Book Title: Bhaktamar Stotra Ketlak Prashno
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ભક્તામર સ્તોત્ર કેટલાક પ્રશ્નો મહારાજને પ્રશ્ન કરતાં તેમણે મને જણાવ્યું હતું કે ‘ભક્તામર સ્તોત્ર' તો જેટલી વાર બોલીએ તેટલી વાર વધુ લાભદાયક છે. સારી આરાધના કરનારે દિવસમાં ઓછામાં ઓછી ત્રણ વાર-સવાર, બપોર અને સાંજ અવશ્ય પઠન કરવું જોઈએ. બાર મહિના ત્રણ વખત પઠન કરનારને અવશ્ય ચમત્કારિક લાભ થયો હોવાના દાખલા નોંધાયેલા છે. ભક્તામરના પઠન વખતે ભાવપૂર્ણ હર્ષોલ્લાસ હોવો અને તીર્થંકર પરમાત્માના સ્વરૂપ સાથે તદ્રુપતા હોવી એ જ સૌથી મહત્ત્વની વાત છે. પઠન કરતી વખતે આંખમાં હર્ષાશ્રુ આવે એ એની એક સાચી કસોટી છે. (૪) ‘ભક્તામર સ્તોત્ર'માં અÇશ્રુતથી શરૂ થતા શ્લોકમાં નીચેની પંક્તિ આવે છે : यत्कोकिलः किल मधो मधुरं विरौति । तच्चारुचूतकलिकानिकरैकहेतुः । । ૪૦૧ આ શ્લોક કેટલાક લોકો નીચે પ્રમાણે બોલે છે : यत्कोकिलः किल मधो मधुरं विरौति । तच्चारुचाम्रकलिकानिकरैकहेतुः । । આ બે પાઠમાંથી કર્યો પાઠ સાચો એવો પ્રશ્ન કેટલાકને થયો છે. Jain Education International આ બે પાઠમાં ફક્ત એક શબ્દ પૂરતો જ ફરક છે. ‘વૃત’ને બદલે ‘ઞામ્ર’ શબ્દ કેટલાક બોલે છે. ‘વૃત’ શબ્દનો અર્થ આંબો થાય છે, ‘સામ્ર’ શબ્દનો અર્થ પણ આંબો થાય છે. પરંતુ કવિએ પ્રયોજેલો મૂળ શબ્દ તો ‘નૂત’ જ છે બધી પ્રાચીન હસ્તપ્રતોમાં એ પ્રમાણે જ છે. સંસ્કૃતમાં ‘વૃત્ત’ શબ્દ ધણો પ્રચલિત છે. આંબાના અર્થમાં તે ઘણો વપરાયેલો છે, અને સારી રીતે રૂઢ થયેલો છે. પરંતુ છેલ્લા એક-દોઢ સૈકાથી ‘ચૂત’ શબ્દ ગુજરાતી, હિન્દી, મરાઠી વગેરે ભાષાઓમાં સ્ત્રીયોનિદર્શક શબ્દ તરીકે પ્રચલિત બની ગયો છે. એટલે વ્યવહારમાં બોલવામાં અશિષ્ટ અને નિષિદ્ધ મનાય છે. એટલે એ શબ્દ કેટલાકને અશ્લીલ કે બીભત્સ લાગે એવો સંભવ છે. આથી કોઈક પંડિતે પોતાની મરજીથી ‘નૂત’ને બદલે તેના પર્યાયરૂપ ‘વ્ર’ શબ્દ મૂકી દીધો છે, જે છંદની દૃષ્ટિએ પણ બંધ બેસતો આવ્યો છે. પાઠશાળાઓમાં બાળકોને માટે પણ તે કેટલાકને ઉપયોગી લાગ્યો છે. અલબત્ત, ભાષા અને વ્યાકરણની દૃષ્ટિએ આ શબ્દફેર ખોટો છે, કારણ કે ચત્તુ + E = ચાર્વામ થાય. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11