધથી રહેતી વૃત્તિઓનું દર્શીન પુરુષ કરે છે એમ માનવામાં ન્યાય-વૈશેષિકોને શી આપત્તિ છે ? કાઈ આપત્તિ જણુાતી નથી,
Page #10
--------------------------------------------------------------------------
________________
નગીન જી. શાહ અલબત્ત, તેમ માનતાં તેમણે જ્ઞાન કદી અસંવિદિત રહેતું નથી એમ માનવું પડે, જ્ઞાન સંવિદિત જ ઉત્પન થાય છે એમ માનવું પડે – જે એમને ઇષ્ટ નથી. કદાચ એ કારણે દર્શનને તેમણે સ્વીકાર્યું જ ન હોય એમ બને.
અનામ દેહ વગેરેમાં આત્મબુદ્ધિ મિથ્યાજ્ઞાન છે.અનામે દેહ વગેરેમાં અનાત્મબુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ તત્વજ્ઞાન છે. તવજ્ઞાનથી મિથ્યાજ્ઞાન દૂર થાય છે. મિથ્યાજ્ઞાન દૂર થતાં અનાત્મ શરીર વગેરે પ્રત્યેને મોહ, રાગ દૂર થાય છે. અર્થાત મિથ્યાજ્ઞાન દૂર થતાં રાગ વગેરે દેષ દૂર થાય છે. રાગ વગેરે દેશે દૂર થતાં વ્યક્તિની પ્રવૃત્તિ નિર્દોષ બની જાય છે. આવી રાગાદિદોષરહિત પ્રવૃત્તિ પુનર્ભવનું કારણ નથી.૭૩ દેષરહિત પ્રવૃત્તિ કરનારને પુનર્ભવ અટકી જાય છે. પ્રવૃત્તિ દોષરહિત હોવાથી નવા કર્મો બંધાતા નથી. તેથી જે રાગ વગેરે દેશોથી મુક્ત થઈ ગયો હોય છે તે વિહરતો હોવા છતાં મુક્ત છે- જીવનમુક્ત છે.૭૪ આ અવસ્થાને અપરા મુક્તિ કહેવામાં આવે છે.
જે રાગ વગેરે દેથી મુક્ત થયો હોય છે તેને પુનર્ભવ અટકી ગયો હોવા છતાં અને તે નવાં કર્મો બાંધતા ન હોવા છતાં તેના પૂર્વકૃત કર્મોનાં બધાં ફળ ભેગવાઈ ન જાય ત્યાં સુધી તેને છેલા જન્મમાં જીવવાનું હોય છે.૭૫ અનન્ત જન્મમાં કરેલાં કર્મો એક જન્મમાં કેવી રીતે ભોગવાઈ જાય એવી શંકા અહીં કેઈને થાય. * આ શંકાનું સમાધાન ન્યાય-વૈશેષિક ચિંતકો નીચે પ્રમાણે કરે છે. એક, કર્મક્ષય માટે આટલે સમય જોઈએ જ એ કેઈ નિયમ નથી. બીજુ, પૂર્વના અનન્ત જન્મોમાં જેમ કર્મોને સંચય થતો રહ્યો તેમ ભોગથી તેમનો ક્ષય પણ થતો રહ્યો હોય છે. ત્રીજ, છેલ્લા જન્મમાં તે તે કર્મને વિપાક ભોગવવા માટે જરૂરી જુદાં જુદાં અનેક નિમણુશરીરે યોગસિદ્ધિના બળે નિર્માણ કરીને તેમ જ મુક્ત આત્માઓએ છોડી દીધેલાં મનને ગ્રહણ કરીને તે જીવન્મુક્ત બધાં પૂર્વકૃત કર્મોને વિપાકને ભોગવી લે છે.૭૮ પૂર્વકમે છેલા જનમમાં ભગવાઈ જતાં નિર્દોષ પ્રવૃત્તિ પણ અટકી જાય છે, અર્થાત્ શરીર પડે છે. ૮ પરંતુ હવે ભેગવવાનાં કઈ કર્મો ન હોવાથી નવું શરીર તે ધારણ કરતો નથી. તેને જન્મ સાથે સંપર્ક છૂટી જાય છે, દેહ સાથે સંબંધ છૂટી જાય છે. દેહ સાથેનો સંબંધ નાશ પામતાં સર્વ દુઃખને આત્યંતિક ઉચ્છેદ થઈ જાય છે. આને પરામુક્તિ યા નિર્વાણમુક્તિ કહેવામાં આવે છે.
- તત્ત્વજ્ઞાનથી દેષ, પ્રવૃત્તિ, જન્મ અને દુઃખ દૂર થાય છે એ ખરું પણ તત્ત્વજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય છે ? તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ અષ્ટાંગ યોગના અનુષ્ઠાનથી થાય છે. ૨૧ વળી, તરવજ્ઞાનની ઉત્પત્તિ માટે અધ્યાત્મવિદ્યાનું શ્રવણ-મનન-નિદિધ્યાસન, અધ્યાત્મવિદ સાથે સંવાદ અને અશુભ સંજ્ઞાની ભાવના પણ જરૂરી છે. મીમાંસક મતે મેક્ષ :
આત્મા વિશેની મીમાંસક માન્યતા લગભગ ન્યાય-વૈશેષિકની માન્યતા જેવી જ છે. મીમાંસક મતિ પણ જ્ઞાન આપનું સ્વરૂપ નથી પણ ગુણ છે જે અમુક નિમિત્તકાર/ન પરિણામે આત્મામાં ઉત્પન્ન થાય છે. સંસ્કૃતિ અને મેક્ષમાં આત્મામાં જ્ઞાન હેતું નથી, કારણ કે જ્ઞાનના નિમિત્તે કારણે ઇન્દ્રિયાર્થસનિકષ વગેરે સુષુપ્તિ અને મોક્ષમાં હોતાં નથી. મીમાંસને વૈશેષિકેથી એટલે
Page #11
--------------------------------------------------------------------------
________________
ટ
ભારતીય દાનામાં મેાક્ષવિચાર
ભેદ છે કે મીમાંસા મેાક્ષમાં આત્મામાં જ્ઞાનશક્તિ માને છે જ્યારે વૈશેષિા મેાક્ષમાં આત્મામાં જ્ઞાનશક્તિ માનતા નથી. આનું કારણ એ છે કે મીમાંસા દ્રવ્ય, ગુણ, કર્માં વગેરે ઉપરાંત પદાર્થોમાં શક્તિને એક પટ્ટા તરીકે સ્વીકારે છે, જ્યારે ન્યાય-વૈશેષિકા શક્તિપાતે સ્વીકારતા નથી. આત્માને માક્ષમાં જેમ જ્ઞાન નથી તેમ સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધ, અધમ તથા સસ્કાર પણું નથી. મીમાંસા કામ્ય કર્મોને અર્થાત્ તૃષ્ણાપ્રેરિત પ્રવૃત્તિને જ દુ:ખનું અને કર્મ બંધનનું કારણ ગણે છે. નિષ્કામભાવે કરવામાં આવતાં વેદવિહિત અને નિત્યનૈમિત્તક કર્માં દુ:ખ કે કર્મબંધનું કારણ નથી. એટલે દુ:ખમાંથી મુક્ત થવા કામ્ય કર્મોને તેમ નિષિદ્ધ કર્મોને છે।ડવાં જોઈએ. આ કર્માંતે છેડવા તૃષ્ણા યા કામને છેડવા જોઈ એ, તૃષ્ણાને જીતવા આત્માને બરાબર જાવા જોઈએ. આત્માને અર્થાત્ બ્રહ્મને જાણવા વેદાન્તના અભ્યાસ કરવા જોઈએ. આત્મજ્ઞાન મેાક્ષભિગામી પ્રવૃત્તિનું કારણ છે, આત્મજ્ઞાન મેક્ષનુ સાક્ષાત્ કારણુ નથી. મેાક્ષનું સાક્ષાત્ કારણુ આત્મજ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિ છે — કમ' છે. માક્ષમાં જ્ઞાન નથી. મેાક્ષમાં સુખ નથી.‘નિનિશ્ર્વ મોક્ષઃ ૭ મેાક્ષમાં દુઃખાભાવ માત્ર છે, મેક્ષમાં જ્ઞાનશક્તિ માની છે.૮૪ શાંકર વેદાન્તીઓના મતે માક્ષ:
બ્રહ્મને સત્ય અને જગતને મિથ્યા માનનાર શાંકર વેદાતીને મતે જગતની બધી વસ્તુએની જેમ ચિત્ત પણ મિથ્યા છે, માયાજનિત છે. તેમનુ' અસ્તિત્વ વ્યાવહારિક છે, પારમાર્થિક નથી. જ્યાં સુધી જીવને અજ્ઞાન છે ત્યાં સુધી તેને માટે તેમનું અસ્તિત્વ છે,
જ્ઞાન થતાં તેમનુ અસ્તિત્વ નથી. પરંતુ જીવ શું છે ? તે છે માયિક ચિત્તમાં પડતું બ્રહ્મનુ ( = પુરુષનુ' ) પ્રતિબિંબ, સાંખ્યથી વિરુદ્ધ અહીં પુરુષો અનેક નથી પણ એક છે. એ એક પુરુષનું પ્રતિબિંબ અનેક ચિત્તો ઝીલે છે, ચિત્તોને ભેદ સંસ્કારભેદે અને લેશભેદે છે. આવાં ભિન્ન સંસ્કાર અને ભિન્ન લેશેા ધરાવતાં ચિત્તોમાં પડતું પ્રતિબિંબ ચિત્તમાષ્યમભેદે ભિન્ન ભિન્ન હાય છે. આ પ્રતિબિંબે (જીવ) એમ માને છે કે તેઓ બધાં પુરુષથી ભિન્ન છે અને તેમનુ સ્વતંત્ર અસ્તિત્વ છે. પ્રતિબિંબનુ અસ્તિત્વ કદી બિંબનિરપેક્ષ સ્વતંત્ર હાઈ શકે ? ના. પર ંતુ ત તા પોતાને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા માને છે. આ તેમનુ અજ્ઞાન છે.૫ “તું બ્રહ્મ જ છે '' એ મહાવાકયનું શ્રવણ, આચાર્યાપદેશ, વગેરેથી તેને ઝાંખી થવા લાગે છે કે હુ` બ્રહ્મ છું, ત્યાર બાદ તે “ હું બ્રહ્મ છું.” એવી અખંડાકાર ચિત્તવૃત્તિના પ્રવાહ દ્વ્રારા (અર્થાત્ ધ્યાન દ્વારા) ભેદવિષયક અજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિના નાશ કરે છે.૮૬
અજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિને નાશ થતાં અજ્ઞાનના વૈશ્વિક રૂપ માયામાંથી પેદા થયેલું ચિત્ત લેપ થઈ જાય છે, ચિત્તને લેપ થતાં ચિત્તમાં પડતુ બ્રહ્મનું પ્રતિબિંબ પોતાના બિંબમાં ( = બ્રહ્મમાં) સમાઈ જાય છે. આમ જીવબ્રહ્મનું ઐકચ થાય છે. આજ બ્રહ્મસાક્ષાત્કાર છે. આ જ વેદાન્તની મુક્તિ છે. હવે પ્રશ્ન થાય છે કે આમાં દુ:ખમુક્તિની વાત કયાં આવી ? એક જીવ પેતાને ખીજા જીવાથી અને બ્રહ્મથી જુદેં માને છે એટલે મેાહ, શાક, વગેરે જન્મે છે, જે દુઃખનાં કારણ છે. એટલે જીવે બધે એકત્વ જ જોવું જોઈએ અને બધાને બ્રહ્મરૂપ જ સમજવા જોઈએ, જેથી દુ:ખને સ ંભવ જ ન રહે. તંત્ર જો મો: જો સ્ત્યમનુંપચતઃ। એકત્વ હેાય ત્યાં ભય પણ કાન રહે? એ હાય ત્યાં એક ખીજાથી ભય પામે. ટ્વિતીયાત્ હૈ મયં મળત! એટલે અદ્વૈતસાક્ષાત્કાર જ દુઃખમુક્તિ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
નગીન જી. શાહ
બ્રહ્મને આનંદસ્વરૂપ વણુવ્યું છે. મુક્તિમાં જીવ બ્રહ્મમાં સમાઈ જાય છે, બ્રહ્મરૂપ બની જાય છે, તેનું અલગ અસ્તિત્વ કે વ્યક્તિત્વ રહેતું જ નથી. તે બ્રહ્મત્વ પ્રાપ્ત કરે છે. પરિણામે તે સ્વય આત દસ્વરૂપ બની જાય છે, તે આનંદના અનુભવ કરનારા કે ભોક્તા નથી પણ તે પોતે જ આનદ છે. મુક્તિમાં ચિત્તનું અસ્તિત્વ ન હેાઈ, ચિત્તની કોઈ વૃત્તિ હૈતી નથી. નથી હોતું સુખ, નથી હાતું દુ:ખ, નથી હતું જ્ઞાન. અહીં પ્રશ્ન થાય કે આન એ સુખ નથી તેા શું છે ? તે સુખ નથી. તે સુખ, દુ:ખ, શાક, ભય, કામ વગેરેના અભાવને કારણે વ્યક્ત થતી પરમ શાન્તિ છે. અધ્યાત્મશાસ્ત્રોમાં આશાન્તિ જ ઈચ્છવામાં આવી છે. બ્રહ્મને જ્ઞાનરૂપ વર્ણવવામાં આવ્યું છે પરંતુ ત્યાં જ્ઞાનના અંદન, દ્રષ્કૃત્વ યા સાક્ષિત્વ છે. જ્ઞાન તા ચિત્તની (અન્તઃકરણની ) વૃત્તિ છે. મુક્તિમાં ઐકયજ્ઞાન પણુ નથી. જેમ સાંખ્યમાં મુક્તિમાં ભેદજ્ઞાન (= વિવેકજ્ઞાન ) નથી, તેમ વેદાતમાં મુક્તિમાં અકયજ્ઞાન પણ નથી. બ્રહ્મ પરમ સત્ છે. આમ મુક્ત થયેલ જીવ સત્, ચિત્ અને આનંદસ્વરૂપ બ્રહ્મમાં સમાઈ જાય છે, તરૂપ થઈ જાય છે. ઐકયજ્ઞાનની પ્રાપ્તિ માટે જીવે વેગસાધના કરવી જરૂરી છે.
૧. જુએ ન્યાયસૂત્ર ૧, ૧. ૧ ઉપર ઉદ્યોતકરનુ વાતિક
२. धम्मचक्कपवत्तन सुत्त, संयुत्तनिकाय.
૩. ચથા વિવિસ્તારાનું ચતુગૂંદોરો, રોગહેતુ, બોન્ચ, મૈમિતિ । મિત્રવિ શાસ્ત્ર चतुर्व्यूहम् —तद् यथा संसारः संसारहेतुः मोक्षो मोक्षोपाय इति । व्यासभाष्य २.१५
૪. ન્યાયવાતિક ૧, ૧, ૧,
૫. પ્રશસ્તપાઃભાષ્ય, આત્મપ્રકરણ,
૬. સાંખ્યપ્રવચનભાષ્ય, ૩. ૨૨
૭. ચિત્ત ચેતળા વૃદ્ધિ, સં નીવતત્ત્વમેવ । અસ્થતિપૂર્તિ, વસાયિમુત્ત ૪. ૪. | પ્રાચીન જૈન સાહિત્યમાં પ્રયુક્ત ‘સચિત્ત’, ‘અયિત્ત ’, ‘પુઈ ચિત્ત’ વગેરે શબ્દ વિચારો.
k
૮. ચિત્તચ. . .પ્રણ્યાપમ્ | ચેનતિ ૨. ૨ | પ્રખ્યાના અથ છે જ્ઞાત... પુરવણ્ય...દૂરૢચમ્ | સાંચાિ છ્ । યે દ્દિ જ્ઞાનાતિ. . . મૈં તત્ત્વ... ..અર્થવર્શનમ્ ..ચર્ચ ચાર્થીને ન સ જ્ઞાનાતિ । न्यायमअरी (काशी संस्कृत सिरिज) पृ. २४.
૯. ...પુત્રસ્યાાિમિત્રાત્। ચેનસૂત્ર ૪, ૮૫ પુર્વાશ્ચમાત્રોઽવારી | ચેવસિં ૨. ૪ । १०. यथा च चिति बुद्धेः प्रतिबिम्बमेवं बुद्धावपि चित्प्रतिबिम्बं स्वीकार्यम् । योगवार्तिक १.४ । ११. सब्बे धम्मेसु च आणदस्सी । सुत्तनिपात ४७८ । तमहं जानामि पस्सामि ति । मज्झिमનિાય ૧.૩૨૧
હવયોનો (નીવયપિત્તય) જળમ્ । સ ટ્વિવિધ... | તત્ત્વાર્થસૂત્ર ૨. ૮-૧) સ્ લા વિવિધ:... જ્ઞાને પયા વર્ગને ચેવચ્ચે સર્વાર્થસિદ્ધિ, ૨.૧ ।
૧૨. જ્ઞાનાધિળમામા । સર્વસંપ્રદ (૭) જુઆ વૈશેષિકસુત્ર ૩. ૨,૪
૧૩...તુળનુબિનૌ. . .મિથ: સમ્વઢાવનુંમૂયેતે ..તમાર્ મનેવ વસ્તુની સભ્ય સામાનાધિ करण्येन प्रतीयेते । न्यायार्तिकतात्पर्यटीका १. १. ४ ।
Page #13
--------------------------------------------------------------------------
________________
७०
ભારતીય દર્શનમાં ક્ષવિચાર १४. बुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मभावना आत्ममनःसंयोगजाः । कन्दली (गंगानाथज्ञाग्रंथमाला
-1), १८६३, पृ. २३८ १५. वैशेषिकसूत्र ३. २.४ १६. तत्र दुःखत्रयम् आध्यात्मिकम् आधिभौतिकम् आधिदैविकञ्चति । सांख्यकारिकागौडपादभाष्य १. १७. परिणामतापसंस्कारदुःखैर्गुणवृत्तिविरोधाच्च दुःखमेव सर्व विवेकिनः । योगसूत्र २.१५. मोहोनी .. परिणामः५ मने स.२४१२६:मनी मान्यता भार सो अभिधर्मकोशव्याख्या (Woghara
- 1971) पृ. २३ १८. तस्य (दुःखस्य) हेतुः अविद्या । योगसूत्र २.२४ । यो न्यायसूत्र १. १. २ तथा
. तत्त्वार्थसूत्र ८.१।। १६. क्लेशमूलः कर्माशयः । योगसूत्र २. १२. । निदानसंयुत्त, संयुत्तनिकाय । महानिदानसुत्त, दीघनिकाय. Po. ganti 'Rajas and Karman ’, Sambodhi Vol. 6. Nos 1-2. २१. योगसूत्र १.33 ! तत्वार्थस्त्र ७.६ । विशुदिमाग, हिन्दी अनुवाद, सारनाथ, १४५६, मा. १.
पृ. २१३-२८८ २२. न, क्लेशसन्ततः स्वाभाविकत्वात् । न्यायसूत्र ४.१.६५ । अनादिरयं क्लेशसन्ततिः, न चानादिः
शक्य उच्छेत्तमिति । न्यायभाष्य ४.१.६५ क्लेशानुबन्धान्नास्त्यपवर्गः। क्लेशानुबद्ध एवायं म्रियते
क्लेशानुबद्धश्च जायते नास्य क्लेशानुबन्धविच्छेदो गृह्यते । न्यायभाष्य ४.१.५९ २३. प्रवृत्त्यनुबन्धान्नास्त्वपवर्गः । न्यायभाष्य ४.१.५९ २४. न, अर्थविशेषप्राबल्यात् । न्यायसूत्र ४.२.३९ २५. क्षुदादिभिः प्रवर्तनाच्च । न्यायसूत्र ४.२.४० २६. कन्दली पृ. २१३ २७. सुषुप्तस्य स्वप्नादर्शने क्लेशाभावादपवर्गः । न्यायसूत्र ४.१.६३ २८. न, सङ्कल्पनिमित्तत्वाच्च रागादीनाम् । न्यायसूत्र ४.१.६८ २८. ...प्रतिपक्षभावनाभ्यासेन च समूलमुन्मूलयितु शक्यन्ते दोषा इति ।
न्यायमञ्चरी, भाग २, पृ. ८६ (काशीसंस्कृत सिरिझ) 30. न प्रवृत्तिः प्रतिसन्धानाय हीनक्लेशस्य । न्यायसूत्र । ४.१.६ ४। ततो मिथ्याज्ञानस्य दग्धबीज
भावोपगमः पुनश्चाप्रसवः...। योगभाष्य २.२६ । 31. न्यायसूत्र ४.२.४२ । ३२. कन्दली पृ. २१३ 33. तत्त्वार्थसूत्र, १०.२ (सर्वार्थसिद्धिसहित) ३४. तदनन्तरमूचे गच्छत्यालोकान्तात् । तत्त्वार्थसूत्र ५.५ ३५. जं संठाणं तु इहं भवं चयंतस्स चरमसमयम्मि ।
आसी य पएसघणं तं संठाणं तहिं तस्स ॥ आवश्यकनियुक्ति गाथा १२२८ ।
Page #14
--------------------------------------------------------------------------
________________
નગીન જી. શાહ
३९. तत्वार्थसूत्र ९.१-८
३७. सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । तत्त्वार्थसूत्र १.१.
३८. तत्वार्थ सूत्र (५. सुसासनी गुन राती व्याख्या साथै ) सूत्र १.९.
३८. सकषायाकषाययेोः साम्परायिकेर्यापथयेाः । तत्त्वार्थसूत्र ६.५ (५ सुसासनी गुभराती વ્યાખ્યા સાથે)
४०. प्रभास्वरमिदं चित्तं प्रकृत्याऽऽगन्तवो मलाः । प्रमाणवार्तिक १.२१०
४१. चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम् ।
तदेव तैविनिर्मुक्तं भवान्त इति कथ्यते । तत्त्वसंग्रहपञ्जिका (प्र. १०४) भां मौद्धायार्य उभुतશીલે ઉદ્ધૃત કરેલ પ્રાચીન બૌદ્ધ શ્લોક.
४२. शान्तरक्षित तत्त्वसंग्रहमा (५. १८४ ) स्पष्टपणे या प्रमाणे यावे. ४३. जैन विद्वान अस पोताना 'तत्त्वार्थराजवार्तिक'मां प्रभाषे मौद्ध निर्वाणुने समन्नवेस छे. ४४. मिलिन्दपण्ड (V. Trenckner London 1880) अ. २ पृ. २५-२८ ४५. कम्मस्स कारको नत्थि विपाकस्स च वेदका ।
सुद्धधम्मा पवत्तन्ति एवेतं सम्मदस्सनं । विसुद्धिमग्ग अ. १९
४९. दीपो यथा निर्वृतिमभ्युपेतो नैवावनिं गच्छति नान्तरिक्षम् । दिशं न काचिद् विदिशं न स्नेहक्षयात् केवलमेति शान्तिम् ॥ सौन्दरनन्द, १६.२९
૭૧
४७. द्विविधं निर्वाणमुपवर्णितम्-सोपधिशेषं निरुपधिशेषं च । तत्र निरवशेषस्य अविद्यारागादिकस्य शगणस्य प्रहाणात् सोपधिशेषं निर्वाणमिष्यते ।... उपधिशब्देन... पश्चोपादानस्कन्धा उच्यन्ते ।... सह उपधिशेषेण वर्तत इति सोपधिशेषम् । तच्च स्कन्धमात्रकमेव केवलम्...। यत्र तु निर्वाण स्कन्धमात्रकमपि नास्ति तन्निरुपधिशेषं निर्वाणम् । माध्यमिकवृत्ति, पृ. ५१९
४८. क्लेशकर्माभिसंस्कृतस्य सन्तानस्याविच्छेदेन प्रवर्तनात् परलोके फलप्रतिलम्भोऽभिधीयते । बोधिचतारपञ्जिका ( बिब्लिओथेका इंडिका ) पृ. ४७३ । । शान्तरक्षितत तत्त्वसमां ક કુલસંબંધપરીક્ષા નામનુ" પ્રકરણ.
४८. यो मौद्धधर्मदर्शन, पृ. १२-११८
५०. सांध्यारिडा, १२
५१. सदा ज्ञातावित्तवृत्तयस्तत्प्रभोः पुरुषस्य...। योगसूत्र ४.१८
५२. तदवस्थे चेतसि विषयाभावात् बुद्धिबोधात्मा पुरुषः किंस्वभाव इति ? तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम् । योगसूत्र १.३ ( भाष्योत्थानिकासहित)
43. यथा च चिति बुद्धेः प्रतिबिम्बमेवं बुद्धावपि चित्प्रतिबिम्बं स्वीकार्यम् । योगवार्तिक, १.४ ५४-५५. तल्लाभाद् ( - विवेकज्ञानलाभाद्) अविद्यादयः क्लेशाः समूलकाषं कषिता भवन्ति । कुशलाकुशलाश्च कर्माशयाः समूलघातं हता भवन्ति । क्लेशकर्मनिवृतौ जीवन्नेव विद्वान् विमुक्तो भवति । कस्मात्। यस्माद् विपर्ययो भवस्य कारणम् । नहि क्षीणविपर्ययः कश्चित् केनचित् क्वचित जातो दृश्यत इति । योगभाष्य ४.६०
५६. सांख्यकारिका, ६८
Page #15
--------------------------------------------------------------------------
________________
Gર
ભારતીય દર્શનોમાં મોક્ષવિચાર
५७. आद्यस्तु मोक्षो ज्ञानेन...द्वितीयो रागादिक्षयादिति...कर्मक्षयात तृतीयं व्याख्यातं मोक्षलक्षणम् ।
योगवार्तिक, ४.२५-४.३२ ५८. यद्यपि पुरपश्चिन्मात्रोऽविकारी तथापि बुद्धेविषयाकारवृत्तीनां पुरुपे यानि प्रतिबिम्बानि तान्येव
पुरुषस्य वृत्तयः, न च ताभिः अवस्तुभूतामिः परिणामित्वं स्फटिकस्येवातत्त्वतोऽन्यथाभावात् ।
योगवातिक, १.४ ५८. सांख्यप्रवचनभाष्य १.१ ६०. परमाणोरिव वृत्त्यतिरिक्तानां प्रतिबिम्बसमर्पणासामर्थ्यस्य फलबलेन कल्पनात् । योगवार्तिक,
१.४ ११. पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसवः कैवल्यम् , स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरिति । योगसूत्र,४.३४ १२. कैवल्यं प्राप्तास्तर्हि सन्ति च बहवः केवलिनः। योगभाष्य १.२४. ६३. नवानामात्मविशेषगुणानामत्यन्तोच्छित्तिर्मोक्षः । व्योमवती (चौखम्बा, १९३०) पृ. ६३८ १४. समस्तात्मविशेषगुणोच्छेदोपलक्षिता स्वरूपस्थितिरेव । कन्दली पृ. ६९२ ६५. यदि मुक्तात्मानः पाषाणतुल्यजडास्ताहि कथं तत्र दुःखनिवृत्तिव्यपदेशः ? ११. न हि ‘पाषाणो दुःखान्निवृत्तः' इति केनापि प्रेक्षावता व्यपदिश्यते । दुःखसंभव एव हि
दुःखनिवृत्तिनिर्दिष्टुमर्हति । ६७. न, दुःखार्तानां तदभाववेदनमभिसन्धायैव तज्जिहासादर्शनात , कथमन्यथा देहमपि जह्यः।
आत्मतत्त्वविवेक (चौखम्बा ११४०) पृ. ४३८ ६८. न्यायभाष्य १. १. २ ६. न्यायसार पृ. ५९४-९८ (१३६शनप्राशनप्रतिष्ठान, पासी , १८६८). ७०. किं पुनस्तन्मिथ्याज्ञानम् ? अनात्मन्यात्मप्रहः । न्यायभाष्य ४. २.१ ७१. तत्त्वज्ञानं खलु मिथ्याज्ञानविपर्ययेण व्याख्यातम् । न्यायभाष्य १.१.२ ७२. यदा तु तत्त्वज्ञानाद् मिथ्याज्ञानमपैति तदा मिथ्याज्ञानापाये दोषा अपयन्ति । न्यायभाष्य
१.१.२ ७3. न प्रवृत्तिः प्रतिसन्धानाय हीनक्लेशस्य । न्यायसूत्र ४.१.६४ ७४. सोऽयमध्यात्म बहिश्च विविक्तचित्तो विहरन्मुक्त इत्युच्यते । न्यायभाष्य ४.१.६४ ७५. ...सर्वाणि पूर्वकर्माणि ह्यन्ते जन्मनि विपच्यन्त इति । न्यायभाष्य ४.१.६४ * ...अनन्तानां कथमेकस्मिन् जन्मनि परिक्षय इति चेत् । कन्दली पृ. ६८७ ७६. न, कालानियमात् । कन्दली पृ. ६८७ ७७. यथैव सावत् प्रतिजन्म कर्माणि चीयन्ते, तथैव भोगात् क्षीयन्ते च । कन्दली पृ. ६८७ ७८. योगी ही योगद्धिसिद्धथा...निर्माय तदुपभोगयोग्यानि...तानि तानि सेन्द्रियाणि शरीराणि, __ अन्तःकरणानि च मुक्तात्मभिरुपेक्षितानि गृहीत्वा सकलकर्मफलमनुभवति प्राप्तैश्वर्य इतीत्थमुप.
भोगेन कर्मणां क्षयः । न्यायमञ्जरी, भा. २, पृ. ८८ ७१. प्रवृत्त्यपाये जन्मापैति । न्यायभाष्य १.१.२
Page #16
--------------------------------------------------------------------------
________________ 73 નગીન જી. શાહ 80. समाधिविशेषाभ्यासात् / न्यायसूत्र 4.2.38 तदर्थे यमनियमाभ्यामात्मसंस्कारो योगाश्चाध्यात्मविध्युपायैः / न्यायसूत्र 4.2.46 81. ज्ञानग्रहणाभ्यासस्तद्विद्यैश्च सह संवादः / न्यायसूत्र 4.2.47 82. न्यायभाष्य 4.2.3 43. शास्त्रदीपिका पृ. 125-30 / 84. यदस्य स्वं नैज रूपं ज्ञानशक्तिसत्ताद्रव्यत्वादि तस्मिन्नवतिष्ठते / शास्त्रदीपिका, पृ. 130 85. बुद्धिभेदादिति / बुद्धिरन्तःकरणम् / आयें पक्षे बुद्धिभेदात् तत्संस्कारभेदः। तद्भेदाच्च तदव च्छिन्नाज्ञानभेदः। तद्भदाच्च तत्प्रतिबिम्बितचैतन्य भेद इति जीवनानात्वम् / अन्त्ये तु बुद्धिभेदात् तत्प्रतिबिम्बितचैतन्यभेद इति जीवनानात्वम् / पारमार्थिकत्वादिति / प्रतिबिम्ब च न बिम्बादन्यत् किञ्चिदित्यनुपदमेवोक्तमिति बिम्बरूपेण पारमार्थिकमेव तत् / सिद्धान्तबिन्दुटीका (अभ्यंकरकृता) पृ. 47, B.O.R.I Poona, 1928. 86. तदेवं वेदान्तवाक्यजन्याखण्डाकारवृत्त्या अविद्यानिवृत्तौ तत्कल्पितसकलाननिवृत्तौ परमानन्दरूपः सन् कृतकृत्यो भवति / सिद्धान्तबिन्दुटीका (शंकरकृता) पृ. 153, B.O.R.I., Poona 1928.