SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ કર ભારતીય દશામાં મેાવિચાર વ્યક્તિત્વના, ઊં ́ચ-નીચ ગાત્રને અને આયુષ્યતા અભાવ હાય છે, અર્થાત્ માક્ષની સ્થિતિમાં તે અશરીરી હાય છે.૩૩ માક્ષ થતાં જીવ ત્યાં જાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં જૈન જણાવે છે કે કર્માં દૂર થતાં જીવ ઊર્ધ્વગતિ કરે છે અને સીધા એક ક્ષણમાં તે લેાકના અગ્રભાગે પહેાંચી ત્યાં આવેલ સિદ્ધશિલા ઉપર સ્થિર થાય છે.૩૪ જો શુદ્ધ ચિત્તો બધાં જ અનન્તજ્ઞાની, અનંતદશી, અનંતચારિત્રી અને અનંતવીર્યવાન હોય તેા તેમની વચ્ચે ભેદ્ર શા ? કંઈ જ નહિ. બધાં એકસરખાં હેાય છે. પરંતુ જંતાએ અહીં માક્ષમાં પણ દરેકનું જીદું વ્યક્તિત્વ સ્થાપવા પ્રયત્ન કર્યા છે અને જણાવ્યું છે કે અંતિમ જન્મમાં દેહપાત વખતે જે શરીરાકાર હેાય તેવા આકાર મેાક્ષાવસ્થામાં પણ તેને હોય છે.૩૫ આ જૈન માન્યતા કંઈક વિચિત્ર લાગે છે. મેાક્ષના ઉપાય તરીકે જૈનેા સવર અને નિજ રાને ગણાવે છે, સંવરના અર્થ છે કર્મને આવતાં અટકાવવાં અને નિજ રાના અર્થ છે લાગેલાં કર્મોને દૂર કરવાં. કર્માને આવતાં અટકાવવા માટે મન, વચન, કાયાની પ્રવૃત્તિને સંયમ (ગુપ્તિ), પ્રવૃત્તિ કરવામાં વિવેક રાખવા ( સમિતિ ), સહનશીલતા, સમતા, ક્ષમા, ત્યાગ, પાપવિરતિ, અનુપ્રેક્ષા, તપ વગેરે ઉપાયા જણાવાયા છે.૩૬ કર્માંતે દૂર કરવા માટે તપ આવશ્યક છે. બીજી રીતે, જૈનેા સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રને મેક્ષના ઉપાય ગણે છે.” મેાક્ષ માટે ત્રણેય જરૂરી છે. સમ્યક્ દન એ તત્ત્વ તરફ પક્ષપાત છે, સત્ય તરફના પક્ષપાત છે. સમ્યક્ દર્શીનને પરિણામે, જે કંઈ જ્ઞાન હોય છે તે સમ્યકૂ બની જાય છે, કારણ કે હવે તે મેાક્ષ પ્રાપ્તિ માટે ઉપયોગી બને છે અને કુકર્માથી પાછા વાળે છે. ૬૮ જૈનાએ કર્માના એ ભેદ કર્યા છે – ઇર્ષ્યાપથિક અને સાંપરાયિક. ઇર્યાપથિક કર્યાં તે છે જે કષાયરહિત પ્રવૃત્તિને કારણે આત્માને લાગે છે, અને સાંપરાયિક કર્મો તે છે જે કાયયુક્ત પ્રવૃત્તિને કારણે આત્માને લાગે છે. પર્યાપથિક કર્યાં ખરેખર આત્મા સાથે મોંધાતા નથી, ખંધ નામના જ હેાય છે, તેનું કંઈ ફળ નથી.૩૯ આ દર્શાવે છે કે પ્રવૃત્તિ છેડવા કરતાં કષાયેા છેડવા ઉપર વિશેષ ભાર આપવો ઉચિત છે. જેનામાં કાચા નથી તેમ છતાં જે પ્રવૃત્તિ કરે છે તેને જૈત પરિભાષામાં સાગી કેવલી કહેવામાં આવે છે. તેને જીવન્મુક્ત ગણી શકાય. જે કલેશા ઉપરાંત કથી અને પ્રવૃત્તિથી પણ મુક્ત બને છે તેને યાગી દેવલી કહેવામાં આવે છે. આને વિદેહમુક્ત ગણી શકાય. બૌદ્ધને મતે મેક્ષ : બૌદ્ધ ' મતે ચિત્ત જ આત્મા છે. ચિત્ત સ્વભાવથી પ્રભાસ્વર છે. જ્ઞાન અને દન તેનેા સ્વભાવ છે. રાગ–દ્રેષ આદિ મળે આગન્તુક છે.૪૦ આ આગંતુક મા અનાદિ કાળથી ચિત્તપ્રવાહ સાથે સેળભેળ થઈ ગયા છે. તેમને દૂર કરી ચિત્તને તેના મૂળ સ્વભાવમાં લાવવા બુદ્ધને ઉપદેશ છે. મળા દૂર થતાં ચિત્તનું સ્વસ્વભાવમાં આવવું તે જ મેાક્ષ છે.૪૧ ‘મુત્તિનર્મરુતાષિય:’(૪૨ બૌદ્ધો મેાક્ષને માટે ‘નિર્વાણુ’શબ્દના પ્રયાગ કરે છે. બૌદ્ધ મેાક્ષતે વિશે કહેવામાં આવ્યું છે કે પ-વેના—સંજ્ઞા-સંહાર-વિજ્ઞાનવશ્ર્વ નિરાધાત્ અમાવો મોક્ષ:૪૩ આમ પંચસ્કન્ધાભાવ એ મેાક્ષ છે. રૂપકન્ધ દેહવાચી છે. તેને વ્યાપક અ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230185
Book TitleBharatiya Darshanoma Mokshavichr
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages16
LanguageGujarati
ClassificationArticle & Nine Tattvas
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy